________________
દ્રવ્યાનુગાદિ સંબંધી મહાપ્રબંધ રથના
૬૫૫ બહુ પ્રકારે ઈચ્છા છતાં તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ?—એ પ્રશ્નની સૂલમતમ મીમાંસા કરતાં શ્રીમદ્દ પ્રકાશે છે–જે વિચારવાને દુઃખનું યથાર્થ મૂળકારણ વિચારવા ઊઠયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણું યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લેકે તેને અનુસરવા પણ લાગ્યા. જગમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે.” આમ સામાન્યપણે કથન કરી શ્રીમદ્ આ દુઃખનિવૃત્તિને જે યથાર્થ ઉપાય સમ્યગદર્શનાદિ વીતરાગે એ દર્શાવ્યો છે, તેનું સૂક્ષ્મતમ તલસ્પર્શી વિચારણા પ્રકાશનું આવું સમ્યગદર્શન કરાવે છે અને તેમાં કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનનું મુખ્ય પણું દર્શાવી આ સમ્યગદર્શનાદિની આવી અદૂભુત સંકલના સમજાવે છે –
જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર અથવા તે ત્રણેનું એક નામ સમ્યક્મક્ષ
સમ્યાન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રમાં સમ્યક્રદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જે કે સમ્યજ્ઞાનથી જ સમ્યદર્શનનું પણ ઓળખાણ થાય છે, તોપણ સમ્યદર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુ:ખના હેતુરૂપે હેવાથી સમ્યક્રશનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે.
જેમ જેમ સમ્યદર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્મચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે; અને ક્રમે કરીને સમ્યક્ઝારિત્રની પ્રાપ્તિ થવાને વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને કર્મ કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે, અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વકર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.
સમ્યદર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યસ્વભાવને પામે છે એ સફદર્શનને પરમ ઉપકાર છે, તેમ સમ્યદર્શન કેમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સચ્ચકચારિત્રને પ્રાપ્ત થાય તેને અથે સમ્યજ્ઞાનના બળની તેને ખરેખરી અવશ્યકતા છે. તે સમ્યકજ્ઞાનપ્રાપ્તિને ઉપાય વીતરાગકૃત અને તે શ્રુતતોપદેષ્ટા મહાત્મા છે.”
આમ સમ્યગદર્શનાદિ ઉપાયની સંકલનાબદ્ધ મીમાંસા કરી આ સર્વનાં મૂળ આધારભૂત કૃતતોપદેષ્ટા-વીતરાગધ્રુતના તત્ત્વ–પરમાર્થ રહસ્યને ઉપદેશનારા મહાત્માના યુગની અતિશય કઠિનતા–પરમ દુર્લભતા દર્શાવી છે કે – તરવા મurt તથારૂપ તેવા પ્રકારની આત્મદશાવાળા શ્રમણ મહાત્માઓને વેગ આવા “દુખ મુખ્ય દુઃષમ કાળમાં બહુ બહુ દુર્લભ છે, અને કવચિત્ તેવો ચગ બની જાય તે “શુદ્ધ વૃત્તિમાન” ખરા મુમુક્ષુને મુહૂર્તમાત્રના સમાગમમાં પણ અપૂર્વ ગુણ પ્રાપ્ત થાય એમ છે એમ જણાવી, તેવા મહાત્મા સન્દુરુષના યોગને નિત્ય લાભ મળે તે અર્થે સર્વસંગત્યાગ ને તે ન બને તે દેશત્યાગને ઉપદેશ કરી, તે મહાત્માના અનન્ય ઉપકારને મહામહિમા ગાયો છે કે –“તે મહાત્મા પુરુષના ગુણાતિશયપણાથી, સમ્યક