SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ માલવ્યનું સાહિત્યસર્જન આમ સંક્ષેપમાં જેનું અત્ર પ્રસંગથી દિગ્દર્શન કર્યું એવી આ ખાલવયની સ્ત્રીનીતિધક કાવ્યકૃતિમાં ખાલકિવ રાયચંદનું સન્નીતિથી ચળકતું, દેશપ્રીતિથી ઝળકતું, કરુણાથી મલકતું, ભક્તિથી છલકતું, વૈરાગ્યથી ધખકતું અને ભાવનાથી ભભકતું સ્ફટિક જેવું સ્વચ્છ હૃદય આરપાર દેખાઇ આવે છે. લેખકે પેાતે છપાવેલ આ સ્ત્રીનીતિાધકને અંતે છપાયેલી જાહેરખખરમાં લખ્યુ છે કે૮ કાવ્યમાળા એ નામનું એક સુનીતિબેાધક પુસ્તક મેંચીને તૈયાર કરેલું છે, જેની અંદર એકસેા ને આઠ કાવ્યા છે અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ ખસેા પૃષ્ઠનું થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસે રૂ. ૦-૧૦–૦ લેવામાં આવશે. નીતિર્દેશક પુસ્તકાના ફ્લાવા થવાના આધાર પ્રજા પર રહે છે.' આ ઉલ્લિખિત કાવ્યમાળા પ્રસિદ્ધ થઈ છે કે નહિં તે અંગેની ક ંઈ પણ માહિતી ઉપલભ્ય નથી તેમજ તેની હસ્તપ્રત પણ ઉપલભ્ય નથી. પણ · મેં રચીને તૈયાર કરેલું છે' એ વગેરે સ્પષ્ટ શબ્દો પરથી એ ગ્રંથ લખાયેલે તે અવશ્ય હતા અને છપાવાની તૈયારીમાં પણ હતા, પણ કોઈ અજ્ઞાત કારણથી તે પ્રસિદ્ધ થવા નહિ પામ્યા હશે, વા તેમના બીજા ગ્રંથાની જેમ દુર્ભાગ્યે લુપ્ત થવાગુપ્ત થવા પામ્યા હશે, એ અંગે માત્ર કલ્પના કરવી રહી. જો મળ્યા હાત તે કાવ્યસાહિત્યમાં ભાત પાડે એવી એક વિશિષ્ટ કાવ્યપ્રસાદીની પ્રાપ્તિ થઈ હેાત ! અસ્તુ ! પ્રાસ્તાવિક કાવ્યો ૪૧ આ ‘સ્ત્રીનીતિખેાધક' ઉપરાંત શ્રીમદ્દે સ. ૧૯૩૭ થી ૧૯૪૧માં–૧૩ થી ૧૭ વર્ષની વયમાં વિવિધ વિષયેા પર પ્રાસ્તાવિક કાવ્યેા રમ્યા હતા, તે તત્કાલીન સામિયકામાં છપાયા હતા. તેની વિસ્તૃત સૂચિ તેમના એક ચરિત્રલેખક સર્દૂ. શ્રીમનઃસુખભાઈ કરંદ મહેતાકૃત જીવનરેખા'ના પરિશિષ્ટમાં આપેલ છે. તેમાંથી કેટલાક ઉપલબ્ધ કાવ્યેા ‘સુખેાધસંગ્રહ'માં (અગાસઆશ્રમ પ્રકાશિત) છપાયા છે. આ વિવિધ વિષયક પ્રાસ્તાવિક કાવ્યેામાં કેટલાક દેશહિત-સામાજસુધારણાને લગતા, કેટલાક સન્નીતિ સòાધને લગતા, કેટલાક દેશહિત-દેશદાઝને લગતા, કેટલાક શાંત-વીર-શૃંગાર આદિ કાવ્યરસને લગતા કાવ્યેા છે. તે પ્રત્યે અત્રે યત્ર તત્ર દષ્ટિપાત કરી સતેષ માનશું. આ માલ કવિએ ‘કરો સુજાણ દેશહિત હેત રાખી આ સમે' એ ભાવવાહી ધ્રુવપંક્તિથી ગુજતા સ્વદેશીઓને વિનંતિ કાવ્યમાં બાળલગ્ન, વહેમ, વિધવા, કુચાલ, અનીતિ, કન્યાકેળવણી, સંપ, સુગ્રંથ, કળા આદિ ખા. સમાજસુધારણા અંગે પાકાર પાડયા છે; અને ઈશ રીઝશે આપ ઉપરે, રહેશે જગમાં અવિચળ નામ' એ ધ્રુવપંક્તિથી ધબકતા હુન્નરકળા વધારા વિષેના કાવ્યમાં—ભરતભૂમિના અસ્ત થયેલા જે દેખાયે સૂરજ યાર, તરત તેહને ઉદય પામશે કળા થકી તેા પ્રિય નિરધાર’–ઇત્યાદિ ભાવવાહી પંક્તિઓમાં ભારતમાં હુન્નરકળા વધારવા અંગે એક પ્રૌઢ અનુભવી દેશહિતચિંતકને છાજે એવા વિચાર દર્શાવ્યા છે. શ્રીમત જનાને શિખામણમાં હુન્નર, વૈદ્યશાળા, કન્યાશાળા, પરમાર્થ દાન આદિ અંગે શ્રીમંતાને બેધ આપી, પૈસા સારાં કામે ખર્ચ ધનાઢય સારા એને ધાર' એ ધ્રુવપંક્તિથી અત્યંત ભાવવાહી ખરા શ્રીમંત કોણ અ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy