________________
માક્ષરુષાર્થની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષને જાગૃતિ પપ૧ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.’– શુષ્કક્રિયાપ્રધાનીનું જે આ તાદશ્ય ચિત્ર પરમ કરુણાળુ શ્રીમદે અત્રે આલેખ્યું છે, તે વખ્તમાનમાં સમાજમાં પ્રવર્તી રહેલા ક્રિયાજડપણાના પ્રવાહને કરુણ ચતાર દષ્ટિસન્મુખ ખડે કરે છે. શુષ્કક્રિયાપ્રધાનની આ મૂઢ માન્યતા દૂર કરવાની વાત તો દૂર રહે પણ તેવા જીવોને તથારૂપ–તેવા પ્રકારના ઉપદેશનું આ બધું બરાબર છે એવું ઉત્તેજનરૂપ પિષણ ઉપદેશક તરફથી મળ્યા કરે છે,–મહામુનિ દેવચંદ્રજીએ પિોકાર્યું છે તેમ– “દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવધર્મરુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?”—એના જેવી સ્થિતિ થાય છે; મૂઢ માન્યતાનું શોષણ થવાને બદલે પોષણ થાય છે. એટલે જ્ઞાનાદિ ચાર આરાધનાપ્રકાર પરત્વે પણ કેવી મૂઢ માન્યતા પ્રવર્તી રહી છે, તે અત્ર સાવ સ્પષ્ટ કરી છે.
આ શુષ્કક્રિયાપ્રધાનીથી ઉલટે કિયાઉત્થાપકને બીજો પ્રકાર શ્રીમદ્દ વિસ્તારથી વિવેચે છે—જે છે બાહ્ય ક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે જ શાસ્ત્રોના કેઈ એક વચનને અણસમજણુભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જે કઈ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવાં છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે છે તે સંસારહેતુ છે, એમ શાને મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાને શાસ્ત્રોને હેતુ નથી, તે માત્ર પિતાની મતિકલ્પનાથી નિષેધે છે.'—આ કિયાઉત્થાપકોના બે પ્રકાર છે—દાનાદિ ક્રિયાના ઉત્થાપક અને શુદ્ધ વ્યવહારક્રિયાના ઉત્થાપકતે બન્ને પ્રકાર શાસ્ત્રના કોઈ એક અમુક વચનને આશય સમજ્યા વિના અણસમજણપણે પકડી લઈ તે તે ક્રિયા સચડી ઉત્થાપવામાં જ મોક્ષમાર્ગ સમજે છે અને અમે માગ સમજ્યા છીએ એમ માની લ્ય છે. દાનાદિ ક્રિયા ઉત્થાપનારા-સમૂળગો નિષેધ કરનારા કહે છે કેદાનાદિ શુભ ક્રિયા કરવાથી શુભબંધ થાય, દેવાદિ ગતિ મળે–સંસાર ચાલુ રહે, પણ મેક્ષ થાય નહિં, માટે દાનાદિ ક્રિયા સર્વથા કરવા ગ્ય જ નથી, એમ શાસ્ત્રના કોઈ એક વચનને સમજ્યા વિના પકડી લે છે. પણ શાસ્ત્રકારને આશય તે જૂદ છે, તેઓએ માની લીધું છે તેવું નથી. શાસ્ત્રકારને આશય તો એ છે કે–દાનાદિ ક્રિયા જે કઈ હું કેવા દાનાદિ કરું છું એવા અહંકારાદિથી–કષાયાદિથી કરે, કે આ લેક-પરલેક સંબંધી કંઈ પણ કામનારૂપ નિદાનબુદ્ધિ આદિથી કરે, અથવા તે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા મુનિદશાગ્ય છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે છે તે સંસારકારણ છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા નહિં કરવી એમ દાનાદિને ઉત્થાપવાનો શાને આશય છે જ નહિં. શુદ્ધપયોગમય જેની દશા હોય એવા મુનિને દાનાદિ કરવાનો નિષેધ છે, ગૃહસ્થને નહિં, એટલે મુનિ જેવી ઉચ્ચભૂમિકાની વાત ગૃહસ્થ જેવી નીચી ભૂમિકાને લાગુ પાડી શકાય નહિં.
એટલે આમ શાસ્ત્રોનો આશય સમજ્યા વિના દાનાદિ ક્રિયા સર્વથા ઉત્થાપે છે, તે દાનાદિક્રિયાઉત્થાપકેને મતિ૫નાદેષ બતાવી, શુદ્ધવ્યવહારક્રિયાઉત્થાપકેને