SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર અને પત્રમાં પણ શ્રીમને આ વિતરાગદર્શનની પ્રમાણતા કેવી હાડોહાડ વ્યાપી છે, તે દર્શાવતા ઉલ્લેખો સ્થળે સ્થળે દશ્ય થાય છે. શ્રી સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અં. ૩૨૨) શ્રીમદે આ અનુભવસિદ્ધ અમૃત વચન લખ્યા છે બંધ, મેક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થકરદેવને અંતરૂઆશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હાઈ એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારૂં અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે કૃતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાચી ખરેખરા છીએ, સાચા છીએ.” બીજા એક અમૃતપત્રમાં (સં. ૧૯૭). શ્રીમદે પિતાને અનુભવસિદ્ધપણે આત્મપ્રતીત થયેલી આ વીતરાગદર્શનની પ્રમાણુતાની જગતના ચોકમાં બુલંદ નાદથી આ અમૃત શબ્દોમાં ઉદ્ઘોષણા કરી છે– અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા છે છે કે જે આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વદ્ધમાનસ્વામીએ કે શ્રીષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.” આમ અત્ર પત્રપ્રારંભે શ્રીમદ્ આત્મકલ્યાણને નિર્ધાર જે વીતરાગદર્શનને વિષે કર્યો છે તે અન્યત્ર નથી, એ પિતાના આત્માને અનુભવસિદ્ધ દઢ નિર્ધાર જગજાહેર કરી (Proclamation), વેદાંતાદિમાં આત્મા અને આત્મકલ્યાણને યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણ પણે જણાતું નથી એમ સ્પષ્ટપણે ઉદ્ઘોષે છે–વેદાંતાદિ દર્શનને લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જ જોવામાં આવે છે, પણ તેને યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણ પણે તેમાં જણાતું નથી, અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જો કે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. –વેદાંતાદિમાં આત્માદિ અંગેનો નિર્ધાર યથાયોગ્ય–જે જોઈએ તેવું નથી, સંપૂર્ણ નથી–અપૂર્ણ છે, અંશે જણાય છે અને તે પણ યથાર્થ નથી–પર્યાયફેર છે; વેદાંતાદિ પૂર્વાપર વિરોધ રહિત-અવિરુદ્ધ લાગી શકતું નથી એમ વિચારભેદથી પિતે કહેતા હોય એમ નથી, પણ આત્મબળથી વેદાંતને અવિરોધ જોવા માટે ઘણે ઘણે વિચાર કર્યા છતાં વેદાંત અવિધ ભાસતું નથી, એવું પિતાનું આત્મસંવેદન શ્રીમદ્દ વ્યક્ત કરે છે–એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંત આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણુમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધ. પણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી કે તેમાં માટે ભેદ જોવામાં આવે છે, અને તે તે પ્રકારે સાંખ્યાદિ દશનેને વિષે પણ ભેદ જોવામાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy