SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઓને ચીમનું માર્ગદર્શન શાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (દુ) છે; કલ્પનાથી પર (આઘે) છે, માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરો, અને પછી સની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (અં. ૨૧૧). ઈત્યાદિ. આવું બોધ-રસાયન શ્રીમદ્ પીવડાવતા, તેથી જેનું ભક્તિપૂર વધતું જતું હતું એવા લલ્લુજી મુનિ “દાસ લલ્લુ બની શ્રીમને પરમ ભક્તિપૂર્ણ પત્ર લખતા. તેના ઉત્તરમાં સામું દાસત્વ દાખવતા પરમ માર્દવમૂર્તિ શ્રીમદ્દ અત્યંત વિનમ્રતા દાખવતા–“અમારા ઉપર તમારી ગમે તેવી વ્યક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તે અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.” આમ દાસ અને દાસાનુદાસની વિનયતા અને વિનમ્રતાની જાણે સ્પર્ધા ચાલતી! આવા અનન્ય ભક્ત મુનિને મુનિધર્મની મર્યાદા સાચવતાં બાહ્ય વ્યવહારમાં પણ કેવી રીતે વર્તવું તેનું પણ શ્રીમદ યથાપ્રસંગે યથાયોગ્ય માર્ગદર્શન કરતા. વ્યાખ્યાન મુનિને કરવું પડે છે તે સામાન્ય શિરસ્તે થઈ પડ્યો છે, તે માટે આત્માથી મુનિએ કેવી રીતે પ્રવર્તાવું તે દર્શાવે છે–વ્યાખ્યાન કરવું પડે તે કરવું, પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને ચગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. (અં. ૧૯૬) યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવને ઉપદેશકપણું વત્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિને લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત ને ઉપદેશ આપ ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદુ આગ્રહને તથા કેવળ વેષ વ્યવહારાદિને અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે છે યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.” (નં. ૬૭૩) શ્રીમદના આ કેલ્કીર્ણ અમૃત વચને ઉપદેશકપણાની મોટી ખમદારી સમજનારા સર્વકાળના સર્વ આત્માથી એને દીવાદાંડી સમા માર્ગદર્શક છે એટલું જ નહિં પણ, તેવી જોખમદારીના ભાન વિના ઉપદેશકનું જોખમી કામ હાથ ધરી કેવળ માનાર્થે પોતાની વસ્તૃત્વકળાનું પ્રદર્શન કરતાં ફૂલીને ફાળકે બનનારા આજકાલના માનાથી વ્યાખ્યાનકારોએ ઘણે ધડે લેવા જેવા છે. અસ્તુ! આમ ઉપદેશ અંગે ઉપદેશ આપી, કોઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશે નહીં,' (અં. ૧૯૮). એમ ક્રિયાનું ઉત્થાપન નહિં કરવાનું સ્પષ્ટ સૂચન કરતાં શ્રીમદ્ ક્રિયાનું સમ્યકપણું જેમ થાય એમ પિતાના સહયોગી મુનિઓને પણ વિધાયક પદ્ધતિથી (Constructive style) માર્ગદર્શક બનવાનું મુનિ લલ્લુજીને માર્ગદર્શન આપતા– “જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણામે આપણે આ બધી ક્રિયા અને વાંચના ઈત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાને મારે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy