________________
વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર
૬૭૩
કરી—ગાવી દઈ અપૂર્વ અનન્ય આત્મચેાગસાધના સિદ્ધ કરી હતી. આ કાળમાં ભાગ્યે જ જોવા મળે એવી પરમ અપ્રમત્ત આત્મસયમધારા આ પરમ ચેાગારૂઢ ચેાગીશ્વરે અનુભવસિદ્ધ કરી હતી. આમ અખંડ આત્મસાધના કરતાં કાવિઠા–વસે - ઉત્તરસંડા—ખેડાના વનક્ષેત્રમાં સ્થિતિ કરતા આ અવધૂત ચેાગીન્દ્ર રાજચંદ્રનું અત્ર દર્શન કરાવશું.
૧. કાવિઠા નક્ષેત્ર
સ. ૧૯૫૪ના શ્રાવણ વદમાં શ્રીમદ્ મુંબઇથી પેટલાદ થઇ શ્રા. વદ ૧૦ના ક્રિને નિવૃત્તિક્ષેત્ર કાવિઠા પધાર્યા. અને ત્યાં પર્યુષણુપની અપૂર્વ આરાધના કરી– કરાવી ભાદરવા શુદ ૧૩ સુધી સ્થિતિ કરી હતી. સેવામાં સતત ઉપસ્થિત મહામુમુક્ષુ અંબાલાલભાઇ તે ત્યાં હતા જ, તેમજ લહેરાભાઈ, ત્રિભુવનભાઈ, વનમાલીભાઇ, પેાપટલાલભાઇ, ઝવેરભાઇ, કુંવરજીભાઇ મગનલાલ વગેરે મુમુક્ષુએ પણ આ પરમ સત્પુરુષના સાન્નિધ્યમાં પર્યુષણુપર્વ આરાધનાના ધન્ય લાભ પામનારાએમાં હતા. ચેાથા આરામાં પણ ન મળે એવા પર્મ સત્પુરુષના સત્સંગમાં પરમાના રંગ જામ્યા હતા અને ચેાથે આરે પ્રત્યક્ષ થતા હતા અને જ્ઞાનચર્ચા ચાલતી હતી. અનેક મેધપ્રસંગો બન્યા હતા. શ્રી ઝવેરભાઇના મકાને એધપ્રસંગમાં શ્રીમટે પ્રકાશ્યું હતું— (૧) સત્પુરુષા અન્યાય કરે નહિં; સત્પુરુષા અન્યાય કરે તેા પછી જગમાં વરસાદ કેાના માટે વરસશે? સૂય કાના માટે ઊગશે ? વા કેાના માટે વાશે ? (૨) સત્પુરુષના સદ્ભાવે કુગુરુએ પેાતાના વાડા સાચવવા જાગૃત થાય છે, અને પેાતાના વાડામાંથી જીવા ખેંચાઇ ન જાય એ માટે સત્પુરુષની નિંદા કરવા માંડે છે. આથી સત્પુરુષના દ્રોહ થાય છે, જીવાને સત્પુરુષપ્રાપ્તિના અંતરાય આવે છે, અને એ અનેના કારણરૂપ થઈ કુગુરુ મહામેાહનીય કમ ખાંધે છે. (૩) આત્માને એક રીતે પારાની ઉપમા આપી શકાય. પારા જેમ સડવા દેતા નથી તેમ આત્મા જ્યાં સુધી શરીરમાં ડાય ત્યાં સુધી શરીર સડતું-પડતું નથી; આત્મા ચાલ્યેા ગયે શરીર સડવા માંડે છે. એવી અપૂર્વ વસ્તુ આત્મા છે. (૪) ભિન્ન ભિન્ન ક`પ્રકૃતિયેાગે આ સંસારમાં અનેક જીવ ભિન્ન ભિન્ન પ્રકારે તે પ્રકૃતિ, પાપ-પુણ્ય, સુખ-દુઃખ, સાગ-વિયેાગ આદિ અનુભવી રહ્યા છે. એક રીતે તેના ચાર પ્રકાર પણ કરી શકાય—એક ઉગ્યા અને ઉગ્યા–, અર્થાત્ આ ભવમાં પણ વૈભવસ'પન્ન સુખી, અને પછી પણ સુખી. શ્રી ભરતચક્રીની પેઠે, પુણ્યાનુબંધી પુણ્યવાન્ એક ઉગ્યે અને આથમ્યા; અર્થાત્ આ ભવે સુખી, પશુ પછીના ભવે દુઃખી; પાપાનુબંધી પુણ્યવાન, શ્રી બ્રહ્મદત્તચક્રીની પેઠે. એક આથમ્યા અને ઉગ્યા; અર્થાત્ આ ભવે. સંકટમાં, પણ પછી સુખી, પુણ્યાનુબંધી પાપવાન્, રિકેશી મુનિની પેઠે એક આથમ્યા અને આથમ્યા. અર્થાત્ વત્તમાનમાં જૂથ કરે છે, અને દુઃખી છે. અને હવે પછી ઉપાજેલાં પાપને લઈ દુઃખી થશે.
ભાષાનુબધી પાપવાનું, કાલિકસૌ કસાઇની પેઠે. (૫) જીવ કમ માંધે, પણ અબલાકાળ સુધીમાં તેમાંથી છૂટવા માગે તે છૂટી શકે. અર્થાત્ કમ વિખેરી તેમાંથી મુક્ત
-૧