SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખભાઈ કિરતચંદને શ્રીમદ્ સત્સમાગમલાભ પ૭છે. શ્રીમદ્દ– હેમચંદ્રાચાર્યને થયાં આઠ વરસ થયા. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે કાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધન પ્રવૃત્તિ કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તે જુદે પંથ પ્રવર્તાવી શકત. તેમણે ત્રીશ. હજાર ઘરને શ્રાવક કર્યા. ૪ ૪ પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું હતું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હેઈ શકે, અમે તો તે તીર્થંકરની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાગનું પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગ માગને પરમાર્થ પ્રકાશવારૂપ કાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગ માર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યાઆદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગ માર્ગ ભણી લેકોને વાળવા, લેકપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ, એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે, તેવા ભાગ્યવાન મહામ્યવાન ક્ષે પશમશક્તિવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનેને યથાવત્ તેલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એ નિર્ધાર કરી શકે તેવા પુરુષ કાનુગ્રહ, પરમાર્થ પ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છ વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતે જતો હતો. ૪ ૪ આમ વીતરાગધર્મ વિમુખતા ચાલી- ૪ ૪ વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસે વરસ પૂર્વે થયા. શ્રી આનંદઘનજીએ સ્વપરહિતબુદ્ધિથી લોકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકે ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયેગે લોકોપકાર, પરમાર્થ પ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તાવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લેખસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી વિશીપદ આદિ વડે લેકપકાર તે કરી જ ગયા, નિષ્કારણ કરુણા–લેકે પકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લેકે આનંદઘનજીને ઓળખી ન શક્યાં, પણ આનંદઘનજી તે અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તે આનંદઘનજીના વખત કરતાં વધારે વિષમતા, વીતરાગધર્મવિમુખતા વ્યાપેલી છે. મનસુખભાઇ–આંબિલની ઓળીમાં અમે ગાઈએ છીએ કે–“જ્ઞાન એહિ જ આતમા” –આત્મા પોતે જ્ઞાન છે, તે પછી ભણવા-ગણવાની કે શાસ્ત્રઉપદેશની શું જરૂર છે ?
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy