________________
અધ્યાત્મ રાજચંદ્ર એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે, એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાન સંક્ષેપ આશય છે.
જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેને વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનને વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળજ્ઞાન મુખ્યાથપણે ગણવાયોગ્ય નથી. જગના જીવને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે, અને તે કંઈ કલ્પિત છે એમ નહીં; પણ તે પ્રત્યે અભિનિવેશ કરવાગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે, અને તે રોકવી પડે છે, તે પણ સંક્ષેપમાં ફરા લખીએ છે.
આત્માને વિષેથી સર્વ પ્રકારના અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદષ્ટિ જો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.”
સર્વકાળના સર્વ મુમુક્ષુઓ સાંભળે એવી આ બુલંદ ઉદ્દઘોષણામાં શ્રીમદે કેવળજ્ઞાનના અનુપમ સ્વરૂપ પર કે અપૂર્વ અલૌકિક પ્રકાશ નાંખે છે!
આ સર્વસમાધાનકારી અમૃતપત્ર પછી સૌભાગ્ય પરના બીજા પત્રમાં પણ આ બા. નિશ્ચય-વ્યવહારના સાપેક્ષપણાથી સૌભાગ્યના અભિપ્રાયનો ઉલ્લેખ કરી સર્વથા અવિરોધ આવે એમ ઊહાપોહા શ્રીમદ્ પુનઃ કંઈક સ્પષ્ટતાથી લખે છે, તેને અત્ર સ્થળસંકેચથી વિસ્તાર કરી શકાય એમ નથી), અને તેમાં સ્પષ્ટ જણાવે છે કે જે લખ્યું છે તે ઉપકાર દષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો. અર્થાત્ આ લખ્યું છે તે કાંઈ ચર્ચા કરવાની દષ્ટિથી લખ્યું નથી, પણ શાસ્ત્રનો યથાસ્થિત પરમાર્થ વિચારવાની દષ્ટિથી અને તે પણ આત્માર્થ–આત્મકલ્યાણ થાય એવી કેવળ ઉપકારષ્ટિથી જ; શાસ્ત્રને ઉત્થાપવા અર્થે નહિં, પણ શાસ્ત્રઅર્થને સમ્યક્ અર્થમાં-સમર્થ અર્થમાં સંસ્થાપવા અર્થે, વિરોધને અર્થે નહિ, પણ જિનાગક્ત વસ્તુ સુયુક્તિયુક્તપણે સિદ્ધ થઈ વિરોધ દૂર કરવા અર્થે સર્વથા અવિરોધપણે શાસ્ત્રને પરમાર્થ યથાસૂત્ર સાંગોપાંગ સકલ અવિકલપણે સુપ્રતિષ્ઠાપિત થાય એ અ.
અને કેવલજ્ઞાનના સર્વભાવવિષયકપણુની અનુભવસિદ્ધ જે પરમયુક્તિયુક્ત પરમ રહસ્યભૂત પરમાર્થઘટના શ્રીમદે અપૂર્વ ચમત્કૃતિયુક્ત યુક્તિથી દાખવી છે, તે તો પરમ જગદુપકારી શ્રીમદના અસાધારણ જ્ઞાનબળને અદ્દભુત ચમત્કાર દાખવે છે, એટલું જ નહિં પણ આ બા.માં પૂર્વે પ્રાયે ન દાખવા હોય એ અપૂર્વ અનન્ય બુદ્ધિપ્રભાવ દાખવે છે. આત્મા પર સ્પષ્ટ ઉતારી બતાવતી આ માત્ર ઋજુબુદ્ધિ-સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય અનેક યુક્તિઓ શ્રીમદે અન્યત્ર ઘણે સ્થળે પ્રદર્શિત કરી છે. (તે વિસ્તારભયથી અત્ર આપતા નથી.) અત્રે કઈ ઋજુમતિ-જુ પરિણમી વિરલા જ સમજી શકે એ માત્ર સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય કે અદ્ભુત ગૂઢ પરમાર્થ સમા છે! તે દેખી ખરેખર! આશ્ચર્યથી દિંગ થઈ જવાય છે.