SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ મનઃસુખભાઈ કિરતચંદને શ્રીમદ સત્સમાગમલાભ ૫૭૫ સ્ત્રીઓ બાહ પામી પાછળ ફરવા લાગી. નિયાણુને દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડયું. મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વિભવ મળે કે અમુક ઈચ્છિત થાઓ એવી ઈચ્છાને નિયાણું (નિદાન દોષ) કહે છે, તેવું નિયાણું ન બાંધવું ઘટે. મનસુખભાઈ–સાહેબ, અવગાહના એટલે શું? કદ? શ્રીમદ્દ–ના, અવગાહના એટલે અવગાહના. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દ એવા હોય છે કે જેને અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે. જે સમજ્યા જાય, પણ વ્યક્ત ન કરી શકાય. અવગાહના એ શબ્દ છે. ઘણું બધે, વિશેષ વિચારે એ સમજી શકાય. અવગાહના ક્ષેત્ર આશ્રયી છે. જૂદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણું તે તેની અવગાહના. આ ઉપરાંત બીજા પણ બધપ્રસંગે મુંબઈમાં સમાગમલામાં બન્યા હતા. તે પછી ૧૫૬ના વૈ. માસમાં તથા ભાદ્રમાં પુનઃ મેરબીમાં તથા ૧૯૫૭ના ભાગમાં પુનઃ મુંબઈમાં શ્રીમને સમાગમલાભ મનસુખભાઈને મળ્યો હતો. તેમાં એક બે પ્રસંગેઃ (૧) મોરબીમાં ભગવદ્ગીતા સંબધી વાતના પ્રસંગમાં શ્રીમદે કહ્યું હતું કે-ભગવદ્ગીતામાં પૂર્વાપર વિરોધ છે. શું વિરોધ પૂર્વાપર છે, તે અવલોકવા આપી છે. અવલોકશે એટલે જણાઈ આવશે. પૂર્વાપર અવિરેાધ એવું દર્શન, એવાં વચન તે વીતરાગના છે. ઈ. (૨) રોગશાસ્ત્રના તથા આપ્તમીમાંસાના મંગલ ગ્લૅક શ્રીમુખે સમજાવી ગ્રંથમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમ જ-શ્રીમદૂની છેલ્લી શારીરિક અનાગ્ય અવસ્થા વખતે ૧લ્પના ભાદમાં વઢવાણ કાંપમાં મનસુખભાઈ સેવામાં હાજર હતા. પછી મનસુખભાઈએ રજા માગી. સાહેબ, આજ્ઞા માગું છું, રજા લઉં છું. શ્રીમદે કહ્યું–કેમ, હરત છે? મનસુખભાઈએ કહ્યું-ઝાઝે સમુદાય એકઠે થતાં સેવા આપવા બદલ મેમાનગીરી આદિ તકલીફને બેજે આપીએ છીએ. શ્રીમદે કહ્યું–જહાસુહં દેવાણુપિય! શાંતસુધારસ વાંચશે. છેવટ ૧૯૫૭ ના ચૈત્રમાં શ્રીમદની અંતિમ અવસ્થા વેળાએ રાજકેટ ચિત્ર વદ ૪ સુધી મનસુખભાઈ સેવામાં હાજર હતા. શ્રીમદે તો ચિત્ર વદ ૮ સુધી મનસુખભાઈને રોકાવાની ને શાંતિનાથના નામની માળા જપવાની આજ્ઞા પુંજાભાઈને મુખે કરેલી હતી, પણ તેઓ (પુંજાભાઈ) ઉતાવળમાં મનસુખભાઈને કહેવાનું ભૂલી ગયા; અને અત્રે પણ વઢવાણુકાંપ જેવો વિકલ્પ થતાં મનસુખભાઈ અને ધારશીભાઈ આજ્ઞા લઈ વદ ૪ ના દિવસે મેરબી આવ્યા; વદ ૫ ને તે દેહવિલય થયો! જેમ મહામુમુક્ષુ અંબાલાલભાઈને શ્રીમદને પત્રસંચય એકત્રિત કરવામાં અને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમવૃત્તિના પ્રકાશનમાં અમૂલ્ય ફાળે છે, તેમ તેની દ્વિતીય સંધિત વર્ધિત આવૃત્તિમાં મનઃસુખભાઈને તે જ અમૂલ્ય ઘણે મેટો ફાળો છે. મનસુખભાઈ એ શ્રીમદ્દ જેવા પરમગુરુના વચનગૌરવને અનુરૂપ ગૌરવપૂર્ણ બાલ ધ લિપિમાં છપાયેલ આ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું અપૂર્વ સંશોધન
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy