SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ વિતરાગદર્શન પ્રમાણતા : દર્શન મીમાસા ૬૦૩ આવી આ મૂળ મુખ્ય મુદ્દાને સ્પર્શતી કેષ્ટકરૂ૫ તારવણી તે તે તે દર્શને તલસ્પર્શી અભ્યાસી તજ્ઞ જ કરી શકે. અને હાથોંધ ૧-૬૨માં પોતે નાના પ્રકારના દર્શને-સંપ્રદાયનું મથન કર્યું અને જેના દર્શનનું મથન પણ કર્યું એ વસ્તુ અંગે શ્રીમદે આમ નોંધ કરી છે–તે આલોચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયને વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનેને વિચાર કર્યો. તે આલેચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું મથન કર્યું, અને પ્રસંગે પ્રસંગે મથનની ગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જેનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું.” ઈત્યાદિ– આ હાથોંધના ઉલ્લેખ પરથી શ્રીમદે પદ્દશનેનું કેવું તત્વતલસ્પર્શી મંથન કર્યું હશે તે સ્વયં સમજાય છે. તેમ જ ગાંધીજી આદિ પરના પત્રમાં તમા મનસુખભાઈ કિરચંદ સાથેના સત્સંગપ્રસંગમાં સ્થળે સ્થળે દર્શનસમુચ્ચય આદિ દાર્શનિક ગ્રંથને વારંવાર ઉલ્લેખ આવે છે તે પરથી પણ સમજાય છે કે શ્રીમદે આ ષદર્શનના તત્વની ઊડી મીમાંસા કરી હતી. અને આ પરમ ગંભીર તવમીમાંસાનું પરમ પરિપાકફળ આપણને શ્રીમદની અમર કૃતિ આત્મસિદ્ધિના આ પરમ આત્મનિશ્ચયબળપૂર્ણ અમર પદોમાં જોવા મળે છે – ષટું સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.” આ સાથે ષસ્પદ સાથે ષદર્શનનું અનુસંધાન દર્શાવતા આ પરમ આત્મવિશ્વાસપૂર્ણ અમર પદ સૂચવે છે કે પર્ષદ સાથે અતિ નિકટ સંબંધ ધરાવતા ષદર્શન અંગે શ્રીમદે કેટલું સૂક્ષ્મતમ પરિચિંતન–પરિશીલન કર્યું છે અને આ પદર્શનના તાત્પર્યરૂપ તવરહસ્ય પર શ્રીમદ્દનું કેવું અદ્ભુત સ્વામિત્વ, (Perfect Mastery) છે; અને પત્રક ૭૧૧-૭૫૮ આદિમાં પણ વદર્શનેની આત્મા–ઈશ્વર આદિ અંગેની માન્યતાનું જે તલસ્પશી પૃથક્કરણ શ્રીમદે કર્યું છે તે પણ તે જ સૂચવે છે. આ ષદર્શનમીમાંસામાં પણ શ્રીમદ્દ જૈન અને વેદાંતની તુલનાત્મક વિચારણા વારંવાર કરે છે, કારણકે બૌદ્ધ અને જૈન શિવાયનાં બીજાં દર્શને વેદાશ્રિત હોવાથી વેદાંતમાં અંતભૂત છે. અને આ વિચારણામાં પણ મુખ્યપણે આત્માની વિચારણું મુખ્ય સ્થાન ભેગવે છે. પત્રાંક ૫૦૦માં આત્મા બા. વેદાંત અને જિનાગમની તુલનાત્મક વિચારણા પ્રકાશી છે–જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિણામમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે, તે બેય વાત સમક્ષપુરુષે જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયત્ન તે વિચારી, નિર્ધાર કરવા ગ્ય છે, એ વાત નિઃસંદેહ છે.” ઈ. આ તરવવિચારમાં જ્યાં વિધ-પૂર્વાપર વિરોધ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy