________________
૫૭૮
અધ્યાત્મ રાજચંદ્ર
હોય, વળી આ કૃત્ય તેના હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તેને લાભનું કારણ છે, છતાં તે વિરુદ્ધ થાય તો કાંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કામ હોય ત્યાં મરણ સુધી પણ પાછા હઠવું નહીં. એમ કહી આઠદષ્ટિની સઝાયમાંથી “ધર્મ અર્થ ઈહાં પ્રાણનેજી, છેડે પણ નહિં ધર્મ પ્રાણઅર્થ સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ રે.” એ ગાથા કહી સંભળાવી. તે પછી પદમશીભાઈને હિંમત આવી ને હેંડબીલમાં સહી કરી આપી. એ મેળાવડો થયો. પ્રમુખપદે પૂજ્યશ્રી બિરાજ્યા. મી. ગેસલીંગ અને ડૉ. સુખીઓ વગેરેએ લંબાણથી ભાષણ કર્યા. તે પછી આસ્તે આસ્તે રસી બંધ થઈ ગઈ.
ઇનોકયુલેશન-મરકીની રસી. રસીના નામે દાક્તરેએ જે આ ધતીંગ ઉભું કર્યું છે. બિચારાં અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાંખે છે, હિંસા કરી પાપને પિષે છે. પાપ ઉપાજે છે, પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્યું છે, તે યુગે વર્તમાનમાં તે પુણ્ય ભેગવે છે, પણ પરિણામે પાપ હેરે છે, તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા તો પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઉભું થાય !'--શ્રીમદની “જીવનરેખા
(શ્રી મનસુખભાઈ કિરચંદકૃત) પદમશીભાઈ જિજ્ઞાસાથી કઈ કઈ પૃચ્છા કરતા, તેના શ્રીમદ સંતોષકારક સચોટ જવાબ આપતા. જેમકે-(૧) એકવાર પદમશીભાઈ એ પૂછયું-શ્રીકૃષ્ણ વિષે જૈનધર્મના પુસ્તકમાં લખ્યું છે કે તેઓ ત્રીજી નરકે ગયા અને વિષ્ણુશાસ્ત્રમાં શ્રીકૃષ્ણ ભગવાન મોક્ષ ગયા છે એમ કહે છે. એ બન્ને વાતે મળતી કેમ નથી આવતી? પૂજ્યશ્રીએ જવાબ આપ્યો—જે પ્રકારે જેનશાસ્ત્રમાં નરકે ગયા કહ્યું છે તે પ્રકારે જે કંઈ જીવ વર્તે તે નરકે જાય, અને જે પ્રકારે વિષ્ણુશાસ્ત્રોમાં મિક્ષ કહ્યો છે તે પ્રકારે કઈ જીવ વતે તે તે મેક્ષે જાય. માટે બન્ને શામાં દષ્ટાંતરૂપે લખેલ છે ને તે બન્ને બરાબર છે. કોઈ પણ દષ્ટાંતને વળગી પડવું નહિં, પણ તેમાં તત્ત્વ શું છે તે ગ્રહણ કરવું. (૨) પદમશીભાઈએ પૂછયું-શાસ્ત્રમાં પૃથ્વી સપાટ કહી છે ને હાલના શોધકે ગેળ કહે છે, તેમાં ખરું શું? પૂજ્યશ્રીએ ઉત્તર આયે તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય છે? પદમશીભાઈએ કહ્યું–હું તે જાણવા માગું છું. પૂજ્યશ્રીએ કહ્યું-તીથકર ભગવાનમાં શક્તિ વધારે ધારે છે કે હાલના શોધકોમાં ? પદમશીભાઈએ કહ્યું-તીર્થકર ભગવાનમાં. પૂજ્યશ્રીએ સચેટ માર્મિક જવાબ આપે–ત્યારે તમે તીર્થકર ભગવાનના વચન પર શ્રદ્ધા રાખો ને શંકા કાઢી નાંખો. આત્માનું કલ્યાણ કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ જેવી હશે તેવી કાંઈ હરકત કરશે નહિં. (૩) પદમશીભાઈએ પૂછયું મને ભયની સંજ્ઞા વધારે છે તેને શો ઉપાય ? પૂજ્યશ્રીએ કહ્યું-મોટામાં મોટે ભય કો? પદમશીભાઈએ કહ્યું–તને. પૂજ્યશ્રીએ કહ્યું–તે તો આયુષ્યના બંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થવા સુધી મરણને ભય નથી, ત્યારે તેથી નાના ભયથી શું થવાનું હતું? એવું મન દઢ રાખવું. (૪) એક દિવસ નવતત્વપ્રશ્નોત્તર ગ્રંથ વાંચતાં પદમશીભાઈને