________________
૫૫૬
અધ્યાત્મ રાજચંદ્ર મતિક૯૫નાદેષ બતાવવા શ્રીમદ્ વ્યવહારના બે સ્પષ્ટ વિભાગ પાડી સમજાવે છે– તેમ જ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજે વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સડો વ્યવહાર ઉત્થાપનારા પિતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી.” ત્યારે શાસ્ત્રકારે શું કહ્યું છે?— જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ ત્યવહાર છે તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યું છે.'–પરમાર્થ હતુ જેના મૂળમાં છે–પરમાર્થ હેતુ જેનું મૂળ છે, અથવા પરમાર્થ પ્રત્યે લઈ જતો એ જે પરમાર્થ પ્રતિપાદક પરમાર્થ હેતુનું મૂળ છે, એ પરમાર્થહેતુમૂળ જે વ્યવહાર નથી અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, અર્થાત્ મૂળ પરમાર્થ અર્થે જે વ્યવહાર નથી પણ માત્ર વ્યવહારઅર્થે વ્યવહાર છે, તેના દુરાગ્રહને-કદાગ્રહને શાસ્ત્રકારે નિષે છે. અને આ નિષેધ પણ કેવા પ્રકારે અને કેવી અપેક્ષાએ કર્યો છે તેની સાવ નિખુષ સ્પષ્ટતા કરે છે –
“જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય, એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાથા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે.”
અને પરમાર્થહેતુમૂળ વ્યવહારને તે શાસ્ત્રકારે કદી પણ નિષેધ કર્યો જ નથી એ વસ્તુ ડિંડિમ નાદથી ઉદ્ઘોષે છે—
અને પરમાર્થહેતુમૂળ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્દગુરુ, સશાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી અને તેને જે નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું કે શું સાધને કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શા ઉપદેશ્યાં? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરે કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગ તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપી પોતાને તથા પરને દુલ્લભબધીપણું કરે છે.” ' અર્થાત્ શમ–સંવેગાદિ પરમાર્થ હેતુમૂળ વ્યવહારની તે શાસ્ત્રકારે કદી ના પાડી જ નથી, હા જ પાડી છે, એવા વ્યવહારથી જ પરમાર્થ પ્રાપ્ત થાય છે, અને તે પરમાર્થ સાધક વ્યવહાર તે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે કે જેથી પરમાર્થની પ્રાપ્તિ થાય. આથી ઉલટું માની મિથ્યામતિકલ્પનાથી અધ્યાત્મરસવિહેણ શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગમાં આવનારાઓ, આશય સમજ્યા વિના, તે પરમાર્થ સાધક પરમ ઉપકારી સવ્યવહારનું ઉત્થાપન કરી, પિતાને અને પરને ભવિષ્યમાં પુનઃ બોધિ પામવાનું દુર્લભ થઈ પડે એવું દુલ્લભધિપણું કરે છે. આમ આંધળો પણ દેખી શકે અને બહેરે પણ સાંભળી શકે એવી શ્રીમદ્દની આ બન્ને પ્રકારના વ્યવહારઉત્થાપકનું ઉત્થાપન કરનારી ઉદૂષણ એટલી બધી સ્પષ્ટ છે કે તેનું ઝાઝું પિષ્ટપેષણ કરવાનું રહેતું નથી,