________________
૫૨૭
રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃતધારા આવવા વિષે વિચાર હાલ સંભવતો નથી. હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાને પ્રસંગ ન આવ્યું હોય ત્યાંસુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિ રહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્ય ત્યાં ખપ પૂરતાં (વ્યવહારની પ્રવૃત્તિ જુઓ!) હોય એટલે ઘણું ય છે. ક્રમપૂર્વક તમારે જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. ૪ ૪ તમારા પિતાના પણ જ્યાં અધિક (બને ત્યાં સુધી કેઈ જ નહીં, ઓળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તે કૃપા માનશું. લિ. સમાધિ.”
નિવૃત્તિની ઈચ્છા સાથે ગુપ્ત રહેવાની શ્રીમદૂની પુરેપુરી અંતરેચ્છા અત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે. આ પૃચ્છાપત્ર પછી આજ્ઞાંકિત અંબાલાલભાઈએ શ્રીમદૂની ઇચ્છાઆજ્ઞાને સર્વ પ્રકારે અનુકૂળ નિવૃત્તિક્ષેત્ર રાળજની પસંદગી કરી શ્રીમદને જણાવ્યું; અને શ્રીમદે ખંભાતથી ત્રણ-ચાર ગાઉ દૂર આવેલાં આ રાળજક્ષેત્રે સ્થિતિ કરી, પોતાની નિવૃત્તિક્ષેત્રાસ્થિતિમાં પ્રારંભનું માન આ રાળજને આપ્યું, પોતાના ચરણસ્પર્શથી આ રાળજને પાવન કર્યું. પર્યુષણ જેવા પરમ પુણ્યપર્વના દિનેમાં પુણ્યમૂર્તિ શ્રીમદ્ જેવા પરમ પુરુષની અત્ર નિવૃત્તિક્ષેત્રસ્થિતિથી આ રાળજ પાવન બન્યું, એટલું જ નહિં પણ પર્વાધિરાજ પર્યુષણમાં અત્ર સ્થિરતા કરતાં અપૂર્વ આત્મસમાધિમાં લીન થયેલા શ્રીમદ્દના ચાર અમર મહાકાવ્યના અત્ર સર્જનથી અમર બન્યું. આ ચાર મહાકાવ્યો કયા ? (૧) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? (૨) યમ નિયમ સંયમ આપ કિ. (૩) જડ ભાવે જડ પરિણમે. (૪) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે. આ ચારે અમર કૃતિઓ જે કે દળમાં તે છે નાની, પણ આશયમાં છે ઘણી મટી; શબ્દ છે સંક્ષેપ છેડા, પણ અર્થ છે મહાગ્રંથાર્થ હેળા; એટલે જ તેને અત્ર હેતુપૂર્વક મહાકાવ્ય કહેલ છે.
આમ મહાન આશયની દષ્ટિથી મહાકાવ્ય એવા આ ચાર અમર મહાકાવ્યમાં પ્રથમ કાવ્ય વીશ દેહરાની કૃતિ તરીકે સુપ્રસિદ્ધ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ !” એ પરમ ભાવવાહી અમર પંક્તિથી શરૂ થતું અમર કાવ્ય છે. જાતિ-ધર્મ– સંપ્રદાય આદિના ભેદ વિના સર્વ કાળના સર્વ મુમુક્ષુને–આબાલવૃદ્ધ સર્વ કેઈને પ્રાતઃકાળે સાયંકાળે કે અન્યકાળે સ્વાધ્યાય કરવા ગ્ય આ પ્રાતઃસ્મરણીય વિશ દેહરા, એની પરમાર્થ આશય-ગંભીરતા પ્રત્યે દષ્ટિ કરતાં વિશ લાખ દેહરા પ્રમાણ છે. મહાકવિ રાજચંદ્ર એમાં એટલે બધે ભાવવારિધિ ઉલ્લસા છે–અક્ષરે અક્ષરે એવો અપૂર્વ ભક્તિસિંધુ બહલાવ્યો છે, કે તેમાં જેમ જેમ ઊંડા ઉતરીને અવગાહન કરીએ તેમ તેમ એર ને ઓર અપૂર્વ ભાવ સકુરે છે અને આત્માને અપૂર્વ જાગૃતિ પ્રેરે છે. આ અંગે લલ્લુછ મુનિ પરના પત્રમાં (અં. ૫૩૪). શ્રીમદે શ્રીમુખે પ્રકાણ્યું છે કે –
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયે છે, અને તે યોગે કરી તેની પરમાર્થદષ્ટિ ઉદય પ્રકાશતી નથી, અપરમાર્થને વિષે પરમાર્થને દહાગ્રહ થયા છે; અને