SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગદર્શન પ્રમાણતાઃ પદ્ધશનમીમાંસા ૬૦૦ સવની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હોય તે સર્વની મુક્તિ થાય; અને તે પછી બીજાને સત્શાસ્ત્ર, સદ્દગુરુ આદિ સાધનોની જરૂર નથી. પ્ર.–મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે? ઉ.—જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠે; અને તે વિદેહમુક્ત થયો. ત્યારપછી બીજે અહીં આવી બેઠે. તે પણ મુક્ત થયા. આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયા નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે. સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. “આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ બ્રાન્તિ રાખવાની જરૂર નથી, જગત્ કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે, એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગત્ની બ્રાન્તિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી ભ્રાન્તિ ટળી ગઈ એમ આશય સમજવાને છે.” આમ સર્વથા સર્વત્ર નિરાહીપણે પૂર્ણ પરમ સત્યમ્રાહી મધ્યસ્થદષ્ટિથી ષડુદર્શનની તુલનાત્મક મીમાંસા કરતાં વીતરાગદર્શનની પરમ પ્રમાણુતાને આત્માનુભવસિદ્ધપણે અસ્થિમજજારંગ શ્રીમને લાગ્યો છે અને આમ માત્ર પ્રમાણુતત્વવિનિશ્ચયરૂપ સિદ્ધાંતબેધની દષ્ટિએ જ નહિં, પણ પરમ આત્મકલ્યાણુકર આચરણમાં ઉતારવા ચોગ્ય ઉપદેશબોધની દષ્ટિએ પણ શુદ્ધ વીતરાગદર્શનની પરમ પ્રમાણુતાનો દઢ આત્મરંગ શ્રીમદને આત્માના પ્રદેશ પ્રદેશે લાગે છે, એટલે જ એક ઉપદેશપ્રસંગમાં પરમ નિરાગ્રહી પરમ સત્યગ્રાહી શ્રીમદે વીતરાગદર્શનની પરમ પ્રમાણુતા અને ઈતર દર્શનના તુલનાત્મક સ્થાન અંગે છ વૈદ્યનું માર્મિક બેધ આપનારું દષ્ટાંત આપી તેને અનુપમ ઉપનય ઘટાવી બતાવ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે વીતરાગદર્શન ત્રિવૈદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીને રેગ ટાળે છે. (૨) નિરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવને સમ્યગદર્શન વડે મિથ્યાત્વ રેગ ટાળે છે, (૨) સમ્યગજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.” આમ આ સર્વગ્રાહી દષ્ટાંત પરથી શ્રીમદે લાખો ગ્રંથથી દર્શાવી ન શકાય એવા બળવાનપણે વીતરાગદર્શનની પ્રમાણુતા અદ્દભુત ઉપનયઘટનાથી ઘટાવી આપી છે. અને આ સર્વ કથનના સર્વકષ નિષ્કર્ષ—નીચેડરૂપે આ યથાર્થવક્તા પરમ પ્રમાણ પુરુષે દર્શનનું તુલનાત્મક યથાસ્થિત સ્થાન પણ દર્શાવી આપ્યું છે. આવી હતી પરમ ભાવિતાત્મા શ્રીમદ ભાવેલી પરમ આત્મભાવવાહી વીતરાગદર્શનની પ્રમાણતા! આવી હતી પરમ પરીક્ષાપ્રધાન શ્રીમદ્દની તત્વતલગાહી પદર્શનની મીમાંસા! મ- ૭
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy