________________
કેવળજ્ઞાનની અલૌકિક પરમાર્થ વ્યાખ્યા સુપ્રતિષ્ઠાપિત કરે એવી અનન્ય ક્રાંતિકારી વ્યાખ્યા પ્રકાશી છે, યલક્ષી થઈ ગયેલા લેકેનું આ જ્ઞાયકલક્ષી મુખ્ય અલૌકિક વ્યાખ્યા પ્રત્યે લક્ષ ખેંચી-કેન્દ્રિત કરાવી જગત પર અપાર ઉપકાર કર્યો છે. નિશ્ચય-વ્યવહારના અવિરોધપણે શાસ્ત્રવ્યાખ્યાને સાંગોપાંગ સકલ અવિકલપણે સુપ્રતિષ્ઠાપિત કરતી આ અલૌકિક મૌલિક-મૂળભૂત વ્યાખ્યાને સર્વ કેઈ સુજ્ઞ સુબુદ્ધિજન આનંદના પિકારોથી વધાવી લ્ય છે, સર્વ કાળના સર્વ મુમુક્ષુજન શ્રીમદના આ અપૂર્વ માર્ગદર્શન કરતા અમૃત વચનામૃતને પરમ પ્રેમથી અભિનંદે છે, ને પોકારે છે કે વાહ રાજચંદ્ર! ધન્ય રાજચંદ્ર ! ખરેખર ! આ વ્યાખ્યાને પરમાર્થ આશય ઘણું ઘણું મહાન છે. તે તો જેમ જેમ ઊંડા ઉતરી અવગાહન કય તેમ તેમ સમજાય છે, પણ આ વ્યાખ્યા લક્ષમાં રાખવાથી સામાન્યપણે એટલું તે અવશ્ય થાય જ છે કે-આપણુ પરમ આરાધ્ય કેવલજ્ઞાની ભગવાન પિતે મુખ્યપણે તો જ્ઞાયકભાવમાં જ સુસ્થિત સતા સકલ સેયને દેખે છે, માટે અમારે યલક્ષી દષ્ટિ પ્રત્યે ન જતાં મુખ્યપણે જ્ઞાયકલક્ષી દષ્ટિ જ કરવા ચોગ્ય છે, જ્ઞાયક એવા આત્મા પ્રત્યે જ દષ્ટિ કેન્દ્રિત કરવા ગ્ય છે, કે જેથી સર્વ સેય આપોઆપ એમાં જણાશે. શેયલક્ષી દષ્ટિમાં બુદ્ધિ બહિર્મુખ થઈ હાર દોડે છે, જ્ઞાયકલક્ષી દષ્ટિમાં બુદ્ધિ અંતર્મુખ થઈ અંતરાત્મમાં જોડે છે. માટે પરમ આત્મદ્રષ્ટા શ્રીમદે દર્શાવેલી આ આરાધ્ય દેવની શુદ્ધ આત્મદશા દર્શાવતી કેવલજ્ઞાનવ્યાખ્યા પરમ પરમ પરમ ઉપકારી છે એમ કોઈ પણ સદ્દબુદ્ધિ મુમુક્ષુ આત્માથીને અંતરાત્મા પોકારી ઊઠે છે.
આમ જે કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યા આ છે તે પછી જગત નું જ્ઞાન શા માટે કહ્યું છે? તેને સ્પષ્ટ ખુલાસો કરતાં શ્રીમદ્દ અત્ર પત્રમાં પ્રકાશે છે કે તેથી આત્મસામર્થ્ય સમજાય તે અર્થે તેમ કહ્યું છે—જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય.” માટે કેવળજ્ઞાન નથી એમ નથી, કેવળજ્ઞાન અવશ્ય છે એ કથે છે–એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. જોકે હાલ કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરે છે, તે કેવળજ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તે તે પણ સંભવિત છે. કેમકે માત્ર જગતજ્ઞાન તે કેવલજ્ઞાનને વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. અર્થાત્ કેવળજ્ઞાનને નિષેધ છે જ નહીં, જગતજ્ઞાનને પણ નિષેધ છે જ નહીં, પણ મુક્તકંઠે સ્વીકાર છે; નિષેધ છે “માત્ર–કેવળ એકાંતે કહેવાને. સર્વ વિરોધોનું શમન કરે એ અપૂર્વ સમાધાનસમુચ્ચયાર્થ અત્ર આ અમૃતપત્રના અંતે લખતાં શ્રીમદ્ આ અમર ઉદ્ઘેષણ કરે છે –
આત્મા જ્યારે અત્યંત શુદ્ધજ્ઞાન સ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષને અભાવ થયે અત્યંત શુદ્ધજ્ઞાન સ્થિતિ પ્રગટવાયેગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન છે. અને તે સંદેહગ્ય નથી. ૪૪ જગના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન છે,