SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ એકસો પાંચમું દિવ્ય દૃષ્ટા યોગીશ્વર રાજચંદ્ર જગતને અર્પેલી અલૈકિક આત્મદષ્ટિ આવા પરમકૃતપ્રભાવક પરમ વીતરાગમાર્ગોદ્ધારક, મૂળમાર્ગઉદ્ધર્તા ને આત્મસિદ્ધિસણા દિવ્ય દૃષ્ટા ગીર રાજચંદ્ર જગતને જે કઈ મોટામાં મોટી ભેટ આપી હોય તો તે શુદ્ધ આત્મદષ્ટિની–અલૌકિક આત્માર્થ દ્રષ્ટિની–આત્મા આત્મા ને આત્મા એ જ એક દિવ્ય અવનિ જેના જીવનમાં અને કવનમાં આદિથી તે અંત પર્યત સર્વત્ર ગુંજી રહ્યો છે, એવા આ પરમ જગકલ્યાણકર પરમ દિવ્ય જ્ઞાનીશ્વરે સર્વત્ર આત્માને જ આગળ કરી આત્માર્થની-આત્મકલ્યાણની દષ્ટિનું જ દર્શન કરાવ્યું છે. હું દેહ નથી, હું દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્મા છું, એમ નિરંતર આત્મા પ્રત્યે દષ્ટિ ઠેરવી, આ આત્મા અર્થ અથવા આ આત્માને અર્થ–પ્રોજન જેથી સિદ્ધ થાય તેવી આત્મચારિત્રસૃષ્ટિ સર્જવી એ જ અલૌકિક આત્માર્થ દષ્ટિ છે. કારણકે જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે. એટલે જેવું દર્શન તેવું સર્જન એ ન્યાયે, દષ્ટિ સમ્યફ હોય તે સૃષ્ટિ સમ્યફ થાય છે, દષ્ટિ મિસ્યા હોય તે સૃષ્ટિ મિથ્યા થાય છે. એટલે જ જ્યાં આત્મા આત્મા ને આત્માનું જ દિવ્ય ગાન ગાયું છે એવી આત્માની મહાગીતા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં આ દિવ્ય દૃષ્ટા ચોગીશ્વર મહા જ્ઞાનીશ્વર શ્રીમદ્ રાજચંદ્ર સ્થળ સ્થળે પદે પદે આત્માનું જ દિવ્ય દર્શન કરાવી આ આત્માર્થ કેમ સિદ્ધ થાય એનું જ દિવ્ય દર્શન કરાવ્યું છે. દિવ્ય આત્મદષ્ટિ પામી જેણે દિવ્ય આત્મચારિત્રસૃષ્ટિ સ્વયં પિતે સજી હતી એવા આ દિવ્ય દૃષ્ટા યોગીશ્વર મહાજ્ઞાનદાનેશ્વરી રાજચંદ્ર અત્રે તેવી જ અલૌકિક દ્રષ્ટિનું જગને કેવું મહાદાન કર્યું છે, અને જગતને કે અનન્ય પરમ ઉપકાર કર્યો છે, તેનું દિગદંશન આ પ્રકરણમાં કરશું. - આત્માર્થ પ્રધાન આ અલૌકિક આત્મદષ્ટિ અને બાદ્યાર્થ પ્રધાન લૌકિક દેહદષ્ટિને આકાશપાતાલનું અંતર છે. બન્નેનો મેળ કે બન્નેના છેડા કેઈ કાળે મળે એમ નથી. બન્નેની દિશા ભિન્ન ભિન્ન છે. “જગતુ જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે, એમ શ્રી કૃષ્ણ કહે છે (અ. ૩૮૮),–તેમ જ્ઞાનીની અલૌકિક દ્રષ્ટિ અને અજ્ઞાનીની લૌકિક દષ્ટિ બન્ને ભિન્ન ભિન્ન દિશામાં છે. એટલે જ શ્રીમદ્જી પિતાના અમૃતપમાં અમૃતબોધ આપે છે કે લૌકિક દષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે. લાકિક દષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે અને અલૌકિક દષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. 44 જ્યાંસુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચન લૌકિક દષ્ટિના આશયમાં ન ઉતારવા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy