________________
અધ્યાત્મ રાજચંદ્ર
તેને શીખડાવ્યું હશે. એમ સમજી ૬ થી ૧૦, ૧૧ થી ૨૦, ૨૧ થી ૧૦૦ સુધી જે લખી આપે તે બધું પોતે પાટીમાં તરત લખી બતાવે અને જે બોલે તે બેલી બતાવે! છેવટે એકાથી ૧૦–૧–૧૦ના ઘડીયા સુધી શિક્ષકના લખવા પ્રમાણે લખી ગયા અને બોલવા પ્રમાણે બેલી ગયા! પછી અગીયાર ને બારાખડી લખી આપી તે પણ તરતજ લખી બતાવી!
- આ બધું જોઈ શિક્ષક આશ્ચર્ય પામી ગયા ! વળી ગૂજરાતી પહેલી ચોપડીના ૫-૬ પાઠ લખાવ્યા તે તે પ્રમાણે લખવાથી ને બેસવાથી તો તે વિશેષ તાજુબ થયા, અને રાયચંદને મોટા માસ્તર પાસે લઈ જઈ કહ્યું–સાહેબ, આ વિદ્યાથી મારા કલાસને નથી, ઉપરના ધોરણને છે. આ બાળકને ત્યારે મહારે શું ભણાવવું? ગમે તે કવિતા, પાઠ, ગણિત, અર્થ બતાવીએ તે જરા પણ ભૂલ કર્યા વિના તરતજ તે જ પ્રમાણે બોલી જાય છે. હેડમાસ્તર આ જાણું આશ્ચર્ય પામ્યા અને એક વિદ્યાથીને મોકલી તેમના પિતાને (રવજીભાઈને) બોલાવી પૂછયું–રવજીભાઈ! આ તમારા બાળકને તમે ઘરમાં કોઈ અભ્યાસ કરાવ્યો છે? રવજીભાઈએ કહ્યું–સાહેબ, પાટી ને પેન કાલે જ ખરીદી લાવ્યો છું. તે સાંભળી સુસંસ્કારી તે શિક્ષકને ચોક્કસ સમજાઈ ગયું કે આ બાળક કઈ પૂર્વને આરાધક દેવાંશી પુરુષ છે. આમ સમજાયા પછી તેઓ તેમને પોતાની પાસે જ બેસાડતા. રાયચંદના બાળમુખે જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યની કવિતાઓ બેલાવતા. આમ એક જ વર્ષમાં ચાર ધોરણનો અભ્યાસ કરી ગયા.
ચોથા ધોરણની પરીક્ષા લેવા માટે મોરબી સ્ટેટના એજ્યુકેશનલ ઇન્સપેકટર સાહેબ પ્રાણલાલભાઈ આવ્યા હતા. સમજુ અને વિચક્ષણ પુરુષો કેઈન પરિચયમાં આવતાં તેને કળી જાય છે, તેમ પરીક્ષા લેતાં બાલ રાજચંદ્રની લાક્ષણિકતાનું પરીક્ષક સાહેબને કંઈક ભાન થાય છે, અને શાળાશિક્ષકને પૂછે છે-“આ વિદ્યાથી કોણ છે?' માસ્તરે કહ્યું-“સાહેબ, આ બાળક છે, પણ પૂર્વના સંસ્કાર લઈ આવેલ બાળગી અમે તેને સમજ્યા છીએ.” એમ જણાવી રાજચંદ્રની અદ્ભુત સ્મરણશક્તિ અને ત્વરિત અભ્યાસની શાળામાં અનુભવેલી સઘળી વાત કહી. જે સાંભળી પરીક્ષક સાહેબને રાયચંદની સાથે વાત કરતાં, તે કંઈ લંબાતાં તેમાંથી ધર્મવિષયની ચર્ચા નિકળી. વિવેકયુક્ત અને ગંભીર ભાવનું બાલમુખે શ્રવણ થતાં તે બાલ પર સાહેબને બહુ હેત આવ્યું, ને ઉલ્લાસમાં પોતાની સાથે ભેજનાથે તેને લઈ ગયા. તે બાલ રાયચંદે તે લઘુવયમાં રચેલ કવિતાઓ-જેમાંની કેટલીક છાપામાં પણ મોક્લાઈ હતી–તે તેમને બતાવવામાં આવી, તે સઘળું જોઈ તેમને બહુ આશ્ચર્ય થયું અને રાયચંદને કહ્યું-મોરબી આવવાનું થાય ત્યારે જરૂર મળવાનું રાખજે.
અભ્યાસકાળના શ્રીમદના આ ચમત્કારિક ચિત્ર ચરિત્રની હકીકત તેમના જ તે વખતના શિક્ષક શ્રી લવજીભાઈ મોતીચંદ પાસેથી જેમ ઉપલબ્ધ થયેલ છે તેમ યથાવત્ આપેલ છે. એમાં ન્યૂનોક્તિ હોય તો ભલે પણ અતિશયોક્તિ લેશ પણ નથી અને સપ્રમાણતા પૂરેપૂરી છે. વિશેષ આશ્ચર્યકારક તો એ છે કે શ્રીમદે અભ્યાસ એટલી ત્વરાથી પર કર્યો હતો કે જે શિક્ષકે તેમને “પ્રથમ પુસ્તકનો બંધ કર્યો હતો, તે જ શિક્ષકને