SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિ (જાતિસ્મરણાન) ૨૭ આત્મવેગ મળે છે. “જબ જાએંગે આતમા તબ લાગેંગે રંગ.” શ્રીમદને લઘુવયથી જે સંગતિશય સ્થળે સ્થળે પ્રગટ દશ્યમાન થાય છે, તેનું રહસ્ય આ પૂર્વજન્મપ્રતીતિજન્ય આત્માનુભવ છે. દિન દિન પ્રતિ વર્ધમાન થતું જે આજન્મ પરમ વૈરાગ્ય તેમના વચનામૃતમાં પદે પદે નિઝરે છે તેનું રહસ્યકારણ આ જ સાક્ષાત્ આત્માનુભૂતિ છે. ખરેખરા મહાસંગરંગી મહામુનીશ્વરને પણ દુર્લભ એ શ્રીમદને પરમ સંવેગતિશય કેટલે બધો સર્વાતિશાયી (Surpassing all) છે, તે આ તેમના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળી પડેલા સહજ સ્વયંભૂ ઉગારે પરથી સ્વયં ફલિત થાય છે –. અંતર્ગાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતું નથી વા સાંભરતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯પ-વિકલ્પનું રટન ન કર્યું હોય અને એ વડે “સમાધિ” ન ભૂલ્યા હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈિરાગ્યને આપે છે. * * વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિ પણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું? એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.” (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૧૫) ઇત્યાદિ. શ્રીમદ્જીનો આ અદ્ભુત સંગીતિશય આગળ જતાં ઉત્તરોત્તર વૃદ્ધિગત થતો ગયે હતો તે લધુવયમાં ઉપજેલા જાતિસ્મરણજ્ઞાનનું સહજ સ્વાભાવિક ફલ હતું. કારણ કે જેને જાતિસ્મરણ ઉપજે છે તેને પ્રાયઃ સંવેગ-વૈરાગ્ય ઉપજ્યા વિના રહેતું નથી. કવચિત્ કઈ મેહમૂઢ જીવ પૂર્વજન્મના સંબંધ ને સંબંધીઓના વિચારમાં પડી જઈ આર્તધ્યાનમાં ચડી જાય તો તે જુદી વાત છે; પણ જેને જ્ઞાનદષ્ટિ લાગે છે તે તો એવી સમ્યક્ વિચારધારા પર ચઢે છે કે–આ મહારા દેહધારી આત્માએ અનેક જન્મ ધારણ કર્યા, તેમાં હારી જાતિ કઈ ? મ્હારૂં કુલ કયું? હારો પર્યાય કર્યો ? અનેક ઓરડામાંથી એક દી લઈ જવામાં આવે તેમ આ હારી આત્મતિ કર્મ પરવશપણે અનેક દેહમાં લઈ જવામાં આવી છે, તેમાં કર્યો દેહ હારે ગણ? કયું નામ મહારૂં ગણવું? કયું રૂપ મ્હારૂં ગણવું? અનેક અનિયત અસ્થિર દેહમાંથી પસાર થતો હું તો એક નિયત શાશ્વત આત્મા છું. ખરેખર! દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય જ મહારી જાતિ છે. એમ નિર્મલ તત્ત્વવિચારની શ્રેણીએ ચઢતાં તેને પુદ્ગલમય દેહાદિથી ભિન્ન ચૈતન્યમય આત્માના હેવાપણાની અને તેના નિત્યપણાની પ્રત્યક્ષ–સાક્ષાત્ આત્મપ્રતીતિ થાય છે, આત્મવિનિઐયરૂપ સમ્યગદર્શન ઉપજે છે. આચારાગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાકય, કહ્યું છે કે–આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવે છે? ઉત્તરથી આવ્યો છે? દક્ષિણથી આવ્યું છે? અથવા ઊંચેથી? નીચેથી? કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે? એમ જે જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણે આ પ્રમાણે–(૧) તીર્થકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિજ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની અનુસંધિ છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy