SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય દશા ગીશ્વર રાજચંદ્ર જગતને અપેલી અલૌકિક આત્મદષ્ટિ 751 21, વચનામૃતસૂત્ર 74), એનું આ જ રહસ્ય છે. એટલે સાપેક્ષ નયદષ્ટિપણે સર્વત્ર વિચાર કરતાં જે જે સત કે સદ્અંશ તેને તે તે અપેક્ષાએ મુક્તકંઠે સ્વીકાર કરવો એવી નિરાગ્રહ ગુણગ્રાહી દૃષ્ટિ આત્માથીની હેવી જોઈએ. એટલે જ શ્રીમદ્દ વદે છે કે—તેઓ (જ્ઞાનીપુરુષ) તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વતે છે, જેથી કઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કેઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની ગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષને સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયે એવાં મનુષ્ય નયનો આગ્રહ કરે છે, અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હેય છે. કેઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીઓ નયાદિકમાં ઉદાસીન રહેવાને અભ્યાસ કરે; કેઈ નયમાં આગ્રહ કરે નહીં અને કઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મળ્યો છે, તે કઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતો નથી.” (અ. 208) અને એટલે જ પરમ અમૃત આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્ આ અમૃત વચનોની ઉદ્ઘોષણા કરે છે– છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫. મત દર્શન આગ્રહ તજી, વતે સદગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.” અને સશાસ્ત્ર વિચારણું પણ મતાર્થ દષ્ટિ–કુલધર્માર્થ દષ્ટિ મૂકીને જ અને શાસ્ત્રીય અભિનિવેશ છોડીને જ કરવા ગ્ય છે. એટલે જ મતની દૃષ્ટિથી નહીં પણ સતની દષ્ટિથી જ સશાસ્ત્ર કેવળ આત્માર્થે જ વિચારવા એવી મુમુક્ષુઓને મુખ્ય ભલામણ શ્રીમદે કરી છે. સૂયગડાંગ સૂત્રમાં મંગલ પ્રવેશ કરાવનારે જે અલૌકિક પ્રવેશક શ્રીમદે પત્રાંક ૩૭૫માં લખ્યું છે તે આ જ વસ્તુ સૂચવે છે: “ક્યા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થ માં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. કળધર્માથે સૂત્રકૃતાંગનું વાંચન, શ્રવણ નિષ્ફળ છે.” “અને ત્યાં જ પત્રપ્રારંભમાં જ શ્રીમદ લખે છે—“જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે. તે ઉપશમ આત્માથે છે, અન્ય કઈ પ્રજન અર્થે નથી. આત્મા. ર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે, એ વાર્તા અમને તે નિઃસંદેહ યથાર્થ લાગે છે.” તેમજ શાસ્ત્રીય અભિનિવેશ પણ જીવને માર્ગ પ્રાપ્તિમાં આડા અવરોધરૂપ થઈ પડે છે, તે અભિનિવેશના–આગ્રહના ગ્રહને છોડાવવા માટે પણ પરમ નિરાગ્રહી શ્રીમદ્દ નિષ્કારણ કરુણાથી વધે છે—એ અભિનિવેશ આડા આવી ઉભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વને ત્યાગ કરી શકો નથી. તે આ પ્રમાણે લૌકિક અને શાસ્ત્રીય. ક્રમે કરીને સત્સમાગમગે જીવ જે તે અભિનિવેશ છેડે તે મિથ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છેડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy