________________
ધન્ય રે દિવસ આ અહે!
૬૪૧ એવી નિર્વિકલ્પ દશા અત્ર આવિર્ભત થઈ અપ્રતિપાતી નિશ્ચયસમ્યક્ત્વ સાંપડયું છે. શ્રીમદની દર્શનશ્રદ્ધા સાક્ષાત નિશ્ચયઅનુભવરૂપ હાઈ અત્યંત વજલેપ ગાઢ બની છે. વીતરાગના તે પરમ અનુયાયી, અનન્ય ભક્ત પ્રતીત થાય છે. આ દર્શનમેહ વ્યતીત થયા પછી ચારિત્રમેહની ક્ષીણતા કરવા ભણી તેમનું આત્મવીર્ય પરમ ઉલ્લાસથી સતત પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેમની વીતરાગતા સમયે સમયે પ્રવર્ધમાન થતી જાય છે. પણ ત્યાં બાહ્ય ઉપાધિને પ્રારબ્ધદય ઉગ્ર રૂપ પકડે છે. અને આમ શુદ્ધ સમક્તિ તો પ્રકાશું, પણ ત્યાં શું બન્યું? ત્યાં તે કારણે ઉદય આવી પડ્યો ને તેને આ હૃદયભેદી તીવ્ર ચીત્કાર શ્રીમદ્દના અંતરાત્મામાંથી નિકળી પડો
ત્યાં આવ્યા રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, વધે ન ઘટે એક રંચ રે...ધન્ય રે દિવસ આ અહો ! ”
શ્રીમદને દિવ્ય આત્મા એક બાજુથી અધ્યાત્મની દશામાં એકદમ તીવ્ર સંવેગથી આગળ વધતો જતો હતો, ત્યાં બીજી બાજુથી એક એવા પ્રકારને પ્રારબ્ધઉદય આવી પડ્યો અને તે પણ કેવો? “કામ” –વસમે, સહ્યો ન જાય એવો આકરો ઉગ્ર, જેથી આત્માની ચીસ પડાઈ જાય તે. આમ પરમાર્થમાર્ગ પ્રકાશની પિતાની અંતરુ ધારણા ખળબે પડતી ગઈ, તેમાં અણધાર્યો અનિવાર્ય વિલંબ થતો ગયો, ને તેનો તીવ્ર ખેદ શ્રીમદ્દના અંતરાત્મામાં દાવા લાગે, તેની ચીસ આ શબ્દોમાં સંભળાય છે. રોક્ય ન રોકી શકાય એવો આ કારણે ઉદય આવી પડ્યો અને પરિગ્રહકાર્યનો પ્રપંચ વધતો ગયો,ગમે તેટલા પ્રયત્ન છતાં એકદમ બહાર ન નિકળી શકાય એમ વ્યવહારનો ભીડો વધતો ગયે. આ ઉદયન સંચરે ને પરિગ્રહના પ્રપંચને જેમ જેમ હડસેલીએ છીએ–ધક્કા મારી કાઢી મૂકવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ તે ઉલટો વધતું જાય છે,-એક પંચ પણ-જરા માત્ર પણ ઘટતો નથી,–“જેમ જેમ તે હડસેલીએ, વધે ન ઘટે એક રંચ રે', એમ શ્રીમદને અંતરાત્મા પિોકારે છે. પણ હવે તે પ્રપંચને ભાર ઓછો થતાં અપૂર્વ આત્મશાંતિ અનુભવતે શ્રીમદને દિવ્ય આત્મા પુનઃ ઉલાસમાં આવી જઈ પોકારે છે–
“વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે;
ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મન માંહિ રે...ધન્ય રે દિવસ આ અહે! ? આ પ્રારબ્ધઉદયપણું અને પરિગ્રહકાર્ય પ્રપંચપણું એમ ને એમ જ વધતું ચાલ્યું, પણ હવે–હમણાં ૧૯૫૩ના ફાગણમાં જ્યારે આ ધન્ય રે દિવસનું દિવ્ય કાવ્ય લખાઈ રહ્યું છે ત્યારે–તે કાંઈક-જરાક ક્ષીણ દીસે છે–દેખાય છે, એટલે ક્રમે કરીને તે સર્વથા જશે એમ અમારા મનમાં ભાસે છે. આમ એક દાયકા પછી–દશ વર્ષના ગાળા પછી, દશ વર્ષે રે ધારા ઉલસી’—દશ વર્ષે ધારા ઉલસવાને ધન્ય દિવસ આજે પ્રાપ્ત થ, વ્યવહારપ્રપંચ ઘટવાનો ને ઉદયકર્મનો ગર્વ મટવાને ધન્ય રે દિવસ આ અહો!ની પ્રાપ્તિથી અપૂર્વ આત્મશાંતિ જાગી, તેથી ઉપજેલે પોતાને મનને ભાસ શ્રીમદે અપૂર્વ ભાવઉલ્લાસથી દર્શાવ્યો અને આ અપૂર્વ આત્મભાવના ઉ૯લાસમાં ને ઉલાસમાં તેમના દિવ્ય આત્મામાંથી આ ઉલ્લાસ–ગાર નિકળી પડ્યા– અ-૮૧