SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પિપટલાલભાઈને શ્રીમને દર્શન-સમાગમ મેં કહેલ–સાહેબ, શરમ આવે છે. શ્રીમદે કહ્યું–નીચે જતા રહો ! (પાછા બોલાવીને) શરમ ? કેમ શરમ ? એમ દશવાર શરમ, શરમ બોલાવીને કહ્યું કે શરમ? કે માન? માન ? કેટલા કષાય ત્યાં? ચારે. શું કષાય કરવા અહીં આવે છે ? (૨) ૧૫૭ ના માગશરમાં (અમદાવાદ ૨૭ દિવસ સ્થિરતા કરી) શ્રીમદ્ મુંબઈ પધાર્યા. [અંતરુવિચારણું મારી. સમજણ તે નથી. અપૂર્વ સ્નેહ છે. તે પૂર્વિત સ્નેહ હેય? પૂછવું] માઘ માસમાં પાછા તીથલથી પધારતાં નડિયાદ દર્શન-સેવાલાભ લીધે, પણ કાર્યને લઈ અમદાવાદ મારૂં એક ટ્રેન વહેલું જવું થયું. પિતે શ્રીમદ્ ત્યારપછી પરભાર્યા વઢવાણકાંપ પધાર્યા. મેળાપ ન થયા. (૩) વઢવાણકાંપમાં અમદાવાદમાં વ્યવહારપ્રજન બા. પૂછવા વિચાર થયેલ, તે વગર પૂ શ્રીમદે કહ્યું-દિગંબર દશાએ વર્તીએ તે કાળ નથી. “સવિ જીવ કરૂં શાસનરસી ઈત્યાદિ. છેવટ પિોપટલાલભાઈ નેધે છે–શ્રી ઉગરીબહેન ૧૯૫૭ ચૈત્ર વદ ૪-૫ ના રાજકેટથી પધારતાં શ્રીમદને સંદેશ લાવ્યા–“ભાઈ, બહેન (હું અને ગંગાબહેન) મુરબ્બે ચાખીને લાવે. ભગવાનના ધામમાં છીએ. એમ જણાવજે.” ચૈત્ર વદ ૫ તો શ્રીમદના દેહવિલયના સમાચાર ફરી વળ્યા. પ્રકરણ પંચાશીમું મનસુખભાઈ કિરચંદને શ્રીમદ્ સત્સમાગમલાભ શ્રીમદના અનુપમ સત્સંગને ધન્ય લાભ પામેલા મુખ્ય સત્સંગીઓમાં મોરબી નિવાસી સાક્ષરરત્ન મનસુખભાઈ કિરતચંદનું પણ વિશિષ્ટ સ્થાન છે. શ્રીમદ્રના પ્રારંભના સત્સંગીઓમાં મનઃસુખરામ ત્રિપાઠી જે એક જૈનેતર સાક્ષર હતા, તે પાછળના સત્સંગીઓમાં તેમના જ નામેરી મનસુખભાઈ એક જેને સાક્ષર હતા શ્રીમદના Pet student-પ્રિય માન્ય શિષ્ય આ મનસુખભાઈ બીજાઓ કરતાં ઉમરમાં નાના હોવાથી શ્રીમદના સમાગમમાં આવવાને પ્રસંગ તેમને મેડે (૧લ્પપના ચિત્રમાં) મળે, પણ થોડા વખતના સમાગમલાભમાં પણ મનસુખભાઈ એ પિતાની વિશિષ્ટ યોગ્યતા અને તીવ્ર ગ્રહણશક્તિના કારણે ઘણા વર્ષોના સમાગમીઓ કરતાં ઘણું ઘણું લાભ ઊઠાવી લીધું. બીજાઓને તે હજુ સંસ્કૃત વગેરે ભણવાની શ્રીમદને આજ્ઞા કરવી પડેલી, ત્યારે આ શિષ્ય તે સંસ્કૃત વગેરેને જ્ઞાતા, પાશ્ચાત્ય કેળવણી પામેલ છતાં ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાન પૂર્ણ ભક્તિમાન વિદ્વાન હોઈ તત્ત્વ ગ્રહણ કરવાની વિશેષ યોગ્યતાવાળે હતું, એટલે જ શ્રીમદને તેના પ્રત્યે નૈસર્ગિક પ્રેમ એર ઉલસાયમાન થયું. થોડા જ વખતમાં મનસુખભાઈ શ્રીમદ્દના એટલા બધા પ્રીતિપાત્ર અને વિશ્વાસુ બની ગયા કે શ્રીમદે પિતાના મોક્ષમાળા ગ્રંથમાં શબ્દાંતર–વાક્યાંતર અ-૭૨
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy