________________
પર૦
અધ્યાત્મ રાજચંદ્ર હેતુ તમે સમજે નહીં તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઇ આપણે કરીએ છીએ, તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પિતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમજ મિથ્યાત્વ (સંદેહ)નું મંદત થતું નથી, માટે આપણે જીવના કલ્યાણને ફરી ફરી વિચાર કરે ગ્ય છે, અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં.' ઈ. (સં. ૨૦૭) જેમ બને તેમ મિથ્યાત્વ–કષાયાદિની મંદતાએ કરી પરિણામશુદ્ધિથી જ્ઞાન-ક્રિયાનું સફળ૫ણું કેમ થાય એ અંગે કોઈ પણ આત્માર્થી મુમુક્ષુ મુનિને કેવું વિચારપ્રેરક શ્રીમદનું આ અપૂર્વ માર્ગદર્શન છે! અને મુનિને પત્રસમાચારાદિ વ્યવહાર પરત્વે ઉત્સર્ગથી અને અપવાદથી જિનમાર્ગની શી મર્યાદા છે એ અંગે નિખુષ યુક્તિથી વિવરણ કરતા પત્રમાં (અં. ૫૦૧) સ્પષ્ટ માર્ગદર્શન કરતા શ્રીમદે, જરા પણ શિથિલાચાર ન ચલાવી લેવાય અને લેશ પણ પ્રતિજ્ઞાભંગ ન ચાલે એવા મુનિધર્મના કડક આચારપાલન અંગેનું પોતાનું દઢ મંતવ્ય દર્શાવતાં, બાહ્ય આચારપાલનમાં પણ મુનિને દઢ કરાવ્યા છે.
એમ યથાપ્રસંગે મુનિને માર્ગદર્શન કરતા શ્રીમદે માત્ર બાહ્ય આચાર અંગે જ નહિં, પણ સમિતિ આદિ આચારના જિનઆજ્ઞાનુસાર કડક (strict) અનુપાલન અંગે પણ જરા પણ સ્વછંદને સ્થાન ન રહેવા પામે એવું સ્પષ્ટ માર્ગદર્શન કરાવ્યું છે. મુનિ દેવકીર્ણ અને આચારાંગ વાંચતાં સાધુને દીર્ઘશંકાદિ કારણમાં પણ ઘણે સાંકડે માર્ગ જેવામાં આવ્યું, તે પરથી એવી આશંકા થઈ કે એટલી બધી સંકડાશ એવી અ૫ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે?” તે શંકાનું સમાધાન કરતાં શ્રીમદે સમિતિવિચાર અંગે અદ્ભુત રહસ્યદષ્ટિ અર્પતાં આમ અપૂર્વ માર્ગદર્શન કરાવ્યું છે–
સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે; પણ તે સંયમાથે દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. કંઇ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણું સહિત અંતર્મુખ ઉપગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપયોગ ખલિત થાય છે, અને કંઇક વિશેષ અંશમાં ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હેવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ થઈ શકે એવી અદ્દભુત સંકલનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.” છે. (અં. ૭૬૭)
મુનિમાર્ગે વિચરનારા સર્વકાળના સર્વ મુનિઓને આ સાંકડા દેખાતા કડક આચારપાલન પાછળની દષ્ટિનું અનન્ય રહસ્યભૂત દર્શન કરાવતી શ્રીમદે અપેલી આ અપૂર્વ રહસ્યદષ્ટિ પ્રાયે સમસ્ત જૈન વાડ્મયમાં ખરેખર! અપૂર્વ અને અદ્વિતીય જ છે. આમ ભાવસંયમના અનુસંધાનપૂર્વક દ્રવ્યસંયમના યથેક્ત આજ્ઞાનુસાર પાલનનું નિરંતર યથાતથ્ય માર્ગદર્શન કરતા શ્રીમદ, મુનિઓને પ્રાપ્ત દ્રવ્ય સંયમને ભાવસંયમની જિજ્ઞાસાને સફળ