SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારે, ધૂન અને મહાન ભાવનાસૂત્રો ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે; દિનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે છે. સુખદુઃખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદે રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” ખંભાતવાળા શ્રી છોટાલાલભાઈ માણેકચંદ પણ નેંધે છે કે–૧૯૪૬ના આશે વદમાં શ્રીમદ્દ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈના મકાને હીંચકા પર બિરાજેલા શ્રીમદ–“અબ હમ ભયે ન મરેંગે..અબ હમ અમર ભયે ન મરેંગે....કમઠદલન જિન બંદત બનારસી.” એ પદના ઉચ્ચાર વારંવાર કરતા હતા. અને પદમશીભાઈ ઠાકરશી નોંધે છે કે– પૂજ્યશ્રી (શ્રીમદ્જી) વખતે વખત આ નીચે જણાવ્યા છે તે પદોમાંનું કોઈ પણ પદ તથા બીજા ઘણું પદ કે વગેરેમાંનું કઈ પણ એક વખતે રટણ કરતા– “ધૂળ જેસો ધન જાકે શૂળ શો સંસાર સુખ, ભૂલ જેસે ભેગ દેખે અંત જેસી યારી હૈ. કીચસો કનક જાકે, નીચ નરેશ પદ, મીચસો મિત્તાઈ ગરવાઈ જાકે ગારી; જહરસી જેગ જાતિ કહરસી કરામતી, હહરસી હસ પુદગલ છબી છારસી, જાલસે જગવિલાસ, ભાલ સે ભુવનવાસ, કાલસે કુટુંબ કાજ, લોકલાજ લારસી; સિઠસો સુજસ જાને, બીઠ વખત માને, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી. એ ગુણ વીર તણે ન વિસારું, સંભારું દિન રાત રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે, મિયા મેહ તિમિર ભય ભાગું, છત નગારૂં વાગ્યું રે. છઉમથ વીરજલેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે; સૂક્ષ્મ સ્થળ ક્રિયાને રંગે, ચોગી થયે ઉમંગે રે. ૩. પરમ ભાવિતાત્મા શ્રીમદના મહાન ભાવના હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચિતન્યમૂત્તિ આત્મા છું એવી આત્મભાવના દઢ કરાવતા અનેક પરમ પરમાર્થગંભીર મહાનું સૂત્રો શ્રીમદે જગને ભેટ આપ્યા છે. ટંકેલ્કીર્ણ ચલણી સિકકા જેવા આ અમૃત સૂત્રો એટલા બધા સુપ્રસિદ્ધ છે કે તે મુમુક્ષુજનેની જીભને ટેરવે રમી રહ્યા છે. તેમાંના કેટલાક આ રહ્યા– આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે, શુદ્ધતા મેં થિર શૈ, અમૃતધારા વરસૈ,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy