________________
બાલચનું સાહિત્યસર્જન ક્ષણભંગુર આ જાણી તું તે દેહને, બેની ! ભજજે ભાવ ધરી ભગવાન જે; નથી ભરેસે પળનો એમ જ જાણજે, માટે મિથ્યા કરજે મા તોફાન જે. રાજા રાણા ને પંડિત શાણા હતા, ચાલી નીકળ્યા મૂકીને ઘરબાર જે; મૂરખ કે ડાહ્યા અમર દીઠા નહીં, માટે કરજે ઉર વિષે વિચાર જો ક્ષણભંગુર હોય દાણું દળવા કાજ, ઘંટીની પાસે રે, જે દળીયે તો પુરે આશ, ઘડતાં ખાશે રે.. અહા ઉદ્યમથી સહુ થાય. નહિં તે દાણા છતાં હોય, કદાપિ ઘરમાં રે; નહિં પેસવા કેરા તોય, તે ઉદરમાં રે....હે. વિદ્યા છે સુખરૂપ સારી રે, વિદ્યામાં છે ગુણ બહ; એ દિવ્ય ચક્ષુ દેનારી રે, વિદ્યામાં છે ગુણ બહુ હે કેળવણી, તારામાં મેં દીઠા બહુ બહુ ફાયદા તું તે નીતિથી રોજ પળાવે પરમેશ્વરના કાયદા. તું આવી દેવ તણી દીકરી, ત્યાં લક્ષ્મી થઈ બેઠી કિંકરી; તોડી તેં તો આળસ ઠીકરી....હે કેળવણી. આવે સબંધ તે અપારી રે, સુણજે શીખ સારી; શીખ સુણે સુધરશે સારી રે, સુણો શીખ સારી. અહા ! કહું નીતિ કેરી વાત, પ્રીતિથી સાંભળો રે લોલ. બેની ! મૂકી જૂઠ પંચાત, કાઢે મન આમળે રે લોલ. સત્ય યુગ કહેવાય, જ્યાં સત્ય છે રે લોલ. કળિયુગ તે ગણાય, જ્યાં અસત્ય છે રે લોલ. નથી સાચને જ આંચ, કહું છું ખરૂં રે લોલ. કહે છે ડાહ્યા અને પાંચ, તે ધ્યાને ધ રે લોલ. માટે પરપુરુષને ભાઈ લેખજે રે લેલ. એથી મોટા તો પિતા સમ લેખ રે લોલ, ડાટ કૃષ્ણગીતથી જેમ છે વળે રે લોલ. એથી વધી વ્યભિચાર લેશે તો ભળે રે લોલ. સુણ સજજની તું અવગુણ જાણ, સારી ન નીતિ રે;
વ્યભિચારે દુઃખ પ્રમાણ, દુઃખની ભીતિ રે. સજજની સારીનાં સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડાં કામ જે; સદ્ગુણી થાવાનું છે તો ઈચ્છશે, શાણી નારી જાણો તેનું નામ જે.સજજની. સુનીતિથી ચાલે તે તે સજજની, અનીતિ કેરૂં ન મળે જેને કામ જે; અસત્યને અળગું જેણે પ્રીતે કર્યું, વળી તે તો નિત્ય ભજતી ભગવાન જો. સજજની.”
અને ધોળ રાગમાં સંગીત કરેલી ૧૦૦ કડીવાળી ૨૫ મી ગરબી–“સદબોધ શતક' તો ભર્તુહરિના નીતિશતકની સ્મૃતિ કરાવે છે, તેમાં વિદ્યા, ગર્વત્યાગ, દેશહિત દેશસેવા, પરપુરુષત્યાગ, નીતિથી ધનોપાર્જન, દયા, ધર્મ, સદ્ધ , ધીરજ, નમ્રતા, વિનય, સદ્ગુણ, સત્સંગ, ઉદ્યમ, જ્ઞાન, પાતિવૃત્ત, દાનઆદિ વિવિધ વિષ