________________
૫૯
અધ્યાત્મ રાજચંદ્ર
શુદ્ધ ઉપયાગ જ ગ્રહણ કરી શકે; ઉપચાગનું એકસમયવતિ પણું કષાયાદિના અભાવે જ થાય છે અને કષાયાદિના અભાવે જ કેવલજ્ઞાનનું પ્રગટવાપણું થાય છે. આમ બધી શાસ્રોક્ત વાતનેા સુમેળ મળી જાય એવી પરમ ચુક્તિયુક્ત પરમ વિશદ વિચારણા પરમ મહામતિ શ્રીમદ્દે અત્ર પ્રકાશી છે. ખરેખર! પરમ સૂક્ષ્મ બુદ્ધિના મહાસાગર મહાબુદ્ધિનિધાન સન્મતિ શ્રીમદે અત્ર પ્રકાશૈલી સૂક્ષ્મ તત્ત્વમીમાંસા મહાસૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારા મહામતિ જના ગ્રહણ કરી શકે એવી છે, તે મંદબુદ્ધિજડબુદ્ધિ એવા અબુદ્ધિ-દુબુદ્ધિ જના કેમ ગ્રહણ કરી શકે?
આવા આ મહાસૂક્ષ્મબુદ્ધિગમ્ય કેવલજ્ઞાનના સ્વરૂપના વિચાર દુગમ્ય છે, અને ભૂત–ભવિષ્યનું જ્ઞાન ન થાય એવી માન્યતા કરવી ચેાગ્ય નથી, અર્થાત્ ભૂત-ભવિષ્યનું યથાર્થ જ્ઞાન વિરલ પુરુષાને વિશુદ્ધ ચારિત્રતારતમ્યે થવા ચેાગ્ય છે, એમ ખુલંદ નાદથી શ્રીમદ્ ઉદ્ઘાષે છે—કેવળજ્ઞાનના સ્વરૂપના વિચાર દુગમ્ય છે, X X અને ભૂતભવિષ્યનું કંઈ પણુ જ્ઞાન કોઈ ને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂતભવિષ્યનું યથાથ જ્ઞાન થવાયેાગ્ય છે, પણ કાઇક વિરલા પુરુષાને અને તે પણ વિશુદ્ધ ચારિત્રતારતમ્યે. એટલે તે સ ંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વમાનમાં અભાવ જેવી વર્તે છે.'——ભૂત-ભવિષ્યનું જ્ઞાન થઇ શકે છે એમ સ્પષ્ટ કથતા શ્રીમદ્નના આ વચન એટલા બધા સ્પષ્ટ છે કે કોઇ પણ મૂઢબુદ્ધિ તેના વપસ્ત અર્થ કરી શકે એમ નથી. ભૂત-ભવિષ્યના જ્ઞાનના નિષેધ કરવાની વાત તે। દૂર રહી, પણુ શ્રીમદ્ તા તે નિષેધ કરનારના જ નિષેધ કરે છે, અર્થાત્ કેવળજ્ઞાનથી ભૂત-ભવિષ્યાદિ અવશ્ય જાણી શકાય છે એવું સ્પષ્ટ વિધાન કરે છે. આમ છતાં ભૂત-ભવિષ્યને જાણવું એ કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યા નથી, મુખ્ય વ્યાખ્યા તે આત્મસ્થિતિ અને આત્મસમાધિ છે, એમ ગૌણુ-પ્રધાનભાવથી આ વ્યાખ્યાના સ્પષ્ટ પરમા આશય શ્રીમદ્ ઉદ્દેાષે છે—કેવળજ્ઞાનના અથ વત્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દભેાધથી જે કહે છે, તે યથા નથી એમ શ્રી ડુંગરને લાગતું હાય તેા તે સ ંભવિત છે; વળી ભૂતભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન છે, એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષાએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્યતા આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે.’
આમ કેવલજ્ઞાનની મુખ્ય વ્યાખ્યા તે સ્વલક્ષી-આત્મલક્ષી છે—જ્ઞાયકલક્ષી છે, ગૌણ વ્યાખ્યા પરલક્ષી-જગલક્ષી-જ્ઞેયલક્ષી છે. શાસ્ત્રના માત્ર શબ્દને (Letters) પકડનારા જના શાસ્ત્રના મુખ્ય પરમાથ આશયને (Spirit) સમજતા નથી વા જાણતા નથી, એટલે પાતાની સમજફેરને લઇ મુખ્ય વ્યાખ્યાને ગૌણ ને ગૌણ વ્યાખ્યાને મુખ્ય બનાવી ઘે છે, એ એમની બુદ્ધિના જ દોષ છે, પરમ નિર્દોષ શાસ્ત્રકારના દોષ નથી. અપૂર્વ જ્ઞાનઉદ્યોત રેલાવતા શ્રીમદે કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યાને મુખ્ય અને ગૌણુને ગૌણ એમ યથાસ્થાને યથાસ્થિતપણે મૂકી, કેવળજ્ઞાનની અપૂર્વ વ્યાખ્યાને અનંતગુણુવિશિષ્ટ ઉચ્ચભૂમિકા પર મૂકી દીધી છે, શાસ્રકારના પરમાર્થ આશયને અવિરોધપણે