SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષપુરુષાર્થની પ્રેરણ: ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષુને જાગૃતિ ૫૫૭ હવે શુષ્કઅધ્યાત્મના ત્રીજા પ્રકારની સૂક્ષ્મ મીમાંસા કરતાં આર્ષદૃષ્ટા શ્રીમદ સર્વકાળના સર્વ મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવો અમૃત વચનટંકાર કરે છે– “શમ, સંવેગાદિ ગુણે ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્ય વિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઈ પણ પ્રણાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સાગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાંસુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઇ, તે અંતભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પિતાને વિષે જ્ઞાન કરે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વરે છે, એ ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યામી છે.” –અત્રે અધ્યાત્મગ્રંથ કોણે કયારે કયાં કેવી રીતે વાંચવા-વિચારવા જોઈએ, તે વાંચવાને અધિકારી કણ–તે માટે કેવી કેવી યોગ્યતા જોઈએ તે દર્શાવવા સાથે, અનધિકારી વાંચે તે તેને શું વિપરિણામ થાય એ આદિ સ્પષ્ટ વિવરી બતાવ્યું છે. ઉપરમાં જે પરમાર્થ હેતુમૂળ જણાવ્યા તે શમ–સંવેગાદિ ગુણે આત્મામાં ઉત્પન્ન થયા હોય ત્યારે,આત્મપરિણામી થયા હોય ત્યારે; અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતપણું, મધ્યસ્થપણું આત્મામાં આવ્યું હોય ત્યારે; કષાયાદિ પાતળા પડ્યા હોય-મંદ પરિણમી થયા હોય ત્યારે; તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી–બુદ્ધિવિશેષથી સમજવાની યેગ્યતા પ્રાપ્ત હોય ત્યારે, આમ આવા આટલા ગુણેથી પોતાની તથારૂપ યોગ્યતા ઉપજી હોય ત્યારે; જે સદ્દગમે–સદ્ગુરુદ્વારા પ્રાપ્ત ગમથી–સમજણથી સમજવા ગ્ય અધ્યાત્મગ્રંથ છે; તેમ ન હોય ત્યાંસુધી તે અધ્યાત્મશા તે જીવના અનધિકારી૫ણુને લઈ તેને માટે તે પિતાનું જ ગળું કાપી નાખે એવા આત્મઘાતી શસ્ત્ર જેવા છે, તે અધ્યાત્મશા પિતાની કલ્પના પ્રમાણે જેમ તેમ-યદ્રા તા ફાવે તેમ વાંચી લઈ નિર્ધારી લઈ–નિર્ણય કરી લઈ, અંતરમાં કંઈ ભેદ થવારૂપ તે અંતર્ભેદ થયા વિના-દશા ફર્યા વિના, રાગશ્રેષ-કષાયાદિ વિભાવ ગયા વિના, પિતાને વિષે જ્ઞાન “કલ્પ છે?—તેમ નહિં છતાં કલ્પનાથી માની બેસે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર આદિ સસાધન છેડી દઈ સ્વછંદે વતે છે, એ ત્રીજો પ્રકાર શુક અધ્યાત્મીને છે–આત્માના ભાવરસની આદ્રતા વિનાના શુષ્ક-સુક્કા અધ્યાત્મીને છે. આવા શુષ્ક અધ્યાત્મી-શુષ્કજ્ઞાની કે અજ્ઞાની કે પરિગ્રહી ગુરુઓના વેગ જીવને ઠામઠામ બાઝે તેવું ને અવળે રસ્તે ચડાવી છે એવું વર્તમાનમાં છે એ માર્મિક શબ્દમાં દર્શાવતા શ્રીમદ્ ઉપસંહાર કરે છે– “ઠામઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તે જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચછક ગુરુઓ, માત્ર પોતાના માનપૂજાદિની કામનાએ ફરતા એવા, જીને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને કવચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુસમપણું છે.” ઈ. આમ વર્તમાનમાં સમાજ અંતર્ગત વહી રહેલા આવા ત્રણ પ્રવાહોનું તાદશ્ય દર્શન શ્રીમદે અત્રે કરાવ્યું છે, તેનું પ્રયજન રખેને તેવા કઈ પ્રવાહમાં ન પડી જવાય-ન તણાઈ જવાય એમ મુમુક્ષુને સાવધાન-જાગૃત રાખવા અથે છે; અને આવા પરમાર્થ પ્રાપ્તિમાં અંતરાયભૂત પ્રવાહને લઈ કાળનું દુષમપણું કહ્યું છે તે પણ પુરુષાર્થહીન કરવા અર્થે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy