SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ અધ્યાત્મ રાજચંદ્ર નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે, પણ આત્માને તે પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. આવી સર્વ ઈન્દ્રિયની સત્તાથી જે પર છે એવો આત્મા તે ઈન્દ્રિયોને પણ ઈદ્રઅધિષ્ઠાતા સ્વામી છે. દેહ તેને જાણ નથી, ઈન્દ્રિય તેને જાણતી નથી, અને પ્રાણ પણ તેને જાણતા નથી; પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે સર્વ પિતપોતાના નિયત વિષયમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યંત્રને ચલાવનાર યંત્રવાહક છે. મોટરને ચલાવનાર (ડ્રાઈવર) મોટરથી જુદો છે તેમ દેહયંત્રને ચલાવનાર આત્મા દેહથી જુદો છે. તથાપિ દેહમાં આત્મબુદ્ધિરૂપ અનાદિના દેહાધ્યાસને લીધે અજ્ઞાની જીવને દેહ એ જ આત્મા ભાસે છે, પણ તે બન્ને મ્યાન ને તલવારની જેમ પ્રગટ લક્ષણથી ભિન્ન છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. આમ આ બન્નેને સ્વભાવ પ્રગટપણે કેવળ ભિન્ન છે, તે ત્રણે કાળમાં એકપણું પામે નહિં. “પ્રગટરૂપે ચિતન્યમય, એ એંધાણુ સદાય જેને હાજર છે, એ આ આત્મા જાગૃત સ્વપ્ન ને નિદ્રા એ સર્વ અવસ્થાને વિષે ન્યારે ને ત્યારે જ તરી આવે છે, અને હું ઉંઘી ગયે હતો, મને સ્વપ્ન આવ્યું હતું, ઈત્યાદિ પ્રકારે તે તે અવસ્થાને તે જાણે છે. આમ જ્ઞાયક સ્વભાવી આત્માનું પ્રગટ અનુભવરૂપ અસ્તિત્વ છે, તોપણ પિતે જ આત્મા છતાં આત્માની જે શંકા કરે છે, એ જ અમાપ આશ્ચર્ય છે ! આત્માની શંકા કરે, આત્મા પોતે આ૫; શંકાને કરનાર તે, અચરિજ એહ અમાપ, બીજું પદ આત્મા નિત્ય છે–આત્મા ત્રિકાળવત્ત નિત્ય પદાર્થ છે. આત્મા દેહસંયોગથી ઉપજે છે ને દેહવિયોગે નાશ પામે છે એમ અજ્ઞાની જીવ કપે છે, પણ તેમ નથી. કારણકે માત્ર પરમાણુના સાગરૂપ એ દેહ આત્મા સાથે, ક્ષીર–નીર અથવા અગ્નિ-લેહ જેમ, માત્ર સગાસંબંધ રહ્યો છે, તાદામ્યસંબંધે નહિં. વળી દેહ જડ ને રૂપી છે, આત્મા ચેતન ને અરૂપી છે; દેહ દશ્ય છે, આત્મા દષ્ટા છે. એ વિચારતાં જણાય છે કે દેહના ઉત્પત્તિ -લયની સાથે આત્માને સંબંધ નથી. કારણકે જડમાંથી ચેતનની ઉત્પત્તિ ને ચેતનમાંથી જડની ઉત્પત્તિ કેઈ કાળે થવા એગ્ય નથી. વૈજ્ઞાનિકો વિજ્ઞાનના ગમે તેટલા પ્રયોગ કરી મરી મથે, તે પણ કઈ પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી. અર્થાત્ આત્મા અસંયોગી એ સ્વાભાવિક પદાર્થ છે, ને સ્વભાવને તે કેઈ કાળે નાશ થાય નહિં, માટે આત્મા પ્રત્યક્ષપણે નિત્ય છે. આમ આત્મા અનુત્પન્ન છે, એટલે અવિનાશી પણ છે. ક્રોધ આદિ પ્રકૃતિનું અધિકપણું સર્ષ આદિમાં જન્મથી જ દેખવામાં આવે છે, તે પૂર્વજન્મનો જ સંસ્કાર છે,–જે પૂર્વજન્મ પરથી પણ જીવની નિત્યતા જ સિદ્ધ થાય છે. કોઈ આત્માને એકાંત ક્ષણિક માને છે, કોઈ એકાંતે નિત્ય માને છે, આ બન્ને માન્યતા ભ્રાંતિમૂલક છે. આત્મા દ્રવ્યઅપેક્ષાએ નિત્ય છે, પર્યાયઅપેક્ષાએ અનિત્ય છે, અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે. તેની પ્રતીતિ બાલ યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે આ દષ્ટાંત પરથી થાય છે. આ વસ્તુ ક્ષણિક છે એમ જાણીને જે તેમ કહે છે તે વદનારો પિોતે ક્ષણિક નથી, એ વસ્તુના અનુભવથી નિશ્ચય થાય છે. ક્યારેય પણ કઈ પણ વસ્તુને કેવળ સર્વથા નાશ હાય નહિં, માત્ર અવસ્થાંતર હોય.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy