________________
પ્રકરણ નવમું મૂળમાર્ગઉદ્ધાર: “મૂળ માગ સાંભળો જિનનો રે’ મૂળ મારગ સાંભળે જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ; નેય પૂજાદિની જે કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ...મૂળ.–શ્રીમદ્ રાજચંદ્ર
મૂળમાર્ગને ઉદાર એ શ્રીમદૂના અધ્યાત્મજીવનનું મોટામાં મોટું જીવનકાર્ય છે, “મૂળ મારગ સાંભળો જિનને રે–એ શ્રીમદૂના કવનનું સુવર્ણસૂત્ર શ્રીમદના ઉપદેશવૃક્ષનું મૂળ મોટામાં મોટું જીવનસૂત્ર છે. સૌભાગ્ય પરના પત્રોના આધારે વીતરાગમાર્ગપ્રભાવના પ્રકરણમાં (૭૦) જણાવ્યું હતું તે માર્ગ પ્રભાવનાની શ્રીમદૂની પ્રભાવનામાં–પ્રકૃષ્ટ ભાવનામાં કેન્દ્રસ્થાને જિન-વીતરાગને આ મૂળમાર્ગ જ છે. શ્રીમદના સર્વ ઉપદેશામૃત આ કેન્દ્રસ્થ મૂળમાર્ગની જાણે આસપાસ પ્રદક્ષિણા ફરી રહ્યા છે. ઝાડનું મૂળ એક હોય છે, મૂળને પકડીએ તે આખું ઝાડ હાથમાં આવે છે; ડાંખળાંપાંદડાં ભિન્ન ભિન્ન અનેક હોય છે, તે પકડે તેને આખું ઝાડ હાથમાં આવતું નથી; તેમ જિનદર્શનરૂપ તવવૃક્ષનું આ આત્મધર્મરૂપ-મૂળમાગરૂપ મૂળ જે પકડે છે, તેને આ માર્ગ હાથમાં આવે છે, જે માત્ર બાહ્ય સાધન-વ્યવહારના ભેદરૂપ ડાંખળાં– પાંદડાં પકડે છે તેને તે હાથમાં આવતું નથી. આ જિનને મૂળમાર્ગ એટલે શું? જિનમાર્ગ એટલે જિન–વીતરાગ જે માગે ગયા તે માર્ગ અને તે વિતરાગ માર્ગ તે મેક્ષને છે; સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રની અભેદ એકતા તે મોક્ષમાર્ગ છે, અને તે જ જિનને મૂળ-અસલ (original) અથવા મૂળભૂત (root) માગે છે. આ અભેદ રત્નત્રયીમય જિનના મૂળ માર્ગની અનુપમ સાધના જીવનમાં કરી રહેલા શ્રીમદને આ નિજસ્વરૂપમય જિનમાર્ગ આત્મારૂપ બની ગયો હતો, એ શ્રીમદ્દના અધ્યાત્મજીવન પ્રત્યે દષ્ટિપાત કરતાં સ્વયંસિદ્ધ હકીકત છે. આવા જિનમાર્ગને વા નિજસ્વરૂપને પામેલા શ્રીમદ્દ જેવા પરમ સમર્થ પુરુષ આ માર્ગ પ્રત્યેના પરમ પરમાર્થ પ્રેમથી આ મૂળમાર્ગની પ્રભાવનાને વિચાર નિરંતર અંતરૂમાં કરતા જ હતા, અને ગૃહાવાસમાં વર્તતાં પણ તેની ભવ્ય યાજના (grand plan) અંતરમાં ઘડતા જ હતા. આ મૂળમાર્ગઉદ્ધારની -પ્રભાવનાની પ્રભાવના–પ્રકૃષ્ટ ભાવના ભાવતા શ્રીમદે, આ મૂળ મારગ સાંભળે જિનને રે કે સંભળાવ્યો છે, તેનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું.
આ વિતરાગ-જિનમાર્ગના પરમ પરમાર્થરંગથી અસ્થિમજજા રંગાયેલા પરમ ભાવિતાત્મા શ્રીમદે શ્રી માણેકલાલ ઘેલાભાઈ પરના અમૃતપત્રમાં (અં. ૭૦૮) આ અંગે પોતાનું હૃદય અને પોતાની અંતર્ધારણ દર્શાવી છે; જિનના મૂળમાગને-સત્ય ધર્મને ઉદ્ધાર થાય એ અંગે શ્રીમદ્દની અનન્ય શાસનદાઝ આ પત્રમાં પ્રગટ જોવા મળે છે. અત્રે પ્રારંભમાં જ શ્રીમદ્દ લખે છે—જેના પ્રસંગમાં અમારે વધારે