________________
૩૮
અધ્યાત્મ રાજચંદ્ર આની સીધી સાદી પ્રસ્તાવનામાં જ આ તેર-ચૌદ વર્ષને બાલ મહાત્મા કેવી પ્રૌઢ ગંભીરતાથી અને સહૃદયતાથી વધે છે તે જુઓ !—કહે નેપાલ્યન દેશને, કરવા આબાદાન; સરસ રીત છે એ જ કે, ઘ માતાને જ્ઞાન.—ઉપરને દેહરો વાંચી વાંચનાર વિચારશે કે એ દેહરે કે ઉપયોગી અને સુબેધક છે ? એ દેહરાનો જે ખરો અર્થ વિચારીએ તે તેથી કેટલે બધે ફાયદો થાય? ઘણે જ. કહેવત છે કે માબાપ તેવાં છોકરાં. વળી બાપ કરતાં, છોકરાં પર માતાનાં લક્ષણની વધારે અસર થાય છે. આપણું ભરતખંડમાં હાલ સ્ત્રીકેળવણીનો સારો પ્રસાર થતો જાય છે. તેમજ વળી વાંચવાને શેખ પણ વધતો જાય છે. જેથી કરીને સ્ત્રીઓને વાંચવાલાયક પુસ્તકો પ્રસિદ્ધ થવાની ઘણી અગત્ય છે; અને તે વિષે સર્વે સ્વદેશહિતેચ્છુઓ ધ્યાનમાં લેશે. ૪ ૪ માટે સ્ત્રીઓને પૂરી કેળવણી આપવી જોઈએ એવી મારી સ્વદેશીઓને નમ્રતાપૂર્વક ભલામણ છે. વળી સ્ત્રીઓ નહીં સુધારવાનું મોટું કારણ તો બાળલગ્ન જ છે. ૪ X એ બાળલગ્નથી જ સ્ત્રીઓ કેટલીક બાબતમાં બિચારીઓ દુઃખ ભોગવે છે. એ કેટલું બધું દીલગીરી ભરેલું અને ખેદકારક છે. તે વિષે વિચાર કરવાની હું વાંચનારને વિનંતિ કરું છું.”
આ ગ્રંથના ત્રણ ભાગની યેજના હતી, તેમાંથી આ પ્રથમ ભાગ જ બહાર પાડેલ છે; આ પ્રથમ ભાગ સં. ૧૯૪૦માં-સન ૧૮૮૩માં “બનાવી પ્રસિદ્ધ કરનાર શ્રીમદ્ (મહેતા રાયચંદ રવજીભાઈવવાણઆ બંદર) પોતે જ હતા. આ પ્રથમ ભાગ પણ ચાર ભાગમાં વિભક્ત કરેલ છેઃ (૧) પ્રથમ વિભાગમાં પરમેશ્વર પ્રાર્થનાદિ અંગે, ક્ષણભંગુર દેહ અંગે, માતાની પુત્રીને શિખામણ અંગે, વખત નકામે નહીં ગાળવા અંગે, ઉદ્યમ અંગે—બધી મળીને ૮ ગરબીઓ છે; (૨) બીજા વિભાગમાં વિદ્યા, કેળવણી, સુગ્રંથ વાંચવા, જ્ઞાન વધારવા, અને સારી શીખ સુણવા વિષે ૭ ગરબીઓ છે; (૩) ત્રીજા વિભાગમાં સુધરવા, સગુણ સજવા, સુનીતિ સજવા, સત્ય, પરપુરુષત્યાગ અને
વ્યભિચાર દોષ વિષે કુલ ૮ ગરબીઓ છે; (૪) સગણ સજજની અને સબ ધશતક છે. સ્ત્રીઓમાં પ્રચલિત લોકપ્રિય રાગોમાં-ઢાળામાં ગરબીની સુંદર શૈલીથી સંગીત કરેલી આ હૃદય હલમલાવી મૂકે એવી સુમધુર ભાવવાહી કાવ્યકૃતિઓ ઉત્તમ ગેય ગુણ ધરાવે છે; વિષય અને પાત્રને અનુરૂપ ભાવથી ભરેલી ગંગાસોત જેમ પ્રવહતી ભાષામાં આલેખાયેલી આ કાવ્યકૃતિઓમાં ચમક-અનુપ્રાસાદિ તાણતષીને આણવા પડતા નથી પણ સહજ સરલપણે સ્વયં આવે છે, એટલું જ નહિં પણ માધુર્ય—પ્રસાદાદિ કાવ્યગુણો આપોઆપ ઝળહળે છે. વર્તમાનમાં આ ગ્રંથ દુર્લભપ્રાય હોવાથી તેના નમુનારૂપ કેટલાક અવતરણો અત્રે ટાંકણું, જેથી સુજ્ઞ વાચકને ચરિત્રનાયકના તત્કાલીન જીવનપ્રવાહને કંઈક ખ્યાલ આવશે–
દેશહિત દયાળ કરાવ, નમું તને હેતે રે, જેથી ઉપજે આનંદભાવ, નમું તને હેતે રે. કાળ હરે છે સર્વને રે, કાં તો સ્વર્ગ કાં તો નર્ક રે; રાજાધિરાજ ગયા અરે રે, થયા એહ તો ગર્લ રે.