SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ષપદને અમૃતપત્ર ૫૪૧ રૂ૫ સ્વપ્નને જ્યાંલગી સત્ય માને ત્યાંલગી તે જ્ઞાનજગતિ પામે નહિ, અને જ્ઞાનજાગૃતિ પામે ત્યારે અનાદિની અજ્ઞાનનિદ્રા દૂર થઈ પરવસ્તુમાં તે અહં-મમભાવની અંસતકક્ષ નાનું સ્વપ્ન ઊડી જતાં વાર લાગે નહિં. ઊંઘમાંથી ઊઠતાં-જાગ્રત થતાં જેમ ગમે તેટલું લાંબુ-કેડો વર્ષનું સ્વપ્ન પણ તરત જ ઊડી જાય છે ને વસ્તુસ્વરૂપનું યથાર્થ દર્શન થાય છે, તેમ અજ્ઞાનનિદ્રામાંથી ઊઠતાં-જ્ઞાનરૂપ જાગ્રત દશા થતાં અનાદિનું અજ્ઞાનદશાનું સ્વપ્ન તરત જ ઊડી જાય છે અને આત્મસ્વરૂપને સમ્યગદર્શન થાય છે. “જાગીને જોઉં તે જગત્ દીસે નહિં, ઊંઘમાં અટપટા ખેલ ભાસેચિત ચૈતન્ય વિલાસ તપ છે, બ્રહ્મ લટેકા કરે બ્રહ્ન પાસે.” (નરસિંહ મહેતા). અને તે સ્વપ્નદશારહિત વવરૂપનું યથાર્થ સમ્યગદર્શન થાય છે, એટલે પછી આત્મા સ્વસ્વભાવમાં સ્થિતિ કરવારૂપ ભાવમોક્ષને પામે છે. તે કેવી રીતે ? તે અત્ર પત્રમાં સ્પષ્ટ પ્રકાશે છે – કઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક સંગ ઉત્પન્ન ન થાય, તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી અકયતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ અનિષ્ટપણું થતું નથી. જન્મ, જરા, મરણ, રેગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે ' અર્થાતુ-સમ્યગદશન થતાં આ સ્વવસ્તુ છે ને આ પરવસ્તુ છે એમ સ્પષ્ટ ભેદવિજ્ઞાન થાય છે, સ્વવસ્તુનું સ્વરૂપ અને પરવસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમ્યફપણે સ્પષ્ટ દેખાય છે, સ્વવસ્તુ તે હું છું ને હારી છે, પરવસ્તુ તે હું નથી ને મહારી નથી, એમ પરવતુમાં અહત્વ-મમત્વબુદ્ધિ નષ્ટ થાય છે. એટલે વિનાશી—નાશવંત, અશુદ્ધઅશુચિ–મલિન અને આત્માથી–વથી અન્ય-જૂદા એવા કેઈ પણ પરભાવને વિષે તેને હર્ષ –શેક ઉપજે નહિં,-કોઈ પણ પરવસ્તુના સંયોગથી હર્ષ વા વિયોગથી શેક ઉત્પન્ન થાય નહિં. કારણકે તે વિચારે છે કે આ પરવસ્તુ મહારાથી અન્ય છે, અશુદ્ધ છે, વિનાશી છે ને હું–આ સ્વવતુ મહારાથી અનન્ય છું, શુદ્ધ છું, અવિનાશી છું - એમ વિચાર કરતાં સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણ પણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત-નિરંતર તેના અનુભવમાં આવે છે. એમ ભેદવિજ્ઞાન થાય છે, એટલે જ આત્માથી વિપરીત-વિકૃત-વિરુદ્ધ–વિશેષ એવા મેહ–રાગ-દ્વેષઆદિ સર્વ વિભાવ૫ર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી–અનાદિન વિપરીત અભ્યાસથી ઐકયતાએકત્વભાવતા થઈ છે, તેથી કેવળ–સર્વથા પિતાનું ભિન્નપણું જ છે- જૂદાપણું જ છે, એ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપક્ષ તેને અનુભવ થાય છે; અને એટલે જ વિનાશી-નાશવંત અથવા અન્ય–પર પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટ–અનિષ્ટપણે થતું નથી,-આ પરપદાથે મને પ્રાપ્ત છે તે સારૂં, આ મને પ્રાપ્ત ન હો તે સારું એવી ઈચ્છાનિષ્ટબુદ્ધિ ઉપજતી નથી. અને જન્મ-જર-મરણ-ગાદિ બાધારહિત સંપૂર્ણ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy