SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજશ્ચંદ્ર પાંચ પદ મોક્ષપદ છે-કષાયાદિ બંધહેતુઓના અભ્યાસથી ને તે બંધભાવ ક્ષીણ થવાથી શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટવારૂપ મોક્ષપદ છે. દેવ–નરકાદિ ગતિમાં ફળ ભેગવવા વડે કરીને જેમ શુભાશુભ કર્મ સફળ છે, તેમજ તે શુભાશુભ કર્મની નિવૃત્તિની પણ સફળતા સંભવે છે. માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે. શુભાશુભ કર્મ ભોગવતાં અનંતકાળ વીત્યે, તે પણ જીવને કર્મદેષ હજુ એમ ને એમ જ વર્તામાન પડ છે, માટે એને મેક્ષ ક્યાંથી હોય ? એમ આશંકા કરવા યોગ્ય નથી. કારણ કે અનંતકાળ વીત્યે તે “શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે.” તે શુભાશુભ ભાવ છેવી શુદ્ધ ભાવમાં વર્તતાં આત્માને મેક્ષસ્વભાવ પ્રગટે; અને દેહાદિક સંયોગને, આત્યંતિક વિગ; સિધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ લેગ.”—એવી શાશ્વત મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય. છ8 પદ : તે મોક્ષને ઉપાય છે—કર્મબંધનથી છૂટવારૂપ મેક્ષ છે, તે તેને ઉપાય પણ છે. કારણકે “કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે.” મિથ્યાત્વાદિ બંધહેતુ તેના પ્રતિપક્ષી સમ્યક્ત્વાદિથી છેદાય છે. ક્રોધાદિ કષાય તેના પ્રતિપક્ષી ક્ષમાદિથી હણાય છે, આ સર્વના પ્રત્યક્ષ અનુભવની વાત છે. અનંતકાળના કર્મ અ૯૫ આયુષ્યવાળા મનુષ્યદેહમાં શાથી છેદ્યા જાય ? એ વિકલ્પ પણ કરવા એગ્ય નથી. જીવ જે અજ્ઞાનનિદ્રામાંથી જાગે તે અનંતકાળના કર્મ પણ ઊંઘ ભાગે,-એવું આ પુરુષાર્થનું બળ છે. કારણકે કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અર્થાત્ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે ને મોક્ષભાવ છે તે નિજ સ્વરૂપમાં વાસ છે; આ અજ્ઞાન છે તે અંધકાર સમાન છે, એટલે ચિરકાળના અંધકારની જેમ આ અજ્ઞાન અંધકાર જ્ઞાનપ્રકાશ થતાં તક્ષણ જ નાશ પામે છે. વળી આ આટલા બધા મતદર્શન છે, તે “સહુ થાપે અહમેવ,” તેમાં કો મત સાચે માનો? એમ મતની મારામારીમાં પણ મતિને મુંઝવી દેવા યોગ્ય નથી. કારણ કે રવિરોધ એ સર્વસંમત મોક્ષમાર્ગ આ પ્રકારે છે – જે જે બંધના કારણ છે, તે બંધને માગે છે, તે કારણની છેદક એવી આત્મદશા તે જ મોક્ષમાર્ગ છે. આ બંધકારમાં રાગ દ્વેષ ને અજ્ઞાન એ જ મુખ્ય કર્મગ્રંથિ (ગાંઠ) છે, તે જેથી છેદાય તે જ મોક્ષમાર્ગ છે. આ રાગાદિ સર્વ વિભાવના અને દેહાદિ સંગના આભાસથી રહિત એવો સત્, ચૈતન્યમય કેવળ-શુદ્ધ આત્મા જેથી પામિએ તે જ મોક્ષમાર્ગ છે. તેમજ કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ છે. અને તેમાં પણ મુખ્ય મેહનીય કર્મ છે; આ મોહનીયના બે ભેદ છે–દર્શનમોહનીય ને ચારિત્રમેહનીય; દર્શમેહનીયને આત્મબોધ હણે છે ને ચારિત્રમેહનીયને વીતરાગતા હણે છે,–આમ મેહને હણવાને અચૂક ઉપાય છે, અને એ જ સર્વ કર્મથી મુક્ત થવારૂપ મોક્ષના અમેઘ ઉપાયરૂપ મોક્ષમાર્ગ છે. આત્માના અસ્તિત્વથી માંડી આ મોક્ષના ઉપાય સુધીના સુધીના છએ પદની સર્વાગ સંપૂર્ણતા એ જ મોક્ષમાર્ગ છે. આ આ સર્વ. સંમત અવિરોધ મોક્ષમાર્ગ છે. મતદર્શનને આગ્રહ તેમજ વિકલ્પ છેડી દઈ, જે કઈ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy