________________
૫૭૦
અધ્યાત્મ રાજચંદ્ર કરવા સુધીની મુખત્યારી એમને આપી હતીઃ “મેક્ષમાળા’માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉપદુઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે.” (પત્રાંક ૯૨૧) અનન્ય વિશ્વાસ વિના આવો પિતાના ગ્રંથમાં હસ્તક્ષેપ કરવાને અખત્યાર-અધિકાર કેઈ આપે નહિં, એ જ સૂચવે છે કે શ્રીમદ્રને પિતાના આ પ્રિય શિષ્યમાં કે અનન્ય વિશ્વાસ હતો. મહામુમુક્ષુ જૂઠાભાઈ અને હૃદયજ્ઞ સૌભાગ્યભાઈ પછી શ્રીમદને જે કંઈ પ્રાયે સૌથી વધારે યથાર્થ પણે એળખનાર હોય તે શ્રી અંબાલાલભાઈ અને આ શ્રી મનસુખભાઈ હતા. આ ઋજુભૂતિ મનસુખભાઈને શ્રીમદ સાથે સમાગમ કેમ અને ક્યારે થવા પામ્યો તેને સંક્ષેપ ઈતિહાસ મનસુખભાઈની સમાગમનોંધના આધારે અત્રે આપીશું.
શ્રી મનસુખભાઈને સામાન્ય વ્યાવહારિક ભાવે શ્રીમદુને પરિચય સં. ૧લ્પ૦થી હતું, પણ પારમાર્થિક ભાવે–આ એક પરમજ્ઞાની પુરુષ છે એવા ભાવથી શ્રીમદને સમાગમ મનસુખભાઈને સં. ૧૫૫ના ચિત્ર વદ ૬થી થશે. શ્રીમદૂના આ પ્રથમ દર્શન -સમાગમનું તાદશ્ય રોચક શબ્દચિત્ર મનસુખભાઈએ “જીવનરેખા અંતર્ગત અંતર્યામીપણું” પ્રકરણમાં આલેખ્યું છે, તે “સ્વભાક્તિરૂપ શબ્દચિત્ર તેમના જ શબ્દોમાં અત્ર રજૂ કરશુંઃ શ્રીમદ્ રાજચંદ્ર એક જ્ઞાની, પરમ પુરુષ છે એવા ભાવથી પ્રથમ સમાગમ મને મોરબીમાં સં. ૧લ્પના ચૈત્ર વદ ૬થી થયે. વ્યવહારભાવે અન્ય સુપરિચિત હતા. આ સમાગમ થયે તે પહેલાં ચાર પાંચ દિવસ પહેલાં તેઓની સમીપે વવાણીએ જવાની તેમજ તેમને પત્ર લખવાની મને તીવ્ર ઉત્કંઠા હતી. પણ આ ઉત્કંઠાને તેઓશ્રીને સમાગમલાભ પામેલ, તેઓશ્રી પ્રતિ ભક્તિભાવ ધરાવનાર મારા એક સ્વ. સ્નેહીએ રોધી,–તે એમ કહીને કે શ્રીમદ્ હાલ કેઈને સમાગમ કરતા નથી, કેઈ સાથે પત્રવ્યવહાર પણ કરતા નથી, એવી અસંગ દશામાં તેઓશ્રી વતે છે. મને વિચાર થયે, કે જે શ્રીમદ મને સુપરિચિત (વ્યવહાર ભાવે) છે, જેમને પ્રસંગ પ્રાપ્ત હું મળું છું, જેઓ મને આદરસત્કારે છે, જેમની સમીપે હું ભેદભાવ વિના ગાદીતકિએ ચડી બેસું છું, જેઓ કુશળ સમાચાર આદિ ઈચ્છી–પૂછી સભ્યતા-પ્રેમ દર્શાવે છે,–તે શ્રીમદ્ મને નહિં મળે?— તે શ્રીમદ મને પત્રને ઉત્તર નહિં આપે? ગમે તેમ પણ પત્ર લખવાની કે વવાણીએ જવાની વૃત્તિ તે ઉપર જણાવેલ ભાઈના કહેવાથી રોધાઈ ગઈ; પણ સમાગમની તીવ્રતા વૃદ્ધિ પામતી ગઈ. આ ભાવ શ્રીમદે જાણેલ. (તે તેમનું અંતર્યામીપણું). કેમકે તેઓશ્રી મોરબી ચિત્ર વદ ૬ના રોજ સવારે પધાર્યા. ૪૪ (પછી સાંજે શ્રીમદુની સમીપે) જતાં રસ્તામાં વિકલ્પ થયા કરતા હતા કે મને મળશે કે નહિં? મારી સાથે બોલશે કે નહિં? મને આદરભાવ આપશે કે નહિં? કાનની બહેરાશ આ સાલથી જ આવી છે, તેઓશ્રીનું બલવું હું સાંભળી શકીશ કે નહિં? ત્યાં તે કઈ શ્રીમંત, ધીમંત, પ્રતિષ્ઠિત, અધિકારી, વકીલ, વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ વગેરેને સમુદાય મન્ય હશેસંકેચ પામીશ,-ઈત્યાદિ વિકલ્પ થયા કરતા હતા. ત્યાં અંતે રા. રેવાશંકર ઝુંઝાભાઈનું મકાન જ્યાં શ્રીમદને નિવાસ હતું તે આવ્યું. લીના માળ ઉપર ચડતાં નિસરણના ઉપલે પગથીએથી સામા