SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૬ અધ્યાત્મ રાજચંદ્ર પૂછયું–સાહેબ, જાતિસ્મરણ જ્ઞાન કોઈને થતું હશે? શ્રીમદે જવાબ આપેઅનુભવ થાય છે. મેં પૂછયું–સાહેબ, નારકી–દેવ વગેરેનાં આવા અનુક્રમે દુઃખ-વૈભવનાં વર્ણન કરેલ છે, તે ભય તથા લાલચ દેખાડવા કે બીજું કાંઈ? શ્રીમદે જવાબ આપે–એવી ભાંગફેડમાં ન પડવું; આગળ વધવું. આમ અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. પર્યુષણનાં કારણે ગષ્ણવ્યવહારનાં કારણે હું અમદાવાદ આવ્યું, પણ શ્રીમદૂનાં પવિત્ર દર્શનસમાગમ તથા તેમની પવિત્ર જનગામી (!–ભાવથી) દેશનાની અસર ઘણી રહી, દશા ઘણુ તીવ્ર થઈ. પછી ૧૯૫૪ના ભાદરવામાં શ્રીમદ્ વસાક્ષેત્રે બિરાજમાન હતા ત્યાં પોપટલાલભાઈને સમાગમલાભ થયો. ત્યાં એકવાર શ્રીમદ્દ સાથે ફરવા જતાં રસ્તામાં, એક પાણીનું વહેળીયું આવ્યું. તે ઉપર શ્રીમદે કહ્યું–લકાનુગ્રહ કર્તવ્ય છે, પણ કેમ થાય? ચોમાસું ઊતરી ગયું! આ વહેળીયાની પેઠે સહજ સાજ મંદવત્ જ્ઞાન રહ્યું. લેકેને જ્ઞાનપિપાસા નથી. પિપાસા ઉત્પન્ન કરવાની જરૂર છે.” શ્રીમદે એમ પણ કહ્યું હતું–અમે આરોમ (વાળ)ના છિદ્રો દેખીએ છીએ (એવી એમની ચક્ષુરિંદ્રિયલબ્ધિ હતી.) શ્રીમદે પિપટલાલભાઈ પાસે સુવિધિનાથજી તથા અભિનંદનજીના શ્રી આનંદઘનજીના સ્તરને ગવરાવી તેના અર્થ પ્રકાશ્યા હતા અને પ્રતિપત્તિપૂજા બારમે ગુણસ્થાનકે હોય એમ કહ્યું હતું. ૧૯૫૫ના માહ વદમાં શ્રીમદ્ ઈડરથી અમદાવાદ પધારતાં ઘાંચીની પિળ પાસે સામેના ડેલા ઉપર ઉતર્યા હતા. તેમની સાથે તેમના બનેવી શ્રી ટોકરશી દેવચંદ પણ ઈડરથી સાથે હતા, તેમણે કહ્યું—આપણે જે ગ્રહીએ છીએ, તે તે જાણે છે. ઈડરમાં જંગલમાં શ્રીમદ્ કાત્સલીન હતા; પાસેથી વાઘ શાંતિમાં ચાલ્યા ગયે. તેમણે શ્રીમદૂની ઈડરની ચર્ચા કરી દેખાડી હતી. જેસંગભાઈ ઉજમશીને રાત્રે ઊંઘ આવતાં સૂઈ જવા આજ્ઞા માગી. પછી ઉપદેશ શરૂ થયે, ત્રણ વાગી ગયા. પરેડિયે ત્રણ વાગ્યે શ્રીમદ્ આસ્તાડિઆ દરવાજા બહાર જંગલ જવા પધાર્યા. પિપટલાલભાઈ સાથે હતા. રસ્તામાં ચાલતાં શ્રીમદ્દ-કર ગુરૂગમ જ્ઞાન વિચારા, કર લે ગુરૂગમ જ્ઞાન વિચારા એ ગાથાને વનિ ગજાવતા જતા હતા. પોપટલાલભાઈએ પૂછયું–સાહેબ, છૂટવું છે; ત્યાગ જોઈએ છે; જે બહુ લાગે છે. એમ ત્યાગ (દીક્ષા) માટે આજ્ઞા માગી. શ્રીમદે કહ્યું–ત્યાગ અમને સોંપી દે. ચાર કલાક હમેશ દુકાને જવું. (ભાર ગયે.) ચાર–સાડા ચારે દિશાએથી પાછા ફર્યા, શ્રીમદ્ ઉપર પધાર્યા. ત્યારે જેસંગભાઈએ અંદર જવા આજ્ઞા માગી. તે મળતાં જેસંગભાઈએ શ્રીમને પ્રશ્ન કર્યો–આ કાળે કેવળ જ્ઞાન હોય? શ્રીમદે જવાબ આપે–પરમ શાંતિ અનુભવીએ છીએ.” આ વેળા સાબરમતી કાંઠે ભીમનાથમાં શ્રીમદે પરમતત્વદષ્ટિને અપૂર્વ બોધ આપી બીજપ્રક્ષેપ કરેલ હતું. શ્રી સુખલાલભાઈ પણ સાથે હતા. પછી ૧૯૫૫ના વૈશાખ ૧૩–૧૪૧૫ શ્રીમદ્દ અમદાવાદથી ઈડર પધારતાં પિપટલાલભાઈ સ્ટેશને વળાવવા જતાં, તેમને વર્તતી અંતરભાવના બાબત પૂછતાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy