SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ રક અધ્યાત્મ ાચક્ ઇચ્છા રાકાણી છે.' (અં. ૫૯૨). જો કે શ્રીમદ્ જેવા અવધૂતને ભવન કે વન બન્ને સમાન હતા, તથાપિ વીતરાગતાની પૂર્ણતાને અર્થે તેમને વનવાસ વિશેષ રુચિકર લાગતા વન અને ઘર એ બન્ને કોઇ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે, સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.' (અ. ૩રર). પત્રાંક ૪૫૩માં જણાવ્યું છે તેમગૃહસ્થપણુ પણ વનવાસીપણે લજાય એવા આકર વૈરાગ્ય’ શ્રીમને વતતા હતા, તેપણ વારંવાર વનવાસ ઇચ્છા તેમને રહ્યા કરતી; શ્રીમદ્ભુનું તન ભવનમાં પણ મન વનમાં હતું, એટલે વનમાં જઈએ વનમાં જઇએ એમ જ એમના મનમાં વારવાર ઊઠવા કરતું અને તેવા સહજ વચનઉદ્ગારા પેાતાના હૃદયજ્ઞ પરમા સુહૃદું સૌભાગ્ય આદિ પરના પત્રામાં વારવાર દર્શોન દે છે. ચિત્ત ઘણુ કરીને વનમાં રહે છે-આત્મા તેા પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. (અ. ૩૧૭) વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યાગીઓ-તીથ કરાદિક તેનું આત્મત્વ સાંભરે છે. (અં. ૩૬૩) છેલ્લુ' પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે. એ પણ જ્ઞાનીની જ તવૃત્તિ જાણુનાર પુરુષ વિના કેાઈકથી પૂછી શકાય તેવું છે. (અ. ૨૧૫). વારવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તેા એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. X X પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગનહી' કરી શકાય એમ રહે છે. અને વારવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ વનમાં જઇએ એમ થઈ આવે છે. આપના નિર ંતર સત્સ ંગ હેાય તે ઘર પણ વનવાસ જ છે. (અ.૨૧૭) તેમજઆખા દિવસ નિવૃત્તિના ચેાગે કાળ નહીં જાય ત્યાંસુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. આત્મા આત્મા, તેના વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના માહાત્મ્યની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મેહ, એ અમને હજી આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. (.૪૬૫). (તેમ જ શ્રી કૃષ્ણદાસ પરના પત્રમાં શ્રીમદ્ લખે છે). ‘જ્ઞાનીપુરુષ પણ નિવૃત્તિને ક્રાઇ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિના ક્ષેત્રા, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સ`ગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે.' (અં. ૪૪૯) ઇત્યાદિ, આમ વનવાસને-નિવૃત્તિક્ષેત્રસ્થિતિને ઝ ંખનારા નિવૃત્તિપ્રિય શ્રીમદ્દે નિવૃત્તિક્ષેત્ર સ્થિતિ કયાં કેવી રીતે કેટલી કરી તેની સંક્ષિપ્ત નોંધ કરવાનું હવે પ્રાપ્ત થાય છે. સં. ૧૯૪૭ના શ્રા. શુદ ૯ ના દિને મુંબઈથી અંબાલાલભાઈ ને ખંભાત લખેલા પત્રમાં (અ. ૨૬૧).શ્રીમદ્ થાડા વખત માટે નિવૃત્તિ અર્થેં કોઇ સૃષ્ટિસૌંદર્યાંવાળા અનુકૂળ નિવૃત્તિક્ષેત્ર અંગે મહામુમુક્ષુ આંબાલાલભાઈને આમ પૃચ્છા કરે છે— તમારા ગામથી (ખંભાતથી) પાંચ સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણુપણે રહેવું હાય તે અનુકૂળ આવે ? જળ, વનસ્પતિ અને સૃષ્ટિરચના જ્યાં ઠીક હાય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તે લખશે. જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ. ૧ પછી અત્રેથી થાડા વખતને માટે નિવૃત્ત થવાની ઇચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને એળખતા હૈાય તેવા ગામમા હાલ તો અમે પ્રવૃત્તિ માની છે; જેથી ખભાત
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy