SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન: આ અવનિનું અમૃત જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે શાને ક્ષય મેહ થઈ, પામે ૫૦ નિર્વાણ માગને આ સાંગોપાંગ સકલ અવિકલ ક્રમ દર્શાવી તે સુવિચારણું ઉપજે અને મોક્ષમાર્ગ સમજાય એ અર્થે શાસ્ત્રકાર અને ગુરુશિષ્યસંવાદથી આ શાસ્ત્રના હૃદયરૂપ આ પપદ (છ પદ) પ્રકાશે છે– આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ ષસ્થાનક સંક્ષેપમાં, પર્દશન પણ તેહ; સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ.' આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પિતાના કર્મને કર્તા છે, તે કર્મનો ભક્તા છે, તેથી મોક્ષ છે, અને તે મોક્ષને ઉપાય સધર્મ છે,–આ છ પદ સંક્ષેપમાં છે, તે જ છ દર્શન છે; તે જ્ઞાનીએ પરમાર્થ સમજાવા કહ્યા છે. આ છ પદની તલસ્પર્શી મીમાંસા અત્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં માધુર્યઅમૃતપૂર્ણ ગુરુશિષ્યસંવાદની વિશિષ્ટ લાક્ષણિક શૈલીથી“સદ્દગુરુ ઉવાચ” “શિષ્ય ઉવાચ” છે. વાકપ્રગથી “શ્રી કૃષ્ણ ઉવાચ અર્જુન ઉવાચ” ઈ. ગીતાની શૈલીનું સ્મરણ કરાવે એવી શૈલીથી–પ્રકાશી છે. અત્રે શિષ્યની પરમવિનયપૃચ્છા, સત્ય તત્ત્વ જાણવાની અપૂર્વ જિજ્ઞાસા, સત્ય સમજાતાં સત્યને મુક્તકઠે સ્વીકાર કરવાની અદ્ભુત સરલતા, એ આદિ વસ્તુ આપણું એકદમ ધ્યાન ખેંચે છે; અને આત્મજ્ઞાની જ્ઞાની સદ્ગુરુની પણ શિષ્યની એકેએક શંકા અક્ષરે અક્ષર ટાળવાની પૂરેપૂરી તકેદારી–ઉપગજાગૃતિ, શિષ્યને સન્માર્ગે ચઢાવવાની નિષ્કારણ કરુણા, અક્ષરે અક્ષરે વરસતી અમૃતમાધુરી, એ આદિ વસ્તુ પણ એકદમ આપણું હૃદયને આકર્ષી લે છે. આ બધી અનુપમ કળા તે તત્ત્વકળાની સોળે કળાએ પરિપૂર્ણ રાજ-ચંદ્રની છે,–જેના પરમ અમૃતમય દિવ્ય આત્માનું પ્રતિબિંબ અત્રે પદે પદે પડે. છે. આત્માની અમૃતાનુભૂતિને પામેલે રાજચંદ્રને દિવ્ય આત્મા અત્રે અક્ષરે અક્ષરે– પદે પદે જાણે અમૃતવર્ષા કરી રહેલ અમૃત-ચંદ્ર હોયની! આ છ પદની અમૃતવાણી અત્ર અવતારવાને અવકાશ નથી, છતાં આ છ પદની અમૃતવાણીને સારસંક્ષેપ આ પ્રકારે પહેલું પદ આત્મા છે—જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે.” ઘટપટાદિ પૌલિક જડ પદાર્થ છે, આત્મા સ્વપરપ્રકાશક ચેતન પદાર્થ છે. ઘટપટાદિ રૂપી હોઈ ઇંદ્રિયગમ્ય છે, આત્મા અરૂપી હોઈ અતીન્દ્રિય અનુભવગમ્ય છે. આ નહિં, આ નહિં, નેતિ નેતિ એમ બાધ કરતાં કરતાં બાધ ન કરી શકાય એ જે “અબાધ્ય અનુભવ બાકી રહે એ જ આ અરૂપી આત્માનું સ્વરૂપ છે. આ આ અરૂપી આત્મા દષ્ટિથી દેખાય જ કેમ ? ને એનું રૂપ કેમ જણાય? કારણકે એ દષ્ટિને દછા આત્મા છે, ને રૂપનો જ્ઞાતા પણ આત્મા છે વળી બીજી ઈન્દ્રિયથી પણ આત્મા કેમ જણાય વારુ? કારણકે પ્રત્યેક ઇન્દ્રિયની જ્ઞાનસત્તા તે નાના ઠાકરડાની પેઠે પોતપોતાના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy