________________
૫૫૮
અધ્યાત્મ રાજચંદ્ર નહિં પણ પુરુષાર્થ જાગૃતિ રાખવા અર્થે જ છે. એમ આ અમૃતપત્રના અંતે શ્રીમદે સ્પષ્ટ પ્રકાર્યું છે. અનુકૂળ કાળમાં તે ઓછી જાગૃતિ કદાચ હાનિ ન કરે, પણ આવા પ્રતિકૂળ દુઃષમ કાળમાં તે અત્યંત અત્યંત જાગૃતિ રાખવી જોઈએ; અને આ પ્રકરણના પ્રારંભમાં જ ટાંકેલા આ અમૃતપત્રના પરમ પુરુષાર્થ પ્રેરક વેધક વચન પ્રમાણે સાચા મુમુક્ષુના લક્ષણ આત્મામાં પ્રગટાવી મુમુક્ષુએ મોક્ષ માટેને અનન્ય પુરુષાર્થ ફેરાવ જોઈએ. આ દુષમકાળમાં પણ પુરુષાર્થ ખુરાવતાં મુમુક્ષુ હજુ મોક્ષ માટેની ઘણી ઘણી સાધના કરી શકે એમ છે, માટે દુષમકાળથી ભ ન પામતાં મુમુક્ષુએ તે પર પગ દઈ મોક્ષમાર્ગને પરમ પુરુષાર્થ આત્મવીર્ય પવ્યા વિના–અગુપ્ત વીર્યથી સર્વા
ત્માથી કરવા યોગ્ય છે, એ પરમ પુરુષાર્થપ્રેરક અમર સંદેશે આ પરમ આત્મપુરુષાથી પરમ પુરુષસિંહ શ્રીમદૂના આ અમૃત વચનમાં પ્રાપ્ત થાય છે—
“દુષમકાળ અને હુંડાવસર્પિણી નામને આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવું છે. આત્મશ્રેયઈચ્છક પુરુષે તેથી ક્ષેભ ન પામતાં વારંવાર તે રોગ પર પગ દઈ સત્ શ્રત, સસમાગમ અને સવૃત્તિ બળવાન કરવા યોગ્ય છે. (સં. ૮૨૪)
“દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષે અગુપ્ત વીર્યથી સમ્યકૃજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા ગ્ય છે.” (અં. ૮૩૧).
પણ આ કાળે મોક્ષ હોય કે ન હોય? એ પ્રશ્ન ઘણું મુમુક્ષુઓને મુંઝવે છે. કારણ કે જેનની વર્તમાન પ્રરૂપણામાં કવચિત્ તેવું વિધાન છે. એટલે મેક્ષ જે ન જ હાય, તે પછી તે માટે પ્રયત્ન પણપુરુષાર્થ પણ શા માટે કરવો જોઈએ? એવો સહજ પ્રશ્ન ઊઠે. એ પ્રશ્નનું સમાધાન કરતાં શ્રીમદે, “આ કાળમાં કઈ મોક્ષે ન જ જાય” એ વાક્યનું સ્યાદ્વાદશલીએ નિgષ પૃથક્કરણ કરી સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અ. ૧૮૦) અદૂભુત ખુલાસો કર્યો છે, ને તે પૂર્વે જીવન્મુક્તદશાના (૫૫) પ્રકરણમાં ચર્ચા છે, એટલે એનું પિષ્ટપેષણ અત્ર નથી કરતા. એનું તાત્પર્ય એ છે કે ક્વચિત તેવા જન વિધાન પ્રમાણે આ કાળે મોક્ષ ભલે કદાચ ન હોય, તો પણ મિથ્યાત્વાદિથી— મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ–કષાયાદિથી મૂકાવારૂપ એટલે તેટલો આંશિક મેક્ષ તો હોય જ, અને તે પણ મોક્ષમાર્ગે આગળ વધવાના મહાન પગલાં (great steps) છે, મોક્ષ ભણ પ્રગતિ કરવાના મહાન તબક્કા (Great milestones, stages) છે. એટલે કદાચ મેક્ષ બંધ હોય, પણ મોક્ષમાર્ગ તો બંધ (Closed) નથી જ. અરે ! આ પ્રકરણના પ્રારંભમાં જ જણાવ્યું છે તેમ એકાવતારીપણું પણ આ કાળમાં પ્રાપ્ત કરી શકાય છે, અને તે જૈનમાં પણ સર્વસ્વીકૃતપણે સ્વીકૃત જ છે; તેમજ–અપ્રમત્તગ સુધીની દશાને પણ મુક્તકંઠે સ્વીકાર છે જ, કે જે શુદ્ધોપયોગમય મહામુનિદશા જ છે. આમ આ કાળમાં પણ મોક્ષમાર્ગ તે સાવ ખુલ્લેખુલે પડયો છે, માટે મુમુસુએ મોક્ષપુરુષાર્થ તે એર વિશેષ જોરશોરથી કરવા યોગ્ય છે; કઠિન (hard times) કપરો કાળ હોય તે કમાવા માટે જેમ વધારે સુરુષાર્થ કરવો જોઈએ, તેમ આ કઠિન