________________
૬ર૪
અધ્યાત્મ રાજચંદ્ર શાસન દેવિ ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણને માર્ગ બીજાને બાધી શકે, દર્શાવી શકે ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બંધ ભણ વાળી આ આત્મવિરાધક પંથથી પાછા ખેંચવામાં સહાયતા આપ !! તારે ધર્મ છે કે સમાધિ અને બેધિમાં સહાયતા આપવી.” (અં, ૭૫૪).
કઈ પણ સહુદયના હદય વિદારી નાંખે એ શ્રીમદૂને આ હૃદયવિદારક અંતરદૂગારને અમર પિકાર, દેશ-કાળના બંધન ત્રોડી, હજુ તે ને તે જ તાજે સંભળાય છે!—જે સાંભળી સકણું સહુદને અંતરાત્મા સામો પિકાર કરે છે કેઆવી અનન્ય શાસનદાઝ ધરાવનાર અનન્ય શાસનહિતચિંતક આ પરમ શાસનપ્રભાવક પરમ પુરુષ રાજચંદ્ર ઘરે ઘરે પૂજાવા ચગ્ય અને પ્રત્યેક હૃદયમંદિરે સ્થપાવાયેગ્ય છે.
આવી અલૌકિક હતી આ પરમ માર્ગ પ્રભાવક પુરુષની માર્ગ પ્રભાવનાની ભવ્ય ભાવના! આવી અદ્ભુત હતી આ પરમ વીતરાગ શાસને દ્ધારક પુરુષની વીતરાગશાસનઉધોતની સાચી અંતર દાઝ!
આ ભવ્ય ભાવનાઓને અને દિવ્ય જનાઓને સક્રિયપણે સંપૂર્ણ અમલમાં મૂકવાને શ્રીમદના સ્વલ્પ આયુષ્ય આપણુ દુર્ભાગ્યે સમય ન આવે, એ આ દુષમકાળને મહાદુષ્ટ પ્રભાવ ! આયુષ્ય યારી આપી હતી તો જગતે પ્રાયે ન જે હોય એ અપૂર્વ વીતરાગ શાસનપ્રભાવ આ પરમ વીતરાગ પુરુષના હાથે થવા પામત અને આ પરમ વીતરાગ પુરુષની ભાવના પ્રમાણે વર્ધમાનસ્વામીના વખત જે વખત જરૂર આવત. પણ આ વીતરાગમાર્ગ પ્રભાવક પુરુષ ગૃહવાસથી નિવર્તી સર્વસંગપરિત્યાગને માગે નીકળી પડી-જગતકલ્યાણાર્થે મહાભિનિષ્ક્રમણ કરવાની તૈયારીમાં હતું, ત્યાં તે દુષ્ટ કાળે માત્ર તેત્રીશ (૪૩) વર્ષની ભરયુવાનવયે અકાળે આ પુરુષને વચ્ચેથી ઝડપી લીધો! એટલે આપણા દુર્ભાગ્યે-જગન્ના દુર્ભાગ્યે આવા પરમ પ્રભાવક પુરુષના હાથે તે પરુષે આત્માના પ્રદેશ પ્રદેશે ઈચ્છ–ભાવેલો પરમ પ્રભાવ ન થવા પામ્યો ! પરમાર્થના અકરાવમેઘથી શ્રીમુખે પરમાર્થની વર્ષાઋતુ ન થવા પામી ! એ આ દુષ્ટ કળિકાળને જ દેશ છે. ભાવી! તથાપિ આ પરમ જગદ્ગુરુએ જે સત્યધર્મને અલૌકિક અનુપમ ઉપદેશ રેલાવ્યું છે અને મૂળમાર્ગને અપૂર્વ અદ્દભુત પ્રકાશ ફેલાવ્યો છે, તેને પણ જગત્ અનુસરે, તે અવશ્ય તે પણ જગતમાં કેઈપણ જીવને અનન્ય પરમાર્થમાર્ગદર્શન કરાવવા પર્યાપ્ત છે !