SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨ અધ્યાત્મ રાજચંદ્ર નહીં, પાછળથી સર્પ જોતાં જ મેતીલાલના આશ્ચર્યને પાર રહ્યો નહીં. પછી શ્રીમદે આગળ ચાલવા આજ્ઞા કરી એટલે ચાલવા માંડ્યું. નડીયાદની ભાગોળના ઝાંપા સુધી ગયા ને બંગલે જવાને જુને રસ્તો જે શ્રીમદે બતાવ્યો હતો તે રસ્તે થઈને બંગલે ગયા. રસ્તે ચાલતાં શ્રીમદે બોધ આપવો શરૂ કર્યો હતે. અને પ્રસંગથી જગને અમર સંદેશો આપે, એવા તે બેધના પ્રસંગમાં ને પ્રસંગમાં અપૂર્વ આત્મ પુરુષાર્થની પ્રેરણું કરતાં શ્રીમદે શ્રીમુખે આ આત્માનુભવસિદ્ધ પરમ અદ્ભુત રહસ્યવાર્તા પ્રકાશી હતી. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છેવર્તમાનમાં માર્ગ કાંટાથી ભર્યો છે, કે જે કાંટા ખેડતાં અમને જે શ્રમ વેઠવો પડયો છે તે અમારે આત્મા જ જાણે છે, વર્તમાનમાં વિશેષ જ્ઞાની મળ્યા હોત તો અમે તેની પુંઠે પુઠે ચાલ્યા જાત. તમને તો પ્રત્યક્ષ જ્ઞાનીના જોગ છતાં એવા જેગથી જાગૃત થતા નથી ! પ્રમાદને દૂર કરી જાગૃત થાઓ! અમે જ્યારે શ્રી વીર પ્રભુના છેલા અંતેવાસી શિષ્ય હતા, ત્યારે લઘુશંકા જેટલા પ્રમાદ કરવાથી અમને આટલા ભવ કરવા પડ્યા છે ! પરંતુ જીવને પ્રમાદને લઇને ભાન થતું નથી, જીવને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે. પ્રમાદ છોડ ! પુરુષાર્થ કરે! જાગૃત થાઓ ! આ લેગ મળ પરમ વિકટ છે. મહાપુણે પ્રાપ્ત થયેલ આ જગ વ્યર્થ ન ગુમાવે. અમારું કહેવું ગમે તે પ્રકારે થતું હોય પણ તે કેવળ જાગૃતિ અને પુરુષાર્થને પ્રેરવા અથે જ છે.' આમ બોધ ચાલતું હતું. પછી બંગલે આવ્યા. શ્રીમદ્દ હીંચકા પર ગાથાઓની ધૂનમાં ને ધૂનમાં બેઠા ને અપ્રમત્ત જાગૃતપણે રાત્રી નિર્ગમન કરી. બીજે દિવસે પ્રાતઃકાળની તે જ દિનચર્યા પછી બપોરને વખત થયો. મેંતીલાલે આગળથી જ તેમના પત્નીને સૂચના આપી હતી કે મેલટ્રેન ઉપડ્યા બાદ તમારે જમવાનું લઈને ચાર ખેતરવાને છેટે બેસી રહેવું. પછી હું આવીને જમવાનું લઈ જઈશ. તે પ્રમાણે મોતીલાલ જમવાનું લેવા જાય છે, ત્યાં તે તેમના પત્ની નવલબહેન નજીક આવી પહોંચ્યા. તેથી મોતીલાલે તેમને ઠપકો આપે અને ગુસ્સે થયા, કારણ કે તે વાત સાહેબજીને જણાવવી નહોતી. પણ તે વાત શ્રીમદ્જીએ જ્ઞાનબળથી જાણી લીધી અને તીલાલને કહ્યુંશા માટે તમે ખીજ્યા ? તમે શું ધણીપણું બજાવે છે? નહીં, નહીં, તેમ ન થવું જોઈએ. ઉલટ તમારે તે બાઈને ઉપકાર માનવો જોઈએ. આ બાઈ તો આઠમે ભવે મેક્ષિપદ પામવાના છે. એમ કહી આજ્ઞા કરી કે બાઈને અહીં આવવા દ્યો. એટલે શ્રીમદની આજ્ઞાથી મોતીલાલના પત્ની નવલબહેને શ્રીમદ્દના પાવન દર્શન કર્યા, અને આવા પરમ સંતના મને દર્શન થાય તો કેવું સારું એમ પિતે ઘરથી નિકળતાં કરેલ ભાવના–મને રથ પૂર્ણ થવાથી પરમ હર્ષ પામ્યા અને પરમ પુણ્યોપાર્જનથી ધન્ય બન્યા. દર્શન કરી તે બાઈ ભવને ભાર ઉતારી ચાલ્યા ગયા. આહારમાં રોજ શ્રીમદ્ માત્ર બે રૂપીઆભાર રોટલી, ભાત અને થોડું (નવટાંક) દૂધ, એમ એક જ વખત ભેજન લેતા,–અને તે પણ યાચીને નહિં, પણ અન્ય આપે તે જ લે, નહીં તે ન લે. આવા સૂક્ષ્મ આહારથી શરીરને અને અનાજને કેટલો સંબંધ છે એવી રીતે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy