SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ મા પ્રભાવનાની ભવ્ય ભાવના અને દિવ્ય યાજના કર૧ સુપ્રતિષ્ઠાપિત થવા માટે કેવી દન-સ ંપ્રદાય રીતિ વમાનમાં પ્રયુક્ત કરવા ચેાગ્ય છે, એ આદિ અંગે પરમ ગભીર ઊંડી વિચારણા વીતરાગદર્શનાહારક શ્રીમદ્ કરી રહ્યા હાય એમ આ પરથી જણાય છે. આમ જૈનદર્શનનું-જિનશાસનનું–વીતરાગમાČનું અનન્ય હિત જેના હૈયે સદા વસ્યું છે, એવા પરમ શાસનહિતચિંતક વીતરાગધર્માંદ્દારક શ્રીમદ્ અનન્ય શાસનદાઝથી આ અમૃતપત્રમાં (અ. ૭૧૩) પેાતાની અંતર્વેદના ઠાલવતાં, આ વીતરાગશાસનની પરમ ઉન્નતિ કેમ થાય, અને મહાવીર સ્વામીના જેવા વખત ફ્રી કેમ આવે, એવી પરમ ઉદાત્ત ભાવના દાખવતા આ હૃદયસ્પશી અમર શબ્દોમાં અનન્ય શાસનહિતચિંતા વ્યક્ત કરે છે—. દિન પ્રતિદિન જૈનદન ક્ષીણુ થતું જોવામાં આવે છે, અને વધ માનસ્વામી થયા પછી ઘેાડાં એક વર્ષીમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણેા ? હરિભદ્રાદિ આચાર્યાએ નવીન ચેાજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લેાકસમુદાયમાં જૈનમાગ વધારે પ્રચાર પામ્યા દેખાતા નથી, અથવા તથારૂપ અતિશયસંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગીમાં ઉત્પન્ન થવું એછું દેખાય છે, તેનાં શાં કારણેા ? હવે વમાનમાં તે માની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ? અને થાય તે શી શી રીતે થવી સંભિવત દેખાય છે, અર્થાત્ તે વાત કચાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવા વર્તમાનકાળના યાગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘ દૃષ્ટિથી સંભવે છે? અને સંભવતું હોય તે તે શાં શાં કારણથી? ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દનમેહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લેાકેાની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હેાય.’ —આવા અક્ષરે અક્ષરે અનન્ય શાસનદાઝથી નિ રતા આ અમૃત શબ્દોમાં આ વીતરાગશાસનેાહારક મહાપુરુષની શાસનપ્રભાવનાની કેવી મહાન્ ભાવના વ્યક્ત થયેલી છે! સર્વ જીવ કરૂ શાસનરસી* એવી કેવી મહાન ભાવદયા ઉલસેલી છે ! કોઇ પણ સાચા શાસનભક્તને નતમસ્તક કરાવે એવી કેવી મહાન્ શાસનભક્તિ રેલાયેલી છે! આવી શાસનપ્રભાવનાની મહેચ્છા ધરાવનારા આ પર્મ પ્રભાવક પુરુષ આવા મહાન્ ભગીરથ કાર્યો માટે આત્મશક્તિના સંચય અપૂર્વ આત્મસંયમથી કેવી રીતે કરી રહ્યા હતા, તેની સાક્ષી તેમના હૃદયના દણુ સમી હાથનાંધમાં (૧-૮, ૨-૧૩, ૩-૨૫) પ્રાપ્ત થાય છે. હાથનેાંધ ૩-૨૬માં આ વસ્તુ સવિસ્તર આલેખતાં પરમ પ્રભાવક શ્રીસને દિવ્ય આત્મા પોતે પેાતાને સખેાધીને કહે છે—સ્વપર ઉપકારનું મહત્કા હવે કરી લે ! ત્વરાથી કરી લે ! અપ્રમત્ત થા-અપ્રમત્ત થા.' ઇત્યાદિ. આમ અપૂર્વ આત્મસંયમથી આત્મશક્તિના સચય કરતા, પરમ સમ તયારૂપ અતિશયસ પન્ન શ્રીમને આ માર્ગોના પ્રભાવ કરવાના મહાન કાય માં વચ્ચે કેવા માઢા અંતરાય છે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy