________________
૫૨૮
અધ્યાત્મ રાજચંદ્ર તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ ફરતે નથી, એ આદિ જીવની વિષમ દશા કહી , પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ! હવે મારી કઈ ગતિ (માગ) મને દેખાતી નથી. કેમ કે સર્વસ્વ લુંટાયા જેવો છે. મેં કર્યો છે, અને સહજ અધર્મ છતાં, પ્રયત્ન કર્યો છતે, તે એશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર –એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ? દીનાનાથ દયાળ છે, તે દેહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તો વિશેષ ગુણવૃત્તિનો હેતુ છે.
આમ જેની સર્વસ્વ લુંટાયા જેવી સ્થિતિ છે એવા આ જીવમાં આ નથી આ નથી એમ ૩૯ “નથી'થી અત્રે આ જીવની દીવાળીઆ પેઢીનું વર્ણન કર્યું છે, હું તે દેષ અનંતનું ભાજન છું કરશુળ” એમ આંતરનિરીક્ષણથી (Introspection) જીવના અનંત દોષ પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાવ્યું છે, અને આ જીવ “અનંતકાળથી આથડ, શાથી? “વિના ભાન ભગવાન તે પણ શાથી? સેવ્યા નહિં ગુરુ સંતને’ કેમ સેવ્યા નહિં? “મૂકયું નહિં અભિમાન', ત્યારે કર્યું શું? “સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક', તેથી થયું શું ? “પાર ન તેથી પામિય, ઉગે ન અંશ વિવેક', અને તેનું પરિણામ આવ્યું શું ! “સૌ સાધન બંધન થયા,”—એમ અદ્ભુત સંકલનાબદ્ધપણે અત્ર અભિમાનને સર્વ દેષનું અધિષ્ઠાન-મૂળ આધાર દેખાડી આપી,
અધમાધમ અધિકે પતિત સકળ જગતમાં હુંય” એ પંક્તિથી તે આ જીવને નીચામાં નીચી પાયરીએ મૂકી તેનું અભિમાન સર્વથા ગાળી નંખાવ્યું છે. અને આમ જેને એક એક અક્ષર હૃદય સોંસરે ઉતરી જાય એવે વેધક છે એવી શ્રીમદુની આ સાદામાં સાદી અને ઉંચામાં ઉંચી પરમ ભક્તિકૃતિ એવી અનુપમ છે કે સમસ્ત સંસ્કૃત પ્રાકૃત કે ગૂજરાતી વાભયમાં, શિલીની સાદાઈમાં અને ભાવની ઉંચાઈમાં પ્રાયે આની બરોબરી કરી શકે એવી કઈ કૃતિ જડવી દુર્લભ છે.
અને બીજા પરમ આશયગંભીર અમર કાવ્યમાં–‘યમ નિયમ સંયમ આપ ’િ એ અમર પંક્તિથી શરૂ થતા મહાકાવ્યમાં, “સૌ સાધન બંધન થયાં' એમ કેમ થવા પામ્યું, યમનિયમાદિ સ્વરૂપથી સાચા સાધન અનંતવાર સેવ્યા છતાં જીવના હાથમાં હજુ કાંઈ કેમ ન આવ્યું,–“વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ", એમ થયેલી નિષ્ફળતા પરમ કરુણાદષ્ટિથી દર્શાવી, તે તે સતસાધનની સફળતાનો સાચો માર્ગ દર્શાવ્યો છે કે “વહ બાત રહી સુગુરુગમકી.? આ કાવ્ય અંગે પણ શ્રીમદ પૂર્વોક્ત પત્રમાં (અં. ૫૩૫) આ માર્મિક ઉલ્લેખ કરે છે–બીજા આઠ ત્રાટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાને બંધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષને હેતુ છે.” આમ સ્વરૂપે સાચા છતાં