SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બાલવયનું સાહિત્યસર્જન ઉપલબ્ધ કૃતિઓ પૈકી નીચેની કેટલીક કૃતિઓનું વિહંગાવલોકન કરશુંઃ (૧) સ્ત્રીનીતિબેધક, (૨) પ્રાસ્તાવિક કાવ્ય; (૩) વિવિધરસવિષયક કાવ્ય; (૪) રાજાને, (૫) પુષ્પમાળા. આમાં પ્રથમ ત્રણ કાવ્યકૃતિઓ પદ્યવિભાગમાં અને છેલ્લી બે ગદ્યવિભાગમાં સમાય છે. આનું અત્રે અનુક્રમે અવલોકન કરશું સ્ત્રીનીતિબોધક હાલ સ્ત્રીકેળવણુ ઘણું આગળ વધી છે, પરંતુ જે જમાનામાં શ્રીમદ્જીએ આ સ્ત્રીનીતિબોધક (ગરબાવલી) ગ્રંથ ૧૪-૧૫ વર્ષની વયે લખ્યો છે, તે જમાનામાં હજુ સ્ત્રીકેળવણીને પ્રસાર થવાનો પ્રારંભ જ થયો હતો, તેમજ બાળલગ્ન-વૃદ્ધવિવાહ આદિ સામાજિક અનિષ્ટો પણ પૂર જોરશોરથી ચાલી રહ્યા હતા, અજ્ઞાનની ગર્તામાં ગબડી રહેલા લેકે રૂઢ ને મૂઢ રૂઢિ-વહેમ આદિની શૃંખલામાં જકડાયેલા હતા. ત્યારે કવિ નર્મદાશંકરે સુધારાને પવન ફૂંકવાનું શરૂ કર્યો હતો, કવિ દલપતરામે નીતિવિષયક સરલ કવિતાઓ લખવાને પ્રારંભ કર્યો હતો. લોકોમાં કુધારો બહુ વ્યાપક બન્યો હતો, તેને નિવારવા માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર હતી. સ્ત્રીકેળવણી અંગેની દુર્દશા, કુધારા આદિ દેખી નિસર્ગકવિ શ્રીમદનું કરુણુદ્ધ કવિહૃદય દ્રવી ઉઠયું હતું અને તેથી તેમણે પિતાનું ઊર્મિશીલ સંવેદન સ્ત્રીઉપયોગી સરલતમ ગરબીએરૂપ આ સ્ત્રીનીતિબોધક ગેય કાવ્યમાં ઠાલવ્યું હતું. બે-ચાર ગુજરાતી ભણેલી સ્ત્રીઓ પણ સરળતાથી સમજી શકે એવી સરલ સચોટ સહજ વેધક વાણીમાં આ સાહિત્યસર્જન તેમણે કર્યું છે. નવલરામની ગરબીઓ કરતાં પણ સરલતર ને મધુરતર આ ગેય કાવ્યમાં તેમને દેશપ્રેમ ને દેશહિત પદે પદે ઝળકે છે. આ ગ્રંથના મુખપૃષ્ટ (Title page) પર જ તેમણે કાવ્યરસિકના મસ્તક ડેલાવે એવો ભૂજંગી છંદ મૂક્યો છે તે આનું પ્રજનસર્વસ્વ દર્શાવે છે – થવા દેશ આબાદ સૌ હોંશ ધારો, ભણાવી ગણાવી વનિતા સુધાર; થતી આર્યભૂમિ વિષે જેહ હાનિ, કર દૂર તેને તમે હિત માની.” દેશપ્રેમથી છલકાતા ને દેશદાઝથી દ્રવતા હૃદયે કવિ રાયચંદ્ર ત્યાં જ પ્રારંભમાં કરે છે–કુધારાએ હિમ્મત ધરી બહુ હુમલે કરી ખરેખર ! વધારે વધારે જોર દર્શાવ્યું છે, સુધારાની સામે જેણે (કુધારે) હસીને કમર કસી છે અને જે નિત્ય નિત્ય કુસંપ લાવવાને ધ્યાન ધરે છે, તેને કાઢવાને માટે તમે સ્ત્રીકેળવણી આપો! બીજા જે બહુ નડે છે તે નઠારા કુચાલે-કુરિવાજો કાઢો! રાયચંદ્ર પ્રેમથી કહે છે–સ્વદેશી સુજાણ જનો હવે દેશહિત કેમ નહિં આદરે? સજજનેના મન હરનારૂં મનહર છંદમાં સંગીત કરેલું ભાવવાહી કાવ્ય આ રહ્યું કુધારે કરેલે બહુ હુમલે હિમ્મત ધરી, વધારે વધારે જોર દરશાવિયું ખરે; સુધારાની સામી જેણે કમર કસી છે હસી, નિત્ય નિત્ય કુસંપ જે લાવવા ધ્યાન ધરે, તેને કાઢવાને તમે નાર-કેળવણી આપો, કુચાલે નઠારા કાઢે બીજા જે બહુ નડે; રાયચંદ્ર પ્રેમે કહે સ્વદેશી સુજાણ જને, દેશહિત કામ હવે કેમ નહિ આદરે ?'
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy