________________
વિતરાગદશન પ્રમાણતા : પશન મામાસા
૬૫ છે તેમ-કઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું, એ જ્ઞાનીઓનો ઉપદેશ છે, આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માને જ બોધ છે; અને મેક્ષ માટે સર્વને પ્રયત્ન છે, તે પણ આટલું તે આપ પણ માન્ય કરી શકશે કે જે માર્ગથી આત્મા આત્મત્વ-સમ્યફજ્ઞાન-યથાર્થ દષ્ટિ –પામે તે માર્ગ પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કર જોઈએ. એટલે જ સતત આત્મલક્ષી યથાર્થદષ્ટિ શ્રીમદ્ આ ષદર્શનમીમાંસામાં પણ મુખ્ય પણે આત્માને માટે અને એ આત્મત્વ પામવા માટે તે તે દર્શનની શી પ્રણાલિકા છે–શી પ્રરૂપણું છે તેની મધ્યસ્થ પરીક્ષણ કરે છે અને તેમાં જે સાંગોપાંગ સકલ અવિકલ હોય તેની પ્રમાણુતા સ્વીકારે છે, અને એટલે જ પરમવરૂદષ્ટા–પરમઆત્મદા શ્રીમદ્ આમ મધ્યસ્થદષ્ટિપણે આ અદ્ભુત ષદર્શનમીમાંસા કરતાં આ સર્વ દર્શન મધ્યે વીતરાગદશનની પરમ પ્રમાણુતા કેવી. અનુભવ પ્રમાણસિદ્ધપણે સુપ્રતીત કરે છે, તેનું હવે દર્શન કરાવશું.
અને તે માટે પ્રથમ આપણે શ્રીમદ્દની હાથનેધ પ્રત્યે દષ્ટિપાત કરશું. હાથોંધ ૧-૬૧માં શ્રીમદ્દ વિતરાગના વચનને શા માટે સર્વથી અધિક–સર્વથી વિશેષ પ્રમાણ માને છે? તેની નિgષ મીમાંસા કરતાં, સ્ફટિક જેવા સ્વચ્છ નિખાલસ હૃદયે પિતાને થયેલું તેનું અનુભવ પ્રમાણસિદ્ધપણું આ અમૃત શબ્દોમાં (Immortal words) ઉદ્દઘોષે છે–
સર્વ કરતાં વીતરાગનાં વચનને પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દેષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયેગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વિતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે.
સાંખ્યાદિ દર્શને બંધ મોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિનવીતરાગે કહી છે, એમ જાણું છું.
છે. જે જિને દ્વતનું નિરૂપણ કર્યું છે, આત્માને ખંડ દ્રવ્યવત્ કહ્યો છે, કર્નાક્તા કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થ વ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાનું પ્રમાણસિદ્ધ છે એમ કેમ કહી શકાય? કેવળ અદ્વૈત-અને સહજે નિર્વિકલ્પ સમાધિનું કારણ એ જે વેદાંતાદિ માર્ગ તેનું તે કરતાં અવશ્ય વિશેષ વિશેષ પ્રમાણસિદ્ધપણું સંભવે છે.
૩, યદ્યપિ એકવાર તમે કહો છો તેમ ગણીએ, પણ સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજા દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે.
. એમ જે તમે ધારે છે તો કઈ રીતે નિર્ણયને સમય નહીં આવે, કેમકે સર્વ દર્શનમાં જે જે દર્શનને વિષે જેની સ્થિતિ છે તે તે દર્શન માટે અવિકળતા માને છે.
. યદ્યપિ એમ હોય તેથી અવિકળતા ન ઠરે, જેનું પ્રમાણે કરી અવિકળપણું હોય તે જ અવિકળ ઠરે.
1. જે પ્રમાણે કરી તમે જિનની શિક્ષાને અવિકળ જાણો છે તે પ્રકારને તમે કહે, અને જે પ્રકારે વેદાંતાદિનું વિકળપણું તમને સંભવે છે, તે પણ કહો.”