SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણ, વેદી–આત્માનુભવથી અનુભવી તે કૃતાર્થકૃતકૃત્ય થાય છે. આવા આ છ પદ જાણ્યાનું સ્વસ્વરૂપ પ્રાપ્તિરૂ૫ ફળ પ્રકાશે છે—જે જે પુરુને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે, અને ભવિષ્યકાળમાં પણ તેમજ થશે.– આત્માનુભવસિદ્ધ હોવાથી જે છ પદ સપ્રમાણ–પ્રમાણરૂપ છે એવું જેનું વચન પરમ પ્રમાણુ કરવા યોગ્ય છે, તે પરમ પ્રમાણભૂત સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને જે જે પુરુષોને આત્માને નિશ્ચય થયો છે, તે તે સર્વ પુરુષ સ્વરૂપને પામ્યા છે, માનસિક આધિ, શારીરિક વ્યાધિ અને બાહ્ય ઉપાધિરૂપ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને થશે, એમ ત્રણે કાળમાં અચળ અખંડ અબાધિત સ્થિતિ છે. આમ આ છ પદને અને તેના ફળરૂપ સ્વસ્વરૂપપ્રાપ્તિને મહામહિમાતિશય સંકીર્તન કરી પરમ ગુરુ જગદ્ગુરુ રાજચંદ્ર પિતાના અંતરાત્માના ઊંડાણમાંથી નિકળેલા આ પરમ ગૌરવપૂર્ણ શબ્દોમાં આ ષપદની પ્રસ્તુતિ કરી છે, આ પદને સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક તરિકે બિરદાવ્યા છે, સદ્ગુરુવચન થકી પ્રાપ્ત આ પદને સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ પણે ઉદ્દઘળ્યા છે. અને આ ષદના પ્રકાશક જે સત્પરુષ સદ્દગુરુના કૃપાપ્રસાદથકી આ ષદપ્રાપ્તિ ને સ્વસ્વરૂપપ્રાપ્તિ થાય છે, તે નિષ્કારણ કરુણાશીલ સત્પરુષના પરમ ઉપકાર પ્રત્યે પરમ કૃતજ્ઞતાપૂર્ણ પિતાની અંતરુસંવેદનાને આ પરમગુરુ જગદગુરુ જ્યારે આ નીચેના પરમ ભક્તિપૂર્ણ ચાર નમસ્કારના હૃદયસ્પર્શી ભવ્ય શબ્દોમાં વાચા આપે છે, ત્યારે તો ખરેખર! આ પરમ ગુરુએ છલકાવેલા આ ભાવવારિધિના ભાવની અવધિ જ થાય છે! પરમ ભાવિતાત્મા આ જગદ્ગુરુએ અત્રે આ અમૃતપત્રના અંતે–આ પત્રના મુગટમણિસ્થાને શેભતા ચૂંડારત્ન સમા આ ચાર નમસ્કાર મૂક્યા છે, તે જગતના ચોકમાં ચારે દિશામાં સદ્દગુરુભક્તિનો દિવ્ય પ્રકાશ રેલાવી રહ્યા છે! હજારે ગ્રંથથી પણ જેના ભાવને એક અંશ પણ ન દર્શાવી શકાય એવા આ સદ્દગુરુભક્તિને પરમ મહિમાતિશય કિંડિમ નાદથી ઉદ્ઘેષતા પરમ ભાવપૂર્ણ ચાર નમસ્કાર આ રહ્યા– “જે પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્ય, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઇ પણ ઈગ્યા વિના માત્ર નિષ્કારણ કરુણશીલતાથી આપે, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy