SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૬૮૩ મેાતીલાલ વિચાર કરતા હતા. ત્યાં કૃપાનાથે કહ્યું કે આ શરીર અમારી સાથે કજીએ કરે છે, પણ અમે પાર પાડવા દેતા નથી.' એવા શ્રીમદ્ જેવા પરમ અવધૂત ચેાગીન્દ્રની સાક્ષાત્ સેવાને પરમ ધન્ય લાભ ઊઠાવનાર આ મેાતીલાલભાઈ પેાતાની પરિચયનાંધમાં લખે છે—કૃપાનાથ ફક્ત એક જ પોંચીયું પહેરતા હતા, અને તે પંચીયું વચ્ચેથી પહેરી એ બાજુના છેડા ખભા ઉપર નાખતા હતા. શરીર કાંટા સરખુ’ હતું, પણ સામર્થ્ય અત્યંત હતું. કૃપાનાથજી વખતે વચનામૃત ખેલતા તે વખતે પાંચ ખેતરવા દૂરથી પણ વેગ સભળાતા હતા. તેમાં કૃપાનાથ પાતે ગાથાઓ ખેલતા હતા તે ગાથાએ આનંદઘનજી મહારાજ તથા ધીરા ભગતની ખેલતા હતા. જે વખતે વેગ ચાલતા હતા ત્યારે હું પાંચ છ ખેતરવા દૂરથી આવતા હતા, તે વખતે મને અનુભવ થયા હતા.' ઇત્યાદિ. આમ અવધૂત આનંદધન આદિના પદોની ધૂના લલકારતા અને ‘મારગ ચલત ચલત ગાત આનંદઘન, રહત આનંદ ભરપૂર' એવા અવધૂત આન ંદઘનનું સ્મરણ કરાવતા આ અવધૂત યાગીન્દ્ર રાજચંદ્ર ઉત્તરખડાના વનક્ષેત્રમાં અખંડ આત્મધ્યાન ધરતાં મહામુની દ્રદશાના સાક્ષાત્કાર સત્યકાર કરાવતા હતા. તથારૂપ અતરંગ આત્મારામી મહામુનિદશાસંપન્ન આ અવધૂત ચેાગીદ્ર મહામુનીદ્રની વનક્ષેત્રસ્થિતિ સમયની વનચર્યાંના સાક્ષી સાક્ષાત્ નજરે જોનારા મોતીલાલભાઇએ તેમની જે દિનચર્યાં નોંધી છે તે પરથી સ્વય' સમજાય છે કે—ભાવથી આ મહામુનીંદ્ર ઉત્કૃષ્ટ કોટિની અપ્રમત્ત મુનિચર્યા જ આચરી રહ્યા છે, અને પેાતાની પૂર્વનિર્દિષ્ટ હાથનેાંધમાં (ર-૧૧, ૧૨, ૧૩) સૂત્રિત કરેલા અપ્રમત્ત યાગશ્રેણીઆરોહણુના મહાન્ સૂત્રોને અખંડ આત્માપયેાગથી રિશ્તા કરી રહ્યા છે, અરે! આ કાળમાં ભાગ્યે જ દર્શન થાય એવી આ અદ્ભુત અપ્રમત્ત આચરણાનું અનન્ય આત્મપરાક્રમ આદરી રહ્યા છે. કારણ કે આ અવધૂત ચેાગીદ્રની—ભલે અવધારિત અભિગૃહીત સમયપૂરતી પણ—દિનચર્યામાં આપણે જોયું તેમ—આ અપ્રમત્ત મહામુનીદ્ર આખે દિવસ રાત અપ્રમત્તપણે સ્વાધ્યાય-ધ્યાન ધરતા હતા. પ્રાતઃકાળે પ્રથમ પ્રતુરે વનમાં ધ્યાન ધરતા, ખીજા પ્રહરે બંગલીના ઉપાશ્રયે સ્વાધ્યાય, ત્રીજા પ્રહરે આહારાદિ, ચેાથા આદિ પ્રહરે વનમાં ધ્યાન, રાત્રીના શેષ પ્રહરે સ્વાધ્યાય-ધૂન એમ દિવસ ને રાત અપ્રમત્ત મુનિચર્યાં આચરતા હતા; રાત્રે પણ નિદ્રા ન લેતાં ગાથાઓની ધૂનમાં જ મચ્યા રહેતા હતા, એઢવા-પાથરવા–સુવા આદિ ખાહ્ય ભાવામાં અત્યંત નિરપેક્ષ ઉદાસીન હતા; વસ્ત્રમાં માત્ર એક ટૂંકું પંચિયું જ પરિધાન કરતા હતા, આહારમાં માત્ર એક વખત જ એ રૂપીઆભાર રોટલી ને નવટાંક દૂધ જેટલેા જ શુદ્ધ સાત્ત્વિક સૂક્ષ્મ નહિ" જેવા આહાર કરતા હતા,—અને તે પણ નહિ' યાચતાં-અયાચકપણે કાઈ આપે તે જ લેતા હતા; યાચના પરીષહ, ક્રે'શમશક પરીષહ, ક્ષુધા પરીષહ, તૃષા પરીષહ, તૃણુ–કંટક પરીષહ એ આદિ પરીષહો સમભાવે સહતા હતા; ઈર્ષ્યાસમિતિ આદિ સાચવી અડવાણે પગે ચાલતા હતા; અદ ંતધાવન, અસ્નાન, કેશ-રામ-નખાદ્ધિ અસમાજ ન—અપરિક એ આદિ પરમ પ્રસિદ્ધ ખાદ્ય નિગ્રંથ આચરણ પણ યથા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy