SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન: “આ અવનિનું અમૃત બનાસતો વિરે માણો, નામાકો વિત્તે ત” (ગીતા-અસને ભાવ (હેવાપણું) હોય નહિં ને સને અભાવ હોય નહિં. એક સમય હોય તે સર્વે સમય હોય, માત્ર અવસ્થાતર હોય તે ભલે. “હેય તેહને નાશ નહિ, નહિં તેહ નહિં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” - ત્રીજું પદઃ આભા કર્તા છે–“સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, તેમ આત્મા પણ છે, માટે તે પરિણામક્રિયાને અ કર્મને કર્તા છે. પુરુષ (આત્મા) તે સદા અસંગ છે ને પ્રકૃતિ બંધ કરે છે એમ કોઈ કહે છે, તે યથાર્થ નથી. કારણકે ચેતનની પ્રેરણા વિના કર્મ કેણ ગ્રહણ કરશે વારુ? જડને સ્વભાવ કાંઈ પ્રેરણું નથી. માટે ચેતન એવા આત્માના કર્યા વિના કર્મ થતા નથી, અર્થાત્ જીવ કરે તે જ કર્મ થાય છે, નહિં તે નહિં. તેથી કર્મ સહજ સ્વભાવે અનાયાસે થતા નથી, તેમજ કર્મ એ જીવન ધર્મ પણ નથી. વળી આ આત્મા જે સર્વથા કેવળ અસંગ હોત, તે પ્રથમથી તેને સ્પષ્ટપણે ભાસ થવું જોઈતું હતું. હા, પરમાર્થથી તે અસંગ છે, પણ તે તે નિજસ્વરૂપનું ભાન પ્રગટ્ય તેમ હોય છે. ઈશ્વરની પ્રેરણાથી કર્મ થયા કરે છે, તેથી જીવ અબંધ છે એમ કોઈ કહે છે; પણ જગતને અથવા જીના કર્મોને કર્તા એ કઈ ઈશ્વર નથી, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવ જેને પ્રગટ છે તે જ ઈશ્વર છે. અને ઈશ્વરને જે કર્મને પ્રેરનાર ગણવામાં આવે છે તે જ દેષિત ઠરે ને તેના જ દેશને પ્રભાવ થાય. માટે આત્મા પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મને કર્તા છે.' ચેતન જે નિજભાનમાં, કર્તા આપસ્વભાવ; વતે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.' ચેાથે પદઃ આત્મા ભોક્તા છે—જે કરે તે ભગવે આ નિયમ પ્રમાણે આત્મા કર્મનો કર્તા હોવાથી તે કર્મના ફળને ભક્તા છે. કારણકે “જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે. કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે. અત્રે જડ એવા કર્મ તે શું સમજે કે તે ફળ પરિણામ આપે? એવી શંકા પણ કરવા યોગ્ય નથી. કારણકે આત્મબ્રાંતિરૂપ ભાવકર્મ એ ચેતનનું પોતાનું સર્જન છે, માટે તે ચેતનરૂપ છે અને આ ભાવકર્મરૂપ ચેતનવીર્યની કુરણ જડ પુદ્ગલવગણ રહે છે. ઝેર કે અમૃત પિતે કાંઈ સમજતા નથી કે અમે આને આ ફળ આપીએ, પણ જે જીવ તે ખાય તેને તે તે ઝેર-અમૃતનું તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે, તેમ કર્મના સંબંધમાં પણ છે. એક રંક ને એક રાય” એ આદિ જગતનું વિચિત્રપણું કર્મના ચમત્કારને લીધે છે, અને એ જ શુભાશુભ કર્મનું ભક્તાપણું સિદ્ધ કરે છે. ફળદાતા એવા કોઈ ઈશ્વરની એમાં કંઈપણ જરૂર નથી, કારણકે અચિંત્ય સામર્થ્યવાળા કર્મ પિતાના સ્વભાવ પ્રમાણે પરિણમી ફળ આપે છે, અને ભગવ્યાથી નિઃસવ થયે દૂર થાય છે. તેમજ શુભાશુભ અધ્યવસાયની તરતમતારૂપ મુખ્ય ગતિ પ્રમાણે તે તે ગતિમાં તે કર્મના જ પ્રભાવે દ્રવ્યસ્વભાવરૂપ એવા તે તે લેગ્યસ્થાન પણ ઘટે છે. આમ જીવના ભોક્તાપણાને નિશ્ચય થાય છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy