SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૩ શ્રીમદ્દનું સંધીજીને માર્ગદશન ગાંધીજીને અપૂર્વ માર્ગદર્શન આપે છે. ઉપાધિમાં પ્રવર્તાવાનું ગાંધીજીને જાણે માર્મિક સૂચન કરતા હોય એમ પત્રપ્રારંભમાં જ વૈરાગ્યમૂર્તિ આર્ષદ્રષ્ટા શ્રીમદ બેધે છે–જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મેહબુદ્ધિ રહે છે.” પછી “આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મ કર્તા છે, આત્મા કર્મને ભક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે.”—એમ એ જ કારણેના અભ્યાસની પ્રેરણું કરી પરમ આત્મષ્ટા શ્રીમદ્દ લખે છે–અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મુંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે, કેમકે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છેડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે લેગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી જીવને પિતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને ચે.ગ રહ્યા કરે છે. અત્રે અનિત્ય પદાર્થ પાછળની પ્રવૃત્તિ કરતાં નિત્ય આત્મપદાર્થ અથેની પ્રવૃત્તિ કરવી શ્રેયસ્કર છે એ અલૌકિક માર્મિક બોધ ગાંઘીજીને આપી આર્ષદ્રષ્ટા શ્રીમદે છેવટે “કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચછા તમને વર્તે છે એમ જાણું,” નિઃસ્વાર્થ સંતેષ દર્શાવ્યું છે. અને આર્ય આચાર વિચાર વિષે વિવેચન કરતા એક ત્રીજા પત્રમાં (અં. ૭૧૭, ૧૫ર, આશે શુદ ૩) શ્રીમદે આર્ય આચાર વિચાર વિષે ગાંધીજીને માર્ગદર્શન આપતાં પોતાના અલૌકિક મૌલિક વિચારો દર્શાવ્યા છે— “અત્રેથી આર્ય આચાર વિચાર સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થ માં લખ્યું હતું -આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણેનું આચરવું તે; અને આર્ય વિચાર એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું જ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણે, તે કારણેની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ પદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy