________________
અધ્યાત્મ રાજપથ કોઈ પણ સકર્ણને સુપ્રતીતિ કરાવવાનું અને રોમાંચિત ભક્તિભાવ કુરાવવાને પરમ સમર્થ છે—.
પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, ગ, સમાધિ અને સસંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે.
પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે તે ક્ષેત્ર અત્યંત અત્યંત ધન્ય છે તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષનાં સિદ્ધાંત તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છયે. અખંડ આત્મધુનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૯, ૪૬૫ ઈત્યાદિ.
શ્રી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પ્રખર વેદાંતી શાસ્ત્રજ્ઞ સાક્ષરરત્નને પરમ અદ્ભુત વિચક્ષણતાથી આગમથી અનુમાનથી અને અનુભવથી પુનર્જન્મની પ્રતીતિ કરાવતા સુપ્રસિદ્ધ પત્રોમાં શ્રીમદ્જી લખે છે કે-“પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહિં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું – . મારૂં કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે છે કે, આ કાળમાં પણ કઈ કઈ મહાત્માઓ ગત ભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યફ હોય છે. ઉત્કૃષ્ટ સન્વેગ, જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂત ભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે, અને શંકાસહ પ્રયત્ન તે ગ્ય સિદ્ધિ આપતું નથી. મા. “પુનર્જન્મ છે –આટલું પરક્ષે–પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. પુનર્જ મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયે છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. ૪૪૪ “પુનર્જન્મ છે તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક સપુરુષોને સિદ્ધ થયેલ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૦) આમ શ્રીમનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા ૫૦–૧૫ વર્ષની વયના વાવૃદ્ધ સુપ્રતિષ્ઠિત વેદાંતી વિદ્વાનને પણ વીસ-એકવીશ વર્ષની વયના શ્રીમદ જેવા જ્ઞાનવૃદ્ધ યુવાને જે અદ્ભુત વિચક્ષણતાથી આ બા. સુપ્રતીતિ કરાવી છે તે ખરેખર! અદ્ભુત છે.
ઘણી વખત ભલભલા વિદ્વાનોને-પંડિતમને પણ પિતે મુખથી કથન કરતાં છતાં, મોટી મોટી વાતો કરતાં છતાં, તત્સંબંધી મેટામેટા ગ્રંથો લખતાં છતાં, અંતઃપ્રતીતિનો અભાવ હોય છે, અને આ અંતઃપ્રતીતિના અભાવે તેમને ધર્મ પ્રયત્ન પણ સાશંક અથવા નિર્બળ હોય છે, એટલે તે પ્રાયે પરમાર્થે નિષ્ફળ જાય છે, “વારના નિત'ના જેવી સ્થિતિ થાય છે. કારણ કે અંતઃપ્રતીતિના અભાવે તેમાં વેગ-સંવેગ ( Impetus) મળતું નથી, પણ અંતઃપ્રતીતિના સદૂભાવે તે સંવેગ-ખરો અંતર્ગ