________________
અધ્યાત્મ રાજચંદ્ર સૂત્રસિદ્ધાંતનું ખરૂં જ્ઞાન અંતઃકરણમાં વસી શકે. નીતિભક્તિ, અહિંસા, શીયળ અને અધ્યાત્મ સંબંધી એ ગ્રંથ ગુંથવા પ્રયત્ન કરે છે, તેમ કેટલાક ગુંચ્યા પણ છે. મોક્ષમાળા નામે એક સુંદર ગ્રંથ હમણા બહાર દેખાવ દેનાર છે. ૪ ૪ તે ત્રણ દિવસમાં રચ્યો હતો. X X જે મોક્ષમાળામાં ખરેખર મોક્ષનો માર્ગ મતભેદ વિના બો છે અને જે મોક્ષમાળા સૂત્રસિદ્ધાંતને ટોડો છે. નમિરાજ નામે એક સંસ્કૃતના મહાકાવ્યને નિયમાનુસારે એમણે ગ્રંથ રચ્યો છે. જેમાં શાંતરસ પ્રાધાન્ય રાખીને નવ રસની રેલછેલ કરી મૂકી છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ પાંચ હજાર લેકનાં પૂરનો ગ્રંથ એમણે છ દિવસમાં રચ્ચે હતો. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ દેવાંશી નરની કવિત્વશક્તિની લાલિત્યતાનું ભાન થાય છે. એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર શ્લોકનો ગ્રંથ એક દિવસમાં રચ્યો છે, જે હમણા ધ્રાંગધ્રાના એક ડાકટર પ્રસિદ્ધ કરનાર છે. ૪ X એક ધર્માચાર્યે એક હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું કે મારા ધર્મના થોડાએક શ્લોક કરી આપે, પરંતુ એથી એ દેવાંશી નરનું મન ચળ્યું નહોતું. ધન્ય છે એની જનેતાને ! વૈરાગ્યવિલાસ નામે જૈનધર્મનું એક ચોપાનિયું હમણાં એઓ બહાર પાડે છે.” એક સમકાલીન નિકટ પરિચયીએ ઉલલેખેલ આ ગ્રંથે પૈકી એક માત્ર મેક્ષમાળા ગ્રંથ ઉપલબ્ધ છે અને શ્રીમદ્દની અમર કૃતિ તરીકે સુપ્રસિદ્ધ છે, એ અંગે એક અલગ જુદા જ પ્રકરણમાં આપણે વિસ્તારથી વિચારશું; બાકીના ગ્રંથ અનુપલબ્ધ છે, એટલે એ અંગે લખી શકવાનું કંઈ સાધન નથી, પરંતુ એ ગ્રંથ અવશ્ય લખાયા હતા ને છપાવાની તૈયારીમાં હતા, એ સાક્ષાત્ જેનાર “સાક્ષાત્ સરસ્વતી કારના ઉલ્લેખ પરથી સ્પષ્ટ જણાય છે. કેઈ અજ્ઞાત કારણથી તે છપાવા રહી જવા પામ્યા હશે, એ અંગે કલ્પનાના ઘોડા દોડાવવા અસ્થાને છે. છતાં આ પરથી એટલું તો સ્પષ્ટ સમજાય છે કે આ નાના મહાત્માના મનોરથો કેટલા મોટા હતા ! આ બાલ મહાત્માની લોકપકારી જનાઓ કેવી મહાન હતી! શાસ્ત્ર સર્વસ્વરૂપ સર્વગ્રાહી સપ્ત શાસ્ત્રની એમની આ મહાન વૈજના ફળીભૂત થઈ હોત વા તેને લખાયેલો અંશ પણ ઉપલબ્ધ થયે હેત, તો કાકાશમાં દિવ્ય પ્રકાશ રેલાવતી તે, આકાશમાં સપ્તર્ષિની જેમ નિરંતર ચમકતી રહી, વિશ્વમાં અમર સ્થાન પામી હોત! ઉપનિષદરૂપ કામ ધેનુને દેહીને જે “ગીતા”રૂપ નવનીત મંથવામાં આવ્યું, તે જેમ જગતમાં અમૃત બની ગયું, તેમ સૂત્રસિદ્વાંતરૂપ કામધેનુના સંદેહરૂપ “સપ્ત સિદ્ધાંતની શ્રીમદની આ મહાભય પેજના જ સાંગોપાંગ પાર ઉતરી હોત, તો તે જગને તત્ત્વઅમૃતનું પાન કરાવનારી એક અમૃત કૃતિ બની જાત! તેમજ-માત્ર છ દિવસમાં રચાયેલું ૫૦૦૦ લેક પૂરનું મહાકાવ્ય જે ઉપલબ્ધ થયું હતું, તે મહાકવિઓના મસ્તક ડોલાવે ને કવિત્વઅભિમાનીઓના માનનું મર્દન કરે એવી એક મહાન સાહિત્યકૃતિની જગતને ભેટ મળત! આમ નિર્ધારિત છતાં અનિર્વાહિત વા અંશે નિર્વાહિત, અને ઉલિખિત તેમજ લિખિત છતાં ગમે તે અજ્ઞાત કારણથી “ગેરવલે ગયેલ કેટલીક સાહિત્યકૃતિઓ ઉપલભ્ય ન થવા પામી તેટલે જગતને ગેરલાભ થયે લા લાભાંતરાય થયો, તેને અત્ર ખેદ દર્શાવી