SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૨ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદ્દ–તવાર્થ સૂત્ર વાંચ્યું? એ વાંચવા-વિચારવા આપ્યું છે. ફરી ફરી એ વિચારવા છે. યોગદષ્ટિસમુચ્ચય સંસ્કૃતમાં શ્રીહરિભદ્રાચાર્યે રચે છે. શ્રીયશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. તે મુખપાઠ કરી વિચારવા ગ્ય છે. એ દષ્ટિએ આત્માની દશાનું “થર્મોમીટર–માપક યંત્ર છે. શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષોનાં વચન. એ વચન સમજવા દષ્ટિ સમ્યગ જોઈએ. પાંચ હજાર શ્લેક મુખપાઠ કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું ભણી ઝાઝાને ડોળ કરનારા એવા પંડિતેનો ગોટો નથી. મનસુખભાઈ–સાહેબ, મોક્ષમાળાએ મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. મારા ઘરમાં પણ બહુ ઉપકાર કર્યો છે. એ આપની જેલી છે એ ગઈ સાલ સુધી ખબર ન હતી. એવી બીજી માળાઓ થવી જોઈએ. જેનમાર્ગ રહસ્ય બતાવનારા પાઠ ખૂબીથી ગોઠવ્યા છે. જ્યારે રચી હતી? હવે એવી બીજી રચના થાય તે ઠીક. શ્રીમદુ–મેક્ષમાળા અમે સેળ વરસ અને પાંચ માસની ઉમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭ મા પાઠ ઉપર શાહી ઢળાઈ જતાં તે પાઠ ફરી લખ પાડ્યો હતો. અને તે ઠેકાણે “બહુ પુણ્ય કેરા પુંજથી’નું અમૂલ્ય તાત્ત્વિક વિચારોનું કાવ્ય મૂકયું હતું. જેનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિક્ત માર્ગથી કંઈ પણ જૂનાધિક તેમાં નથી કહ્યું. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં પાય, તેવા હેતુએ બાલાવબેધરૂપ એની યોજના કરેલી છે. તે લિી તથા તે બોધને અનુસરવા પણ એ નમુને આપેલ છે. એનો પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. તે કઈ કરશે. એ છપાતાં વિલંબ થયેલ. તેથી ગ્રાહકોની આકુલતા ટાળવા “ભાવનાબેધ” ત્યારપછી રચી ઉપહારરૂપે આપ્યું હતું. હું કેણુ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં.. –એ પર જીવ વિચાર કરે તે તેને ન તત્વને સંપૂર્ણ બંધ મળી જાય એમ છે. એમાં નવ તત્ત્વનું સ્વરૂપ સમાવેશ પામે છે. વિવેકપૂર્વક વિચારવું જોઈએ; વિચારતાં આવડવું જોઈએ. મનસુખભાઈ–સાહેબ, આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકારની ઈચ્છા રહે એ સ્વાભાવિક છે; કેમ કરતા નથી? શ્રીમદ્દ–લકાનુગ્રહ સારે અને જરૂર? કે આત્મહિત. મનસુખભાઈસાહેબ, બનેની જરૂર છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy