SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ અધ્યાત્મ રાજય ક પરમ ભક્તિપૂર્વક એવું સુંદર કયું છે કે તે આવૃત્તિ એક પ્રમાણભૂત (standard) આવૃત્તિ થઈ પડી. આ અંગે શ્રી મનસુખભાઈએ સર્વથા પૂર્ણ નિઃસ્વાથ પણે પૂ` પરમ પરમા પ્રેમથી પરમ ભક્તિપૂર્વક લગભગ બે વર્ષ જેટલા સમય રાજ આઠથી દશ કલાક એકલા હાથે (single-handed) અથાગ પરિશ્રમ કરી આવું મહાન સ ંશાધન કાય ક" તે માટે મુમુક્ષુ જગત્ તેમનું ઋણી છે. આમ શ્રીમદ્નના સાક્ષાત્ સત્તમાગમલાભ પામનારા આ મહામુમુક્ષુ મનઃસુખભાઈ એ યથાશક્તિ યથાભક્તિ પેાતાના પરમગુરુનું પરમ ગૌરવ કરવામાં ગૌરવાન્વિત ફાળા માપ્યા છે,—ભક્તિથી આત્માપણુ કરી પરમ ગુરુની ગૌરવવૃદ્ધિમાં શક્તિસમર્પણ કર્યુ છે. પ્રકરણ છયાશીમુ પ્રાસ્તાવિક પરિચયપ્રસ ગા શ્રીમદ્ જેવી મહાવિભૂતિના સંસર્ગમાં—સત્સમાગમમાં વિવિધ વ્યક્તિઓને આવ વાના પ્રસંગે। સંખઈમાં તેમજ અન્યત્ર બન્યા હતા. તેમાં કાઇ કાષ્ઠ મહાનુભાવાએ પેાતાના પરિચયપ્રસંગાની નોંધ આલેખી છે, તેમાંથી મુખ્ય સારભૂત કેટલીક અત્ર પ્રાસ્તાવિક પરિચયપ્રસંગેાના પ્રકરણમાં આપશું. ૧ એક કચ્છી ભાઈ બેરાનીવાળા પદમશી ઠાકરશી મુંબઈમાં પ્રથમ ૧૯૪૨માં ને પછી ૧૯૫૫-૫૬માં શ્રીમના સમાગમમાં આવ્યા હતા. એક વખત તેમને શ્રીમદ્ સાથે ભૂલેશ્વરમાં જિનમંદિરમાં જવાના પ્રસંગ અન્યા હતા, ત્યારે તેમણે શ્રીમને સીધા પ્રશ્ન પૂછ્યો હતા—આપને જાતિસ્મરણજ્ઞાન છે ને ૯૦૦ ભવ દેખી શકેા છે. એમ મેં સાંભળ્યું છે તે વ્યાજખી છે? શ્રીમદે હ્યું—હા, એવું કંઈક છે, તેને આધારે આમ કહેવાણું છે. પદમશીભાઇએ પૂછ્યું —આપને જાતિસ્મરણુ કેટલી 'મરે અને કેવી રીતે થયું ? શ્રીમદે જવાબ આપ્યા—અમે પાંચ વરસની વયનાં હતા ત્યારે શ્રી વવાણીમાં અમીચંદ નામના ગૃહસ્થ હતા, જે ભાઇ કલ્યાણજીભાઇ જેવા કદાવર રૂપાળા ગુણી વગેરે હતા. અમારા ઉપર તે વહાલ રાખતા. તેને સર્પ સ્યા તેથી ગુજરી ગયા. એમ વાત સાંભળી ઘેર જઈ પિતામહને પૂછ્યું' કે અમીચંદ્ર ગૂજરી ગયા કે? પિતામહે કહ્યું કે એ વાતની તને ખખર ન પડે, રાંઢા કરી લે, વગેરે. એ વાત મૂકવાને અનેક યુક્તિએ કરી, પણ અમે ગૂજરી જવા વિષે આ પહેલું સાંભળેલું હેાવાથી તે સમજવાની જિજ્ઞાસા તીવ્ર થયેલ, તેથી ફ્રી ફ્રી એ સવાલ કરતા રહ્યા. છેલ્લે પિતામહે કહ્યુંતેમાંથી જીવ નીકળી ગયા, હવે તે હાલી ચાલી મેલી ખાઈ પી વગેરે કાંઈ કરી શકે નહીં, માટે તેને તળાવ પાસેના મસાણમાં ખાળી આવશે. અમે ઘેાડીવાર ઘરમાં આમ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy